મોરબી: ઘુનડા ગામે સમસ્ત મચ્છુકાંઠા રબારી સમાજ યુવા સંગઠનનું સન્માન કરાયું મોરબીના ઘુંટુ ગામે પરેચા પરિવાર દ્વારા શ્રીમદ ભાગવત સપ્તાહનું આયોજન મોરબીના ખાનપર ગામે આવેલ કુમાર શાળામાં ધો.૮ નાં વિદ્યાર્થીઓનો વિદાય સમારોહ યોજાયો વાંકાનેર-ઠીકરીયાળા માર્ગ પર નવા માઇનર બ્રિજનું નિર્માણ શરૂ મોરબીમાં ડો. ભીમરાવ આંબેડકરની 135 મી જન્મજયંતિ નિમિત્તે ભવ્ય શોભાયાત્રાનું આયોજન મોરબીમાં વેલનાથ બાપુની પૂણ્યતીથી નીમીતે ભવ્ય શોભાયાત્રાનું આયોજન વાંકાનેર 108ની ટીમ બની 'દેવદૂત': ટેકનોલોજી-ત્વરિત નિર્ણયશક્તિથી નવજાત શિશુને આપ્યું નવજીવન મોરબીમાં પિતાની પુણ્યતિથિએ દીકરીએ કર્યું રક્તદાન કેમ્પનું આયોજન
Breaking news
Morbi Today

મોરબીના મહારાણા પ્રતાપ સર્કલ પાસે ખાડાના લીધે બાઇક સ્લીપ થતાં ઇજા પામેલા વૃદ્ધ સારવારમાં


SHARE











મોરબીના મહારાણા પ્રતાપ સર્કલ પાસે ખાડાના લીધે બાઇક સ્લીપ થતાં ઇજા પામેલા વૃદ્ધ સારવારમાં

મોરબીના મહારાણા પ્રતાપ સર્કલ પાસે રસ્તામાં આવેલ ખાડાના કારણે બાઇક સ્લીપ થઈ ગયું હતું જેથી કરીને બાઇક લઈને જઈ રહેલા વૃદ્ધ નીચે પટકાતાં તેને સારવાર માટે મોરબીની ખાનગી હોસ્પિટલમાં લઈને આવ્યા હતા અને ત્યાં તેને સારવાર આપીને આ બનાવની બી ડિવિઝન પોલીસને જાણ કરતા પોલીસ આગળની કાર્યવાહી હાથ ધરી છે

જાણવા મળતી માહિતી મુજબ મોરબીના સામાકાંઠા વિસ્તારમાં નજરબાગ રોડ ઉપર આવેલ રાજ સોસાયટીમાં રહેતા અરૂણભાઇ રઘુનાથભાઈ (૫૬) નામના વૃદ્ધ બાઈક લઈને મોરબીના મહારાણા પ્રતાપ સર્કલ પાસેથી પસાર થઈ રહ્યા હતા ત્યારે રસ્તામાં ખાડાના કારણે અકસ્માતનો બનાવ બનેલ હતો અને આ બનાવમાં અરૂણભાઇને ઇજાઓ થઈ હતી જેથી કરીને તેને મોરબીની ખાનગી હોસ્પિટલમાં સારવાર માટે લાવ્યા હતા ત્યાં તેને સારવાર આપીને આ બનાવની હોસ્પિટલ મારફતે મોરબી બી ડિવિઝન પોલીસને જાણ કરવામાં આવતા પોલીસે બનાવની નોંધ કરી આગળની કાર્યવાહી કરેલ છે અને વધુ તપાસ જે.જે. ડાંગર ચલાવી રહ્યા છે

અકસ્માત

મોરબીના વેજીટેબલ રોડ ઉપર ભીમસર પાસે રહેતા દિનેશભાઈ ગગજીભાઈ કુંઢીયા (૪૫) નામનો યુવાન જૂની એસપી ઓફિસ પાસેથી પસાર થઈ રહ્યો હતો ત્યારે વાહન અકસ્માતના બનવામાં તેને ઈજા થવાથી ઇજાગ્રસ્તને સારવાર માટે મોરબીની સિવિલ હોસ્પિટલ ખાતે લઈને આવ્યા હતા અને ત્યાં તેને સારવાર આપ્યા બાદ આ બનાવની મોરબી બી ડિવિઝન પોલીસને જાણ કરતા પોલીસે બનાવાની નોંધ કરી આગળની કાર્યવાહી હાથ ધરી છે

માર માર્યો

મોરબીના ઘુટુ રોડ ઉપર આવેલ સિલ્વર સોસાયટીમાં મારામારીનો બનાવ બન્યો હતો જેમાં મુનું દિનેશકુમાર પાંડે (૨૮) નામના યુવાનને ઇજા થઈ હતી જેથી યુવાનને સારવાર માટે મોરબીની સિવિલ હોસ્પિટલ ખાતે લઈને આવ્યા હતા ત્યાં તેને સારવાર આપીને આ બનાવની મોરબી બી ડિવિઝન પોલીસને જાણ કરતા પોલીસે બનાવી નોંધ કરી આગળની કાર્યવાહી હાથ ધરી હતી આ બનાવની વધુ તપાસ વી.કે. ચાવડા ચલાવી રહ્યા છે

અકસ્માત

જામનગર જિલ્લાના જોડિયા તાલુકાના કોઠારીયા ગામના રહેવાસી જયાબેન દેવજીભાઈ રેસિયા (૩૦) નામની મહિલા રીક્ષામાં બેસીને જીવાપર આમરણ રોડ ઉપરથી પસાર થઈ રહ્યા હતા ત્યારે રિક્ષા અને કાર વચ્ચે અકસ્માતનો બનાવ બન્યો હતો જેમાં જયાબેનને ઇજાઓ થઇ હોવાથી તેને સારવાર આપીને આ બનાવની મોરબી તાલુકા પોલીસને જાણ કરતા પોલીસે બનાવની નોંધ કરી આગળની કાર્યવાહી કરેલ છે અને વધુ તપાસ ફિરોજભાઈ સુમરા ચલાવી રહ્યા છે






Latest News