મોરબીમાં દેણું વધી જતા ગુમ થયેલુ દંપતિ હેમખેમ ઘેર પરત ફર્યું, વજેપર, શનાળા, સિપાઈવાસ, પંચાસર રોડ પરથી દારૂ ઝડપાયો મોરબી કબીર ટેકરીમાં સસ્તા અનાજની દુકાન બંધ થતા સ્થાનિકોને રીક્ષા ભાડા ખર્ચી દુર જવું પડે છે લોકોની હાલાકી અંગે કોર્પોરેટરે કરી જિલ્લા કલેકટરને રજુઆત ભારતમાં મુસ્લિમોની વસ્તી અટકાવવા ત્રીજુ સંતાન થાય તો સરકારી અનાજ, શાળામાં પ્રવેશ, મેડિકલ સારવાર, બેંક લોન અને વોટ આપવાનો અધિકાર બંધ કરો: પ્રવીણ તોગડિયા મોરબી શહેર ભાજપમાં ઉપપ્રમુખ-મંત્રીઓની વરણી કરાઇ મોરબીના ખાનપર ગામે ઘરના ફળિયામાં પડી જતાં ઇજા પામેલા યુવાનનું મોત: સાપર નજીક કારખાનામાં ઇલેક્ટ્રીક શૉટ લગતા યુવાનનું મોત મોરબીની અણીયારી ચોકડી પાસે 2 ભેંસ-2 પાડાને કતલખાને લઈએ જતી બોલેરો સાથે બે શખ્સને ગૌરક્ષકોએ પકડ્યા વાંકાનેરના જોધપર ગામે છોકરાઓના રમવા બાબતે મહિલા અને તેની દીકરીને 4 મહિલા સહિત 6 લોકોએ માર માર્યો આજે તો તું બચી ગયો હવે ભેગો થઈશ તો પાડી દેશું: વાંકનેરના રાજાવડલા ગામે યુવાનને તેના બે ભાઈ-ભાભીઓએ આપી ધમકી
Breaking news
Morbi Today

મોરબીના બગથળા ગામે હાઈસ્કૂલના ભૂતપૂર્વ વિદ્યાર્થીઓ દ્વારા ગુરુવંદના-સ્નેહમિલનનું આયોજન


SHARE







મોરબીના બગથળા ગામે હાઈસ્કૂલના ભૂતપૂર્વ વિદ્યાર્થીઓ દ્વારા ગુરુવંદના-સ્નેહમિલનનું આયોજન

મોરબી તાલુકાના બગથળા ગામમાં વર્ષ ૧૯૫૯ હાઈસ્કૂલની સ્થાપના થઇ હતી જે હાઈસ્કૂલના જૂની એસ.એસ.સી. વર્ષ ૧૯૭૫/૭૬ ની બેચના ૧૦૦ જેટલા ભૂતપૂર્વ વિદ્યાર્થીઓ અને વિદ્યાર્થીનીઓ દ્વારા ૪૭ વર્ષ બાદ ફરી ભેગા મળીને ગુરૂ વંદના અને સ્નેહમિલન કાર્યક્રમનું આયોજન કરેલ છે

મોરબીના બગથળા ગામે ગુરુવંદના અને સ્નેહમિલનનો કાર્યક્રમ તા. ૧૭ ને રવિવારના રોજ શ્રી પટેલ સમાજવાડી, બગથળા ખાતે યોજાશે જે સમારોહના અધ્યક્ષસ્થાને હાઈસ્કૂલના ભૂતપૂર્વ આચાર્ય ત્રયંબકભાઈ પંડ્યા ઉપસ્થિત રહેશે અને ભૂતપૂર્વ આચાર્ય અને બગથળા શ્રી નકલંક મંદિરના મહંત શ્રી દામજી ભગતના હસ્તે દીપ પ્રાગટ્ય કરીને કાર્યક્રમ શરુ કરવામાં આવશે આ ગુરૂવંદના કાર્યક્રમમાં જેને જીવતરને શીખવ્યું, કેળવ્યું અને શિસ્તના પાઠ શીખવ્યા એવા ગુરૂજનોને વિશિષ્ઠ રીતે સ્વાગત અને સન્માન કરવામાં આવશે સાથે જ સ્વર્ગસ્થ શિક્ષકો તેમજ સહાધ્યાયીઓને શ્રદ્ધા સુમન અર્પણ કરવામાં આવશે જેને પાયાની કેળવણી આપી છે તેવા પ્રાથમિક શાળાના શિક્ષકો અને ગામના દીર્ઘદ્રષ્ટા વડીલોનું રૂજ્જું સ્મરણ કરી, તેઓશ્રીને પણ શ્રદ્ધાંજલિ આપવામાં આવશે ગુરુને પણ ગુરુઓનું સન્માન કરવાનો અવસર પ્રાપ્ત થશે તેમજ ત્રણ-ત્રણ પેઢીના ગુરૂજીઓ અને વિદ્યાર્થીઓ એક જ મંચ પર જોવા મળશે અને ૪૭ વર્ષ બાદ યોજાતા કાર્યક્રમમાં શાળા જીવનની યાદ તાજી કરવા અને શાળાના સંસ્મરણોને વાગોળવા તેમજ વિશિષ્ટ કાર્યક્રમમાં સહભાગી બનવા બધા જ વિદ્યાર્થીઓ ઉત્સાહિત છે આ કાર્યક્રમને સફળ બનાવવા માટે રતનજીભાઇ પડસુંબીયા (મો.૮૧૬૦૧ ૩૪૦૧૧), સરોજબેન મારવાણીયા અને અન્ય વિદ્યાર્થીઓની ટીમ જહેમત ઉઠાવી રહી છે






Latest News