મોરબીમાં દેણું વધી જતા ગુમ થયેલુ દંપતિ હેમખેમ ઘેર પરત ફર્યું, વજેપર, શનાળા, સિપાઈવાસ, પંચાસર રોડ પરથી દારૂ ઝડપાયો મોરબી કબીર ટેકરીમાં સસ્તા અનાજની દુકાન બંધ થતા સ્થાનિકોને રીક્ષા ભાડા ખર્ચી દુર જવું પડે છે લોકોની હાલાકી અંગે કોર્પોરેટરે કરી જિલ્લા કલેકટરને રજુઆત ભારતમાં મુસ્લિમોની વસ્તી અટકાવવા ત્રીજુ સંતાન થાય તો સરકારી અનાજ, શાળામાં પ્રવેશ, મેડિકલ સારવાર, બેંક લોન અને વોટ આપવાનો અધિકાર બંધ કરો: પ્રવીણ તોગડિયા મોરબી શહેર ભાજપમાં ઉપપ્રમુખ-મંત્રીઓની વરણી કરાઇ મોરબીના ખાનપર ગામે ઘરના ફળિયામાં પડી જતાં ઇજા પામેલા યુવાનનું મોત: સાપર નજીક કારખાનામાં ઇલેક્ટ્રીક શૉટ લગતા યુવાનનું મોત મોરબીની અણીયારી ચોકડી પાસે 2 ભેંસ-2 પાડાને કતલખાને લઈએ જતી બોલેરો સાથે બે શખ્સને ગૌરક્ષકોએ પકડ્યા વાંકાનેરના જોધપર ગામે છોકરાઓના રમવા બાબતે મહિલા અને તેની દીકરીને 4 મહિલા સહિત 6 લોકોએ માર માર્યો આજે તો તું બચી ગયો હવે ભેગો થઈશ તો પાડી દેશું: વાંકનેરના રાજાવડલા ગામે યુવાનને તેના બે ભાઈ-ભાભીઓએ આપી ધમકી
Breaking news
Morbi Today

ટંકારા તાલુકાનાં નેકનામ ગામે નાની-મોટી ૨૦ જેટલી ચોરી, પોલીસની ઢીલી નીતિનો ગ્રામજનોનો આક્ષેપ


SHARE







ટંકારા તાલુકાનાં નેકનામ ગામે નાની-મોટી ૨૦ જેટલી ચોરી, પોલીસની ઢીલી નીતિનો ગ્રામજનોનો આક્ષેપ

મોરબી જિલ્લાના જુદાજુદા વિસ્તારમાં ચોરીની ઘટના બની રહી છે ત્યારે ટંકારા તાલુકાનાં નેકનામ ગામે છેલ્લા દોઢ માહિનામાં ચોરીની એક કે બે નહીં પણ ૨૦ જેટલી ઘટના બની હોવાનું ગામના લોકો કહી રહ્યા છે અને પોલીસની ઢીલીનીતિ હોવાની અણીદાર આક્ષેપ પણ કરેલ છે આટલું જ નહીં ટંકારા પોલીસ ક્રાઇમ રેટ નીચો બતાવવા માટે એફઆઈઆર લેવાના બદલે માત્ર અરજી લઈને તપાસ કરે છે તેવી પણ આક્ષેપ કરેલ છે

ટંકારાના નેકનામ ગામના મગનભાઈ પોપટભાઈ હરણીયા સહિતના ગામના લોકોએ મોરબી જિલ્લાના એસપીને લેખિતમાં રજુઆત કરી છે જેમાં જણાવ્યું છે કે, છેલ્લા દોઢ થી બે મહિનામાં અંદાજે ૨૦ જેટલી નાની મોટી ચોરીની ઘટના બનેલ છે છતાં સમગ્ર ટંકારા પોલીસ હજુ સુધી કોઈને પકડી શકેલ ન આથી અને ક્રાઇમ રેટ નીચો બતાવવા માટે ફરિયાદ લેવાના બદલે માત્ર સાદા કાગળ ઉપર અરજી લઈને તપાસ કરે છે તેવું કહે છે અને કોઈ આરોપી પકડાતાં નથી અને આ ગામના ભોગ બનેલા લોકો ફરિયાદ નોંધવા વારંવાર ટંકારા પોલીસ સ્ટેશને જાય છે તો તેની ફરિયાદ લેવામાં આવતી નથી તેવો પણ આક્ષેપ કરેલ છે વધુમાં જણાવ્યુ હતું કે, હાલપરા પરિવાર બહુચર માતાજીનું મંદિર, જાદવ પરિવાર મંદિર, ચીકાણી પરિવાર બહુચર માતાજીનું મંદિર, પ્રભુભાઈ પોપટભાઈ હાલપરા, હરણીયા પરિવાર બ્રાહ્મણી માતાનું મંદિર, લુહાર જ્ઞાતિનું મંદિર, ધીરજલાલ લવજીભાઈ હાલપરા, ઝાલા પરિવાર ધાવડી માતાજીનું મંદિર, ગિરીશ રણછોડભાઈ વરસડા, હરેશ અવચરભાઈ નડિયાપરા, મગનભાઈ પોપટભાઈ હરણીયા, હરજીભાઈ મનજીભાઈ ચીકાણી, મેહુલ વસંતભાઈ બરાસરા સહિતના લોકોના ઘરે તેમજ મંદિરોમાં જુદાજુદા સમયે ચોરી કરવામાં આવેલ છે છતાં ટંકારા પોલીસે ફરિયાદ લીધેલ નથી ! જેથી ફરજમાં બેદરકાર અધિકારી અને કર્મચારીઓની સામે કડક કાર્યવાહી કરવામાં આવે તેવી માંગ કરી છે






Latest News