મોરબીના ઘુંટુ ગામે પરેચા પરિવાર દ્વારા શ્રીમદ ભાગવત સપ્તાહનું આયોજન મોરબીના ખાનપર ગામે આવેલ કુમાર શાળામાં ધો.૮ નાં વિદ્યાર્થીઓનો વિદાય સમારોહ યોજાયો વાંકાનેર-ઠીકરીયાળા માર્ગ પર નવા માઇનર બ્રિજનું નિર્માણ શરૂ મોરબીમાં ડો. ભીમરાવ આંબેડકરની 135 મી જન્મજયંતિ નિમિત્તે ભવ્ય શોભાયાત્રાનું આયોજન મોરબીમાં વેલનાથ બાપુની પૂણ્યતીથી નીમીતે ભવ્ય શોભાયાત્રાનું આયોજન વાંકાનેર 108ની ટીમ બની 'દેવદૂત': ટેકનોલોજી-ત્વરિત નિર્ણયશક્તિથી નવજાત શિશુને આપ્યું નવજીવન મોરબીમાં પિતાની પુણ્યતિથિએ દીકરીએ કર્યું રક્તદાન કેમ્પનું આયોજન મોરબીમાં 25 લાખ માટે સીરામીક ઉદ્યોગપતિ અને તેના મિત્ર ઉપર જીવલેણ હુમલો કરનારા અજયભાઈ લોરીયાની ધરપકડ: ગાડી, ધોકો, કપડાં, મોબાઈલ કબ્જે કરતી પોલીસે
Breaking news
Morbi Today

મોરબીના ચકમપર ગામે વાડીએ ઝેરી દવા પી ગયેલા મહિલા સારવારમાં


SHARE











મોરબીના ચકમપર ગામે વાડીએ ઝેરી દવા પી ગયેલા મહિલા સારવારમાં

મોરબી તાલુકાના ચકમપર ગામે વાડી વિસ્તારમાં રહેતી મહિલા કોઈ કારણોસર ઝેરી દવા પી ગઈ હતી જેથી તેને સારવાર માટે મોરબીની ખાનગી હોસ્પિટલમાં લઈને આવ્યા હતા જ્યાં તેને સારવાર આપ્યા બાદ આ બનાવની મોરબી તાલુકા પોલીસને જાણ કરી હતી

બનાવની જાણવા મળતી માહિતી પ્રમાણે મોરબી તાલુકાના ચકમપર ગામે મગનભાઈ પટેલની વાડીએ રહેતા ગંગાબેન વિદેશભાઈ વાઘલા (૨૧) નામની મહિલાએ કોઈ કારણોસર ઝેરી દવા પી લીધી હતી જેથી તેને ૧૦૮ મારફતે સારવાર માટે પ્રથમ જેતપર ગામે આવેલ સામૂહિક આરોગ્ય કેન્દ્ર ખાતે લઈને આવ્યા હતા ત્યાં તેને પ્રાથમિક સારવાર આપીને મહિલાને મોરબીની મંગલમ હોસ્પિટલે સારવાર માટે લઈને આવ્યા હતા અને ત્યાં તેને સારવાર આપીને મોરબી તાલુકા પોલીસને બનાવની જાણ કરતા પોલીસે બનાવી નોંધ કરી આગળની કાર્યવાહી કરેલ છે અને આગળની વધુ તપાસ જે.બી. પરમાર ચલાવી રહ્યા છે

અકસ્માતમાં ઇજા

મોરબી નજીકના જુના સાદુળકા ગામે રહેતા ધનુબેન ભરતભાઈ હળવદિયા (૪૯) નામના મહિલા બાઇકમાં પાછળ બેસીને પોતાના ઘરેથી ખેતર તરફ જઈ રહ્યા હતા ત્યારે રસ્તામાં કોઈ કારણોસર તે બાઈકમાંથી નીચે પડી જતા તેઓને ઇજા થઈ હતી જેથી તેને સારવાર માટે મોરબીની ખાનગી હોસ્પિટલમાં લઈ ગયા હતા અને ત્યાં તેને સારવાર આપ્યા બાદ આ બનાવની મોરબી તાલુકા પોલીસને જાણ કરતા પોલીસે બનાવની નોંધ કરી આગળની કાર્યવાહી હાથ ધરી હતી આ બનાવની વધુ તપાસ મોરબી તાલુકા પોલીસ સ્ટેશનના મનીષભાઈ બારૈયા ચલાવી રહ્યા છે

માર મારીમાં ઇજા

મોરબીના રફાળેશ્વર ગામે આંબેડકરનાગર રોડ ઉપર રહેતા ગોપાલસિંગ બલરામસિંગ (૧૮) નામના યુવાને રફાળેશ્વર મંદિર પાસે થયેલ મારામારીના બનાવમાં ઇજા થઈ હતી જેથી તેને તેના પિતા સારવાર માટે મોરબીની સિવિલ હોસ્પિટલ ખાતે લઈને આવ્યા હતા ત્યારે તેને સારવાર આપીને આ બનાવની મોરબી તાલુકા પોલીસને જાણ કરવામાં આવતા પોલીસે બનાવની નોંધ કરી આગળની કાર્યવાહી કરી છે અને આ બનાવની વધુ તપાસ મહેશભાઈ કહાંગરા ચલાવી રહ્યા છે

આરોપી પકડાયો

મોરબી તાલુકા પોલીસ સ્ટેશન ખાતે અકસ્માતનો ગુનો નોંધાયો હતો જે ગુનામાં મોરબી તાલુકા પીએસઆઇ બી.એમ. બગડા અને રાઇટર વાસુદેવભાઈ સોનાગ્રા દ્વારા આરોપી કમલેશપ્રસાદ શ્રીરાજભાણ પ્રસાદ (૪૨) રહે. મૂળ એમપી વાળાની ધરપકડ કરી આગળની કાર્યવાહી હાથ ધરવામાં આવી છે






Latest News