ડીઝલના ધાંધિયા શરૂ: મોરબી જિલ્લામાં નાયરાના મોટાભાગના પંપ ઉપર ડીઝલનું વેચાણ બંધ, સરકારી પેટ્રોલ પંપ ઉપર પણ ડીઝલનો જથ્થો મર્યાદિત ટંકારાના રાજ્ય એવોર્ડી શિક્ષિકા જીવતીબેન પીપલિયાના ત્રણ પુસ્તકનું ભવ્ય અનાવરણ મોરબીમાં રવિવારથી ભાણદેવજી મહારાજની શ્રીમદ ભાગવત સપ્તાહનો પ્રારંભ મોરબીના હાર્દ સમાન મુખ્ય ત્રણ માર્ગો ઉપર ભારે વાહનોની પ્રવેશબંધી: બે માર્ગને વન-વે જાહેર કરાયા ચોંકાવનારો કિસ્સો: મોરબીમાં મકાન ભાડાના પૈસાના બદલે પત્ની-પુત્રીને દુષ્કર્મમાં ધકેલતા નરાધમ સહિત બે ની ધરપકડ, એકની શોધખોળ મોરબીમાં શંકાસ્પદ બાઇક સાથે એક શખ્સ પકડાયો મોરબી નજીક યુવાનના લમણે એરગન મૂકીને 1.60 લાખના મુદ્દામાલની લૂંટના કરવાના ગુનામાં યુપીમાં 21 ગુનામાં સંડોવાયેલ રીઢા આરોપીની ધરપકડ હળવદ તાલુકામાં કરવામાં આવેલ કરોડો રૂપિયાની સરકારી જમીનના કૌભાંડમાં વધુ એક આરોપીની ધરપકડ
Breaking news
Morbi Today

જેરામભાઈએ નૈતિકતાના ધોરણે ઉમિયાધામ સીદસરના પ્રમુખ પદેથી રાજીનામુ આપવું જોઈએ: મનોજ પનારા


SHARE











જેરામભાઈએ નૈતિકતાના ધોરણે ઉમિયાધામ સીદસરના પ્રમુખ પદેથી રાજીનામુ આપવું જોઈએ: મનોજ પનારા

તાજેતરમાં વાંકાનેરના વઘાસિયા ટોલનાકની બાજુમાં બોગસ ટોલનાકુ ઊભું કરીને ઉઘરાણા કરવામાં આ હતા તેની ફરિયાદ નોંધાયેલ છે જેમાં ઉમિયાધામ સીદસરના પ્રમુખ જેરામભાઈ વાસજાળીયાના દીકરાનું નામ પણ આરોપી તરીકે છે ત્યારે મોરબીમાં રહેતા પાસ અને કોંગ્રેસના આગેવાન મનોજ પનારાએ જેરામભાઈએ નૈતિકતાના ધોરણે ઉમિયાધામ સીદસરના પ્રમુખ પદેથી રાજીનામું મૂકવું જોઈએ તેવી લાગણી વ્યક્ત કરીને તેઓના રાજીનામાની માંગ કરેલ છે

મોરબીમાં રહેતા પાસ અને કોંગ્રેસના આગેવાન મનોજ પનારાએ સોશ્યલ મીડિયામાં તેનો એક વિડીયો અપલોડ કરેલ છે જેમાં તેને જણાવ્યુ છે કે, વઘાસિયાના બોગસ ટોલનાકા પ્રકરણમા ઉમિયાધામ સીદસર પ્રમુખ જેરામભાઈ વાસજાળીયાના દીકરા અમરસીભાઈનું નામ છે અને તેના સહિત કુલ પાંચ વ્યક્તિઓની સામે ફરિયાદ નોંધાયેલ છે ત્યારે જેરામભાઈએ નૈતિકતાના ધોરણે પોતાના પદ ઉપરથી રાજીનામુ આપવું જોઈએ તેવી લાગણી વ્યક્ત કરીને તેના રાજીનામાંની માંગ કરી છે વધુમાં મનોજ પનારાએ જણાવ્યું છે કે, જેરામભાઈ વાસજાળીયા લાંબા સમયથી પ્રમુખ પદે છે અને સમાજમાં તેનો આંતરિક વિરોધ પણ છે અને પાટીદાર અનામત આંદોલન સમયે પણ જેરામભાઈની વરવી ભૂમિકા રહી હતી જેથી કરીને હાલમાં જેરામભાઈએ પોતાના પદ ઉપરથી સ્વૈચ્છીક રીતે રાજીનામુ આપવું જોઈએ અને યુવાનોને સમાજનું પ્રતિનિધિત્વ કરવા માટેની તક આપવી જોઈએ તેવી લાગણી વ્યક્ત કરી છે






Latest News