મોરબીની ત્રાજપર ચોકડી પાસેથી 49.380 ગ્રામ મેફેડ્રોન ડ્રગ્સના જથ્થા સાથે એક શખ્સ ઝડપાયો: 1.53 લાખનો મુદ્દામાલ કબજે વાંકાનેરના સમથેરવા ગામે એક કરોડના અનુદાનથી આધુનિક સુવિધાઓથી સજ્જ પ્રાથમિક શાળા માટે MOU કરાયા માળીયા (મી)ના ભોળીપાટ વાંઢ વિસ્તારમાં શાળાના બે રૂમ બનાવવા માટે ૧૩૦૦ ચો.મી.જમીન આપનારા દાતાનુ કરાયું સન્માન મોરબી નજીકના રવાપર ગામે રોડ વચ્ચે કરવામાં આવેલ ખાડામાં સ્કૂટર સહિત માતા-પુત્રી પડ્યા: કોઈ જાનહાનિ નહી મોરબી નજીકના મહેન્દ્રનગર ગામેથી યુવતી ગુમ મોરબી જવાહર નવોદય વિદ્યાલયમાં ધો. ૧૧ (વિજ્ઞાન-વાણિજ્ય પ્રવાહ) માં પ્રવેશ માટે ૨૫ જૂન સુધીમાં અરજી કરી શકાશે મોરબી જીલ્લામાં બાળકોના સર્વાંગી પોષણ અને ઉજ્જવળ ભવિષ્યનો મજબૂત સ્તંભ એટલે પીએમ પોષણ યોજના મોરબી: સેના-પોલીસ ભરતી પૂર્વેની વિનામૂલ્યે નિવાસી તાલીમ માટે મોરબી જિલ્લાના યુવાનોએ ૩૦ જૂન સુધીમાં અરજી કરવી
Breaking news
Morbi Today

મોરબીની ગીતાંજલી વિદ્યાલય-વાંકાનેરના ભીમગુડા ગામની શાળામાં ગીતા જયંતિ ઉજવાઇ


SHARE











મોરબીની ગીતાંજલી વિદ્યાલય-વાંકાનેરના ભીમગુડા ગામની શાળામાં ગીતા જયંતિ ઉજવાઇ

વાંકાનેરના ભીમગુડા પ્રાથમિક શાળામાં એક અનોખી પહેલ કરવામાં આવી હતી અને ગીતા જયંતિ નિમિતે શાળાના આચાર્ય રાકેશભાઇ રાઠોડ દ્રારા કાર્યક્રમ યોજાયો હતો જેની માહિતી આપતા આચાર્યએ જણાવ્યુ હતું કે, શાળામાં અભ્યાસ કરતા બાળકોએ શિક્ષણમાં પ્રગતિ કરી છે એવા ૨૦ બાળકોને શ્રીમદ ભાગવત ગીતા શાળાના સંસ્કૃતવિદ શિક્ષક પ્રફુલકુમાર હરિયાણીના સૌજન્યથી ધર્મ અને કર્મથી જ્ઞાત થાય તે હેતુસર આપીને બાળકોનું સન્માન કરવામાં આવ્યું હતુ. તેમજ ગીતાંજલી વિદ્યાલય-મોરબી ખાતે ગીતા જયંતિ નિમિતે ભવ્ય ઉજવણી કરવામાં આવી.જેમાં ૧૦૮ ભગવદગીતાનું ૧૦૮ દિવડાઓ પ્રગટાવી પુજન કરવામાં આવ્યું હતું આ વિદ્યાર્થી અને શિક્ષકો દ્વારા ગીતાના શ્લોકનું ગાન કરવામાં આવ્યુ હયું તેમજ આ દિવસનું અને ગીતાનું આપણી જીવનશૈલીમાં શું મહત્વ છે તે વિદ્યાર્થીઓને સમજાવવામાં આવ્યું હતુ.






Latest News