જમીન અમારા ગામની નથી કોઈના બાપની: મોરબીના જેતપર ગામે ખાનગી વીજ કંપનીના વીજ પોલના વળતર મામલે ખેડૂતો ના આજથી આમરણાંત ઉપવાસ શરૂ મોરબીના જેતપર ગામ નજીક અજાણ્યા છ જેટલા શખ્સોએ પેટ્રોલ છાંટીને હિટાચી મશીન સળગાવી દીધું: 14 લાખનું નુકસાન મોરબીમાં પતિ-પત્નીના ઝગડામાં વચ્ચે પડેલ દિકરીના માથામાં પિતાએ લાકડાની પટ્ટી મારતા ચાર ટાંક આવ્યા હળવદમાં ભલગામડા નજીક વાડીએથી તમંચા ઝડપાયો, આરોપીની શોધખોળ મોરબીના રવાપર અને વાંકાનેરના વીડી જાંબુડીયા ગામે જુગારની જુદીજુદી બે રેડ: કુલ 12 શખ્સ પકડાયા હળવદના ઘનશ્યામપુર ગામે તળાવમાં ન્હાવા પડેલા ત્રણ પૈકી એક યુવાનનું ડૂબી જવાથી મોત તેરા તુજકો અર્પણ: મોરબીમાથી પોલીસે ૭.૦૮ લાખના ૩૨ મોબાઈલો અને ૧.૭૫ લાખનો સોનાનો ચેન શોધીને અરજદારને પરત આપ્યો મોરબીમાં વ્યાજવટાવના અનેક ગુનામાં સંડોવાયેલ ઇસમ પાસા હેઠળ જેલ હવાલે
Breaking news
Morbi Today

મોરબીના રવાપર ગામે કારમાંથી ૨૧૫ દારૂની બોટલ સાથે એક શખ્સની ધરપકડ: એકની શોધખોળ


SHARE











મોરબીના રવાપર ગામે કારમાંથી ૨૧૫ દારૂની બોટલ સાથે એક શખ્સની ધરપકડ: એકની શોધખોળ

મોરબીના રવાપર ગામે આવેલ શિવ શકિત સોસાયટીમાં બ્રેઝા કારમાં દારૂનો જથ્થો હોવાની બાતમી એલસીબીની ટીમને મળી હતી જેના આધારે પોલીસે ત્યાં દારૂની રેડ કરી હતી ત્યારે દારૂની ૨૧૫ બોટલો કારમાંથી મળી આવી હતી જેથી કરીને પોલીસે ૪,૯૭,૮૦૫ નો મુદામાલ કબજે કરેલ છે અને એક શખ્સની ધરપકડ કરેલ છે તેમજ માલ આપનારનું નામ પણ સામે આવ્યું છે જેથી કરીને પોલીસે તેને પકડવા માટે એ ડિવિઝન પોલીસ સ્ટેશન ખાતે ગુનો નોંધીને આગળની કાર્યવાહી કરેલ છે.

બનાવની જાણવા મળતી માહિતી મુજબ મોરબીના રવાપર રોડ ઉપર આવેલ શિવ શકિત સોસાયટીમાં બ્રેઝા કારમાં દારૂનો જથ્થો હોવાની બાતમી એલસીબીની ટીમને મળી હતી જેના આધારે ત્યાં દારૂની રેડ કરી હતી ત્યારે રવાપર ગામ શિવ શકિત સોસાયટીમાં રહેતા વિપુલભાઇ નરસંગભાઇ બાલાસરા જાતે આહીર (ઉમર ૩૪) ની બ્રેઝા કાર નંબર જીજે ૩૬ એલ ૩૧૨૦ ને ચેક કરી હતી ત્યારે ગાડીમાંથી દારૂની અલગ અલગ બ્રાન્ડની વ્હીસ્કીની ૭૫૦ મીલીની કાચની કંપની સીલપેક કુલ ૨૧૫ બોટલો મળી આવી હતી જેથી કરીને રૂા.૯૨,૮૦૫ નો દારૂ, ચાર લાખની કિંમતની કાર અને રૂા.૫૦૦૦ ની.કિંમતનો એક  ફોન આમ કુલ મળીને રૂા.૪,૯૭,૮૦૫ નો મુદામાલ કબ્જે કરીને બુટલેગર વિપુલભાઈ નરસંગભાઈ બાલાસરાની ધરપકડ કરેલ છે અને તેની પ્રાથમિક પૂછપરછમાં આ માલ તેણે દેવજીભાઇ ઉર્ફે દેવો લાલજીભાઇ પરમાર રહે.હાલ મોરબી વાવડી રોડ, કબીર આશ્રમ પાસે મુળ રહે.રાજકોટ વાળાએ આપેલ હોવાનું સામે આવ્યું હતું જેથી કરીને મોરબી એ ડિવિઝન પોલીસ સ્ટેશન ખાતે હાલમાં બંને શખ્સોની સામે પ્રોહીબીશન એકટ મુજબ ગુનો નોંધવામાં આવેલ છે અને દારૂનો જથ્થો આપનારા શખ્સને પકડવા માટે પોલીસે તજવીજ શરૂ કરી છે.

મારામારીના બનાવમાં ધરપકડ

મોરબી નજીકના મકનસર ગામે રેલ્વે ફાટક પાસે રહેતા ગીતાબેન હરિભાઈ પરમાર (ઉમર ૪૦) એ થોડા દિવસ પહેલા મોરબી તાલુકા પોલીસ સ્ટેશન ખાતે પ્રકાશભાઈ વાલજીભાઈ પરમાર રહે.જુના મકનસર વાળાની સામે ફરિયાદ નોંધાવી હતી.જેમાં તેઓએ જણાવ્યું હતુ કે તેમનો દીકરો ભાવેશ બે થી ત્રણ વર્ષ પહેલા સામાવાળા પ્રકાશભાઈ વાલજીભાઈ પરમારના મિત્ર હેમંતનું બાઈક લઈને ગયો હતો.ત્યારે બાઈકનું એક્સીડન્ટ થયું હતું અને બાઇકમાં નુકસાની થઈ હતી જે નુકસાનીનો ખર્ચ હેમંતભાઈએ માગ્યો ન હતો અને તે અહીંયા હાલમાં રહેતા પણ નથી તેમ છતાં પણ અકસ્માતના ખર્ચના પૈસા માંગીને પ્રકાશભાઈએ ભાવેશભાઈ સાથે સાથે ઝઘડો કરીને ગાળો આપી હતી અને ધોકા વડે માર માર્યો હતો.તેમજ ભાવેશને જાનથી મારી નાખવાની ધમકી આપી હતી જેથી ઇજાગ્રસ્ત ભાવેશને સારવાર માટે હોસ્પિટલએ લઈ ગયા હતા.ગીતાબેન પરમારે નોંધાવેલ ફરિયાદ આધારે તાલુકા પોલીસે ગુનો નોંધ્યો હતો જેની તપાસ પીએસઆઇ ડી.ડી.જોગલાને સોંપાયેલ હોય તેઓએ મારામારીના ઉપરોકત બનાવમાં પ્રકાશ વાલજીભાઈ પરમાર (ઉમર ૨૪) રહે. જુના મકનસર તાલુકો જીલ્લો મોરબી ની અટકાયત કરીને આગળની તપાસ હાથ ધરી હતી.

આધેડ સારવારમાં

મોરબીના વાંકાનેર તાલુકાના પંચાસિયા ગામે રહેતા કાંતિભાઈ શામજીભાઈ કાંજિયા નામના ૫૦ વર્ષીય આધેડને અત્રેની મંગલમ હોસ્પિટલે સારવાર માટે લાવવામાં આવ્યા હતા.તેઓએ તેમના ઘરે કોઈ ઝેરી દવા પી લીધી હોવાથી તેઓને સારવાર માટે અહિં લાવવામાં આવ્યા હોવાનું પોલીસ સુત્રોએ જણાવેલ છે.એ ડિવિઝન પોલીસ મથકના હરેશભાઈ ચાવડાએ પ્રાથમિક તપાસ કરી હતી જોકે આ બનાવ વાંકાનેર પોલીસ મથક વિસ્તારનો હોય આગળની તપાસ માટે ત્યાં જાણ કરી હતી.જ્યારે કચ્છના રાપર પાસે આવેલ નાની રવ ગામે રહેતા કાનજીભાઈ મહાદેવભાઇ કોળી નામની વ્યક્તિએ પણ દવા પી લીધી હોય તેને સારવાર માટે મોરબીની મંગલમ હોસ્પિટલે લાવવામાં આવ્યા હતા અને આ બનાવ અંગે પણ મોરબી એ ડિવિઝન પોલીસ મથકના હરેશભાઈ ચાવડાએ પ્રાથમિક તપાસ કરીને બનાવ અંગે રાપર(કચ્છ) પોલીસને જાણ કરી હતી

 

ટંકારાના નસીતપર ગામે ઢોલરાના પ્રખ્યાત રામામંડળનું અયોજન

ટંકારા તાલુકાના નસીતપર ગામે તા.૨૪ ના રોજ ઢોલરાનું પ્રખ્યાત રામામંડળનું ભવ્ય અયોજન કરેલ છે. અને તા. ૨૪ ને શનીવારના રોજ રાત્રે ૯.૩૦ કલાકે નસીતપર ગામમાં પંચાયત ગ્રાઉન્ડ ખાતે ઢોલરાનું પ્રખ્યાત રામદેવરા રામામંડળનું ભવ્ય અયોજન કરેલ છે. તો દરેક ધર્મપ્રેમી જનતાને ગણેશભાઈ સવજીભાઈ કુંડારિયા દ્વારા જાહેર જનતાને ભાવભર્યું આમંત્રણ પાઠવવામાં આવેલ છે.






Latest News