મોરબી જિલ્લા ભાજપ કાર્યાલય ખાતે જિલ્લા અધ્યક્ષ જયંતીભાઈ રાજકોટીયાના હસ્તે ધ્વજવંદન, નાની બરાર ગામમાં સરપંચ દ્વારા વિદ્યાર્થીઓને સ્ટેશનરી કીટનું વિતરણ મોરબી નવયુગ ગ્રૂપ ઓફ એજ્યુકેશનમાં સ્વતંત્રતા દિવસની ઉજવણી કરાઇ: મુસ્કાન વેલફેર સોસાયટીનું વહીવટી તંત્રએ કર્યું સન્માન મોરબી જીલ્લામાં દારૂના ગુનામાં સંડોવાયેલા 3 આરોપી પાસા હેઠળ જુદીજુદી જેલમાં ધકેલાયા વધુ એક વખત બેદરકારી: હળવદના ખેતરડી ગામે જૂની પાણીની ટાંકી તોડતા સમયે નવી પાણીની ટાંકી સાથે અથડાઇ હળવદના વેગડવાવ ગામે MRC કમિટી બાદ ખેડૂતોને વીજપોલ-કોરિડોર સામે મળ્યું 3થી 4 ગણું વળતર: કલકેટર સ્વપ્નિલ ખરે મોરબી છાત્રાલય રોડ ખાતેથી ૯ બોટલ દારૂ પકડાઈ, ત્રણ સામે ફરિયાદ મોરબીની માધાપરવાડી શાળામાં બ્રહ્માકુમારી દ્વારા નશા મુક્ત અભિયાનનો કાર્યક્રમ યોજાયો મોરબી જિલ્લાના મોટા દહીસરા ગામે આન, બાન અને શાનથી પ્રભારી મંત્રીના હસ્તે તિરંગો આકાશમાં લહેરાવીને સલામી આપાઈ
Breaking news
Morbi Today

મોરબીના જેતપર ગામે દીકરીની સગાઈ કરાવવાની ના પડતાં પિતાને ઝપટો મારીના મારી નાખવાની ધમકી !


SHARE







મોરબીના જેતપર ગામે દીકરીની સગાઈ કરાવવાની ના પડતાં પિતાને ઝપટો મારીના મારી નાખવાની ધમકી !

મોરબીના સનાળા રોડ ઉપર આવેલ સત્યમ પાન વાળી શેરીમાં રહેતા આધેડ પોતાના પરિવાર સાથે પોતાના વતનમાં જેતપર ગામે પ્રસંગમાં ગયા હતા અને ત્યાં તે ગામમાં રહેતા એક શખ્સે પોતાના દીકરા સાથે તેની દીકરીની સગાઈ કરાવવા બાબતે તેને કહ્યું હતું ત્યારે આધેડે સગાઈ કરવાની ના પડી હતી જે બાબતનો ખાર રાખીને તે શખ્સ અને તેના દીકરાએ આધેડેને ગાળો આપીને બે થી ત્રણ ઝાપટો મારી હતી અને મારી નાખવાની ધમકી આપી હતી આટલું જ નહીં પરંતુ તેઓના ઘર પાસે લાકડાના ધોકા લઈને આવ્યા હતા અને ફરિયાદી તથા તેના દીકરાને ગાળો આપીને જાનથી મારી નાખવાની ધમકી આપી હતી જેથી ભોગ બનેલા આધેડે મોરબી તાલુકા પોલીસ સ્ટેશન ખાતે ફરિયાદ નોધાવી છે જેના આધારે પોલીસે ગુનો નોંધી બંને આરોપીઓની ધરપકડ કરીને આગળની રાબેતા મુજબની કાર્યવાહી હાથ ધરી છે

બનાવની જાણવા મળતી માહિતી મુજબ મૂળ જેતપર ગામના રહેવાસી અને હાલમાં મોરબીના સનાળા રોડ ઉપર સત્યમ પાન વાળી શેરીમાં આવેલ પુનિતનગર સોસાયટીમાં રહેતા લલિતભાઈ અમરશીભાઈ કંડિયા જાતે પટેલ (૪૮)એ મોરબી તાલુકા પોલીસ સ્ટેશન ખાતે મુકેશભાઈ રૂગનાથભાઈ અમૃતિયા અને તેના દીકરા ભાવિકભાઈ મુકેશભાઈ અમૃતિયા રહે. બંને જેતપર ગામ વાળાની સામે ફરિયાદ નોંધાવેલ છે જેમાં તેને જણાવ્યુ છે કે, તેઓ પોતાના વતન જેતપર ગામે પ્રસંગમાં ગયા હતા અને ત્યારે જેતપર ગામમાં નંદાભાઈ ચા વાળાની દુકાન પાસે આરોપી મુકેશભાઈ રૂગનાથભાઈ અમૃતિયાએ આવીને ફરિયાદીને તેની દીકરીની સગાઈ તેઓના દિકરા સાથે કરાવવા માટે થઈને કહ્યું હતું ત્યારે ફરિયાદીએ દીકરીની સગાઈ કરાવવાની ના પડી હતી જેથી કરીને તે વાતનો ખાર રાખીને મુકેશભાઈ અમૃતિયાએ ફરિયાદીને બે થી ત્રણ ઝાપટો મારી હતી અને ગાળો આપીને મારી નાખવાની ધમકી આપી હતી ત્યારબાદ મુકેશભાઈ અને તેનો દીકરો ભાવિક બંને ધોકા લઈને ફરિયાદીના ઘર પાસે આવ્યા હતા ત્યારે ત્યાં ફરિયાદી અને તેના દીકરા દીપને ગાળો આપીને જાનથી મારી નાખવાની ધમકી આપી હતી જેથી આધેડ દ્વારા મોરબી તાલુકા પોલીસ સ્ટેશન ખાતે ફરિયાદ નોંધાવવામાં આવતા પોલીસે આઈપીસી કલમ ૩૨૩, ૫૦૪, ૫૦૬ (૨), ૧૧૪, જીપી એક્ટની કલમ ૧૩૫ મુજબ ગુનો નોંધીને આરોપી મુકેશભાઈ રૂગનાથભાઈ અમૃતિયા (૫૨) અને ભાવિકભાઈ મુકેશભાઈ અમૃતિયા (૨૩) રહે. બંને જેતપર વાળાની ધરપકડ કરી રાબેતા મુજબની કાર્યવાહી હાથ ધરી છે






Latest News