મોરબીની ઓમ શાંતિ વિદ્યાલયમાં શહીદ દિવસ નિમિત્તે પુષ્પાંજલિનો કાર્યક્રમ યોજાયો મોરબીની જીલોટ બોલ્ટ ઇન્ડસ્ટ્રીઝમાં ઓઇલનું બેરલ વેડિંગ વડે કાપતા સમયે દાઝી ગયેલ મજૂરનું સારવાર દરમિયાન મોત  રાજ્ય મંત્રી અને મોરબીના લોકલાડીલા ધારાસભ્ય કાંતિભાઈ અમૃતિયાના દિર્ધાયું માટે કામના કરનારા દેવતુલ્ય મતદારો-ટેકેદારોને મળવા માટે રેલી-સભાનું આયોજન મોરબી મહાપાલિકાની ચુંટણીમાં રાજકીય પક્ષોમાંથી મહિલાઓ નહીં બ્રહ્મ સમાજના પુરુષ આગેવાનોને જ ટિકિટ જોઈએ: આગેવાનોનો એક જ સૂર મોરબીમાં સગીરાની છેડતી કરનારને અભયમ ટીમે કાયદાનો પાઠ ભણાવ્યો મોરબી જિલ્લાની ૯,૫૦૦ દીકરીઓને કેન્સરમુક્ત ભવિષ્ય આપવા વહીવટી તંત્ર સજ્જ; નિષ્ણાત તબીબોએ અફવાઓથી દૂર રહી રસી અપાવવા કરી અપીલ ગાંધીનગર ખાતે મંત્રી કમલેશભાઈ પટેલ હસ્તે મોરબી જિલ્લાના હોમગાર્ડ્ઝ કમાન્ડન્ટ દીપ પટેલનું કરાયું  સન્માન ટંકારા ખાતે ૨૭ માર્ચે ઔદ્યોગિક ભરતી મેળો યોજાશે
Breaking news
Morbi Today

જેરામભાઈએ નૈતિકતાના ધોરણે ઉમિયાધામ સીદસરના પ્રમુખ પદેથી રાજીનામુ આપવું જોઈએ: મનોજ પનારા


SHARE











જેરામભાઈએ નૈતિકતાના ધોરણે ઉમિયાધામ સીદસરના પ્રમુખ પદેથી રાજીનામુ આપવું જોઈએ: મનોજ પનારા

તાજેતરમાં વાંકાનેરના વઘાસિયા ટોલનાકની બાજુમાં બોગસ ટોલનાકુ ઊભું કરીને ઉઘરાણા કરવામાં આ હતા તેની ફરિયાદ નોંધાયેલ છે જેમાં ઉમિયાધામ સીદસરના પ્રમુખ જેરામભાઈ વાસજાળીયાના દીકરાનું નામ પણ આરોપી તરીકે છે ત્યારે મોરબીમાં રહેતા પાસ અને કોંગ્રેસના આગેવાન મનોજ પનારાએ જેરામભાઈએ નૈતિકતાના ધોરણે ઉમિયાધામ સીદસરના પ્રમુખ પદેથી રાજીનામું મૂકવું જોઈએ તેવી લાગણી વ્યક્ત કરીને તેઓના રાજીનામાની માંગ કરેલ છે

મોરબીમાં રહેતા પાસ અને કોંગ્રેસના આગેવાન મનોજ પનારાએ સોશ્યલ મીડિયામાં તેનો એક વિડીયો અપલોડ કરેલ છે જેમાં તેને જણાવ્યુ છે કે, વઘાસિયાના બોગસ ટોલનાકા પ્રકરણમા ઉમિયાધામ સીદસર પ્રમુખ જેરામભાઈ વાસજાળીયાના દીકરા અમરસીભાઈનું નામ છે અને તેના સહિત કુલ પાંચ વ્યક્તિઓની સામે ફરિયાદ નોંધાયેલ છે ત્યારે જેરામભાઈએ નૈતિકતાના ધોરણે પોતાના પદ ઉપરથી રાજીનામુ આપવું જોઈએ તેવી લાગણી વ્યક્ત કરીને તેના રાજીનામાંની માંગ કરી છે વધુમાં મનોજ પનારાએ જણાવ્યું છે કે, જેરામભાઈ વાસજાળીયા લાંબા સમયથી પ્રમુખ પદે છે અને સમાજમાં તેનો આંતરિક વિરોધ પણ છે અને પાટીદાર અનામત આંદોલન સમયે પણ જેરામભાઈની વરવી ભૂમિકા રહી હતી જેથી કરીને હાલમાં જેરામભાઈએ પોતાના પદ ઉપરથી સ્વૈચ્છીક રીતે રાજીનામુ આપવું જોઈએ અને યુવાનોને સમાજનું પ્રતિનિધિત્વ કરવા માટેની તક આપવી જોઈએ તેવી લાગણી વ્યક્ત કરી છે






Latest News