ડીઝલના ધાંધિયા શરૂ: મોરબી જિલ્લામાં નાયરાના મોટાભાગના પંપ ઉપર ડીઝલનું વેચાણ બંધ, સરકારી પેટ્રોલ પંપ ઉપર પણ ડીઝલનો જથ્થો મર્યાદિત ટંકારાના રાજ્ય એવોર્ડી શિક્ષિકા જીવતીબેન પીપલિયાના ત્રણ પુસ્તકનું ભવ્ય અનાવરણ મોરબીમાં રવિવારથી ભાણદેવજી મહારાજની શ્રીમદ ભાગવત સપ્તાહનો પ્રારંભ મોરબીના હાર્દ સમાન મુખ્ય ત્રણ માર્ગો ઉપર ભારે વાહનોની પ્રવેશબંધી: બે માર્ગને વન-વે જાહેર કરાયા ચોંકાવનારો કિસ્સો: મોરબીમાં મકાન ભાડાના પૈસાના બદલે પત્ની-પુત્રીને દુષ્કર્મમાં ધકેલતા નરાધમ સહિત બે ની ધરપકડ, એકની શોધખોળ મોરબીમાં શંકાસ્પદ બાઇક સાથે એક શખ્સ પકડાયો મોરબી નજીક યુવાનના લમણે એરગન મૂકીને 1.60 લાખના મુદ્દામાલની લૂંટના કરવાના ગુનામાં યુપીમાં 21 ગુનામાં સંડોવાયેલ રીઢા આરોપીની ધરપકડ હળવદ તાલુકામાં કરવામાં આવેલ કરોડો રૂપિયાની સરકારી જમીનના કૌભાંડમાં વધુ એક આરોપીની ધરપકડ
Breaking news
Morbi Today

ટંકારા તાલુકાનાં નેકનામ ગામે નાની-મોટી ૨૦ જેટલી ચોરી, પોલીસની ઢીલી નીતિનો ગ્રામજનોનો આક્ષેપ


SHARE











ટંકારા તાલુકાનાં નેકનામ ગામે નાની-મોટી ૨૦ જેટલી ચોરી, પોલીસની ઢીલી નીતિનો ગ્રામજનોનો આક્ષેપ

મોરબી જિલ્લાના જુદાજુદા વિસ્તારમાં ચોરીની ઘટના બની રહી છે ત્યારે ટંકારા તાલુકાનાં નેકનામ ગામે છેલ્લા દોઢ માહિનામાં ચોરીની એક કે બે નહીં પણ ૨૦ જેટલી ઘટના બની હોવાનું ગામના લોકો કહી રહ્યા છે અને પોલીસની ઢીલીનીતિ હોવાની અણીદાર આક્ષેપ પણ કરેલ છે આટલું જ નહીં ટંકારા પોલીસ ક્રાઇમ રેટ નીચો બતાવવા માટે એફઆઈઆર લેવાના બદલે માત્ર અરજી લઈને તપાસ કરે છે તેવી પણ આક્ષેપ કરેલ છે

ટંકારાના નેકનામ ગામના મગનભાઈ પોપટભાઈ હરણીયા સહિતના ગામના લોકોએ મોરબી જિલ્લાના એસપીને લેખિતમાં રજુઆત કરી છે જેમાં જણાવ્યું છે કે, છેલ્લા દોઢ થી બે મહિનામાં અંદાજે ૨૦ જેટલી નાની મોટી ચોરીની ઘટના બનેલ છે છતાં સમગ્ર ટંકારા પોલીસ હજુ સુધી કોઈને પકડી શકેલ ન આથી અને ક્રાઇમ રેટ નીચો બતાવવા માટે ફરિયાદ લેવાના બદલે માત્ર સાદા કાગળ ઉપર અરજી લઈને તપાસ કરે છે તેવું કહે છે અને કોઈ આરોપી પકડાતાં નથી અને આ ગામના ભોગ બનેલા લોકો ફરિયાદ નોંધવા વારંવાર ટંકારા પોલીસ સ્ટેશને જાય છે તો તેની ફરિયાદ લેવામાં આવતી નથી તેવો પણ આક્ષેપ કરેલ છે વધુમાં જણાવ્યુ હતું કે, હાલપરા પરિવાર બહુચર માતાજીનું મંદિર, જાદવ પરિવાર મંદિર, ચીકાણી પરિવાર બહુચર માતાજીનું મંદિર, પ્રભુભાઈ પોપટભાઈ હાલપરા, હરણીયા પરિવાર બ્રાહ્મણી માતાનું મંદિર, લુહાર જ્ઞાતિનું મંદિર, ધીરજલાલ લવજીભાઈ હાલપરા, ઝાલા પરિવાર ધાવડી માતાજીનું મંદિર, ગિરીશ રણછોડભાઈ વરસડા, હરેશ અવચરભાઈ નડિયાપરા, મગનભાઈ પોપટભાઈ હરણીયા, હરજીભાઈ મનજીભાઈ ચીકાણી, મેહુલ વસંતભાઈ બરાસરા સહિતના લોકોના ઘરે તેમજ મંદિરોમાં જુદાજુદા સમયે ચોરી કરવામાં આવેલ છે છતાં ટંકારા પોલીસે ફરિયાદ લીધેલ નથી ! જેથી ફરજમાં બેદરકાર અધિકારી અને કર્મચારીઓની સામે કડક કાર્યવાહી કરવામાં આવે તેવી માંગ કરી છે






Latest News