વાંકાનેર બાઉન્ડ્રી પાસે બાવળની જાળીમાં રૂપિયા માટે મિત્રની હત્યા કરનારા આરોપીને કોર્ટે ફટકારી આજીવન કેદની સજા મોરબીમાં પક્ષ વિરોધી પ્રવૃત્તિના લીધે જિલ્લા કોંગ્રેસના મહામંત્રીને હોદા ઉપરથી સસ્પેન્ડ કરતાં જિલ્લા કોંગ્રેસનાં પ્રમુખ સામે સોશ્યલ મીડિયામાં વોર શરૂ ! તબીબી ચમત્કાર : આયુષ હોસ્પિટલના ડો.સત્યજીતસિંહ જાડેજા દ્રારા વેન્ટિલેટર ઉપરના 100 વર્ષના પડકારભર્યા દર્દીને નવું જીવન અપાયુ મોરબીમાં 25 લાખની લેતીદેતી મુદ્દે જિલ્લા પંચાયતના ભાજપના પૂર્વ સદસ્ય-રાષ્ટ્રભક્ત સામે ખૂનની કોશિશ સહિતની કલમ હેઠળ ગુનો નોંધાયો મોરબીમાં રાજ્યમંત્રી કાંતિભાઈ અને સાંસદ વિનોદભાઈની હાજરીમાં 106 કરોડના વિકાસ કામોનું કરાયું ખાતમહૂર્ત વાંકાનેર નજીક ડબલ સવારી બાઇકને કાર ચાલકે હડફેટે લેતા માતાજીનાં મંદિરે દર્શન કરવા જતાં વૃદ્ધનું મોત: એક ને ઇજા મોરબીમાં રોડ સાઈડમાં ઉભેલા વૃદ્ધને રિવર્સમાં વાહન લેતા સમયે હડફેટે લેતા થાપા, કમર અને ગોળામાં ફેક્ચર મોરબીના જાંબુડીયા ગામે સગપણ તોડી નાખવાની વાતનો ખાર રાખીને હુમલો: 4 સામે ફરિયાદ
Breaking news
Morbi Today

રાજકોટ રેલવે ડિવિઝન દ્વારા અમૃત ભારત સ્ટેશન યોજના અંતર્ગત નિબંધ-ચિત્ર સ્પર્ધા યોજાઇ


SHARE











રાજકોટ રેલવે ડિવિઝન દ્વારા અમૃત ભારત સ્ટેશન યોજના અંતર્ગત નિબંધ-ચિત્ર સ્પર્ધા યોજાઇ

પ્રધાન મંત્રી નરેન્દ્ર મોદી ૨૬ મી ફેબ્રુઆરીના રોજ અમૃત ભારત સ્ટેશન યોજનાહેઠળ ભારતીય રેલવેના ૫૫૪ રેલવે સ્ટેશનોના પુનઃવિકાસનો શિલાન્યાસ કરશે અને ૧૫૦૦ રોડ ઓવરબ્રિજ અને અંડરપાસના અંદાજે ૪૧,૦૦૦ કરોડની લાગતના કામોનું શિલાન્યાસ અને રાષ્ટ્રને અર્પણ કરશે આ પ્રસંગે, “અમૃત સ્ટેશન યોજનાહેઠળ, પશ્ચિમ રેલવેના રાજકોટ ડિવિઝન ના રાજકોટ, જામનગર, મોરબી, દ્વારકા, ઓખા, ખંભાળિયા, હાપા, કાનાલુસ, ભાટિયા, વાંકાનેર અને થાન અને પડધરી, વિવિધ ૧૨ સ્ટેશનો પર કુલ ૭૪ શાળાઓમાં ધોરણ ૫ થી ૧૨ ના વિદ્યાર્થીઑ માટે નિબંધ અને ચિત્ર સ્પર્ધાનું આયોજન કરવામાં આવ્યું હતું. આ સ્પર્ધાની થીમ "૨૦૪૭ નું વિકસિત અને ભારતીય રેલવે" હતી જેમાં કુલ ૭૯૪૫ વિદ્યાર્થીઓએ ઉત્સાહપૂર્વક ભાગ લીધો હતો. આ સ્પર્ધાઓના વિજેતાઓને ૨૬ મી ફેબ્રુઆરી ના રોજ રાજકોટ ડિવિઝનના સ્થળો અને સ્ટેશનો પર આયોજિત થનારા સ્થાનિક કાર્યક્રમોમાં ઉપસ્થિત મુખ્ય મહેમાનો દ્વારા સન્માનિત કરવામાં આવશે






Latest News