મોરબીમાં દેણું વધી જતા ગુમ થયેલુ દંપતિ હેમખેમ ઘેર પરત ફર્યું, વજેપર, શનાળા, સિપાઈવાસ, પંચાસર રોડ પરથી દારૂ ઝડપાયો મોરબી કબીર ટેકરીમાં સસ્તા અનાજની દુકાન બંધ થતા સ્થાનિકોને રીક્ષા ભાડા ખર્ચી દુર જવું પડે છે લોકોની હાલાકી અંગે કોર્પોરેટરે કરી જિલ્લા કલેકટરને રજુઆત ભારતમાં મુસ્લિમોની વસ્તી અટકાવવા ત્રીજુ સંતાન થાય તો સરકારી અનાજ, શાળામાં પ્રવેશ, મેડિકલ સારવાર, બેંક લોન અને વોટ આપવાનો અધિકાર બંધ કરો: પ્રવીણ તોગડિયા મોરબી શહેર ભાજપમાં ઉપપ્રમુખ-મંત્રીઓની વરણી કરાઇ મોરબીના ખાનપર ગામે ઘરના ફળિયામાં પડી જતાં ઇજા પામેલા યુવાનનું મોત: સાપર નજીક કારખાનામાં ઇલેક્ટ્રીક શૉટ લગતા યુવાનનું મોત મોરબીની અણીયારી ચોકડી પાસે 2 ભેંસ-2 પાડાને કતલખાને લઈએ જતી બોલેરો સાથે બે શખ્સને ગૌરક્ષકોએ પકડ્યા વાંકાનેરના જોધપર ગામે છોકરાઓના રમવા બાબતે મહિલા અને તેની દીકરીને 4 મહિલા સહિત 6 લોકોએ માર માર્યો આજે તો તું બચી ગયો હવે ભેગો થઈશ તો પાડી દેશું: વાંકનેરના રાજાવડલા ગામે યુવાનને તેના બે ભાઈ-ભાભીઓએ આપી ધમકી
Breaking news
Morbi Today

મોરબીના સામાકાંઠા વિસ્તારમાં રહેતા પરિવારની સગીરાનું અપહરણ


SHARE







મોરબીના સામાકાંઠા વિસ્તારમાં રહેતા પરિવારની સગીરાનું અપહરણ

મોરબીના સામાકાંઠા વિસ્તારમાં રહેતા પરિવારની સગીરવયની દીકરીનું લગ્નની લાલચે લલચાવી ફોસલાવીને અપહરણ કરી જવામાં આવેલ હોય ભોગ બનેલ સગીરાના પિતા દ્વારા ફરિયાદ નોંધાવવામાં આવતા હાલ પોલીસ દ્વારા ગુના નોંધીને આગળની તપાસ હાથ ધરવામાં આવેલ છે.

મોરબીના સામાકાંઠે આવેલ સોસાયટી વિસ્તારમાં રહેતા પરપ્રાંતીય મજુર પરિવારની સગીર વયની દીકરીનું લગ્નની લાલચ આપીને લલચાવી ફોસલાવીને બદકામના ઇરાદે ત્રાજપર ચોકડી પાસે આવેલ ગોડાઉન નજીકથી તા.૨૪-૧૧ ના બપોરના ૩:૩૦ વાગ્યાના અરસામાં અપહરણ કરી જવામાં આવેલું હોય હાલ ભોગ બનેલ સગીરાના પિતા દ્વારા મોરબી સીટી બી ડિવિઝન પોલીસ મથક ખાતે સામેવાળા લખન ગોરધન ખારીવાલ રહે.જોઠાવત જિલ્લો ઉજ્જૈન મધ્યપ્રદેશ વાળાની સામે ફરીયાદ નોંધવામાં આવતા સીટી બી ડિવિઝન પોલીસ મથકના પીઆઇ પી.એ.દેકાવાડિયા દ્વારા આઇપીસી કલમ ૩૬૩, ૩૬૬ મુજબ લખન ખારીવાલ સામે ફરિયાદ નોંધીને ભોગ બનેલ સગીરાને શોધવા અને આરોપીને પકડવાની તજવીજ શરૂ કરવામાં આવી હોવાનું સૂત્રોમાંથી જાણવા મળેલ છે.

વાહન અકસ્માતના બનાવમાં આરોપીની ધરપકડ

મોરબી તાલુકા પોલીસ સ્ટેશનની હદમાં ઉમિયા હોટલ પાસે વાહન અકસ્માતનો બનાવ બન્યો હતો.જે બનાવની અંદર કિશનભાઇ ખાંભળીયા નામના યુવાનનું મત નિપજ્યું હતું અને તે બનાવ સંદર્ભે કાનજી પોલાભાઈ ખાંભળીયાએ તાલુકા પોલીસ સ્ટેશન ખાતે ફરિયાદ નોંધાવી હતી.જેની તપાસ દરમિયાન તાલુકા પોલીસ મથકના પીએસઆઇ જે.એલ.ઝાલા દ્વારા વાહન અકસ્માત સર્જીને યુવાનનું મોત નિપજાવનાર વાહન ચાલક અબ્બાસ અલ્લારખા મોવર (૩૩) રહે. શક્તિનગર ટીંબડી પાટીયા પાસે મૂળ ધાંગધ્રા સોમનાથ મંદિર પાસે વાળાની આઈપીસી કલમ ૩૦૪(અ) હેઠળ ધરપકડ કરી હતી.

વાહન અકસ્માતમાં ઈજા

મોરબી તાલુકાના જૂના ખારચિયા ગામે રહીને મજૂરી કામ કરતો અમૃત પ્રેમજીભાઈ રાઠવા નામનો ૨૬ વર્ષનો યુવાન મોરબીના ખાખરાળા ગામની પાસેથી જતો હતો ત્યારે ત્યાં રોડ ઉપર તેને વાહન અકસ્માતના બનાવમાં ઇજાઓ થતા ૧૦૮ વડે સારવાર માટે દવાખાને લઈ જવામાં આવ્યો હતો અને સિવિલ હોસ્પિટલ ખાતે સારવારમાં ખસેડાયો હોય તાલુકા પોલીસ દ્વારા નોંધ કરી તપાસ હાથ ધરવામાં આવી હતી.

યુવાન સારવારમાં

મોરબીના જેતપર-પીપળી રોડ ઉપર આવેલ વેલઝા સીરામીક નજીક રહીને મજૂરી કામ કરતો કમલ ભીમબહાદુર થાપા નામનો ૪૩ વર્ષનો યુવાન સોમનાથ પેટ્રોલ પંપ નજીકથી બાઈક લઈને જતો હતો ત્યાં રસ્તામાં તેનું બાઈક સ્લીપ થઈ જતા સર્જાયેલ અકસ્માતમાં તેને ઈજા થતા ખાનગી હોસ્પિટલે સારવાર માટે લઈ જવાયો હતો અને તાલુકા પોલીસમાં જાણ થતા તાલુકા પોલીસ મથકના જે.બી.પરમાર દ્વારા નોંધ કરી તપાસ કરવામાં આવી હતી.






Latest News