મોરબીમાં દારૂ પીને મંદિર પાસે આવવાની ના કહેતા યુવાનને બે શખ્સોએ ટાઇલ્સના ટુકડા અને પટા વડે માર માર્યો
SHARE
મોરબીમાં દારૂ પીને મંદિર પાસે આવવાની ના કહેતા યુવાનને બે શખ્સોએ ટાઇલ્સના ટુકડા અને પટા વડે માર માર્યો
મોરબીમાં જેલ રોડ ઉપર આવેલ વણકરવાસ વિસ્તારમાં મંદિર પાસે દારૂ પીને આવેલા શખ્સોને દારૂ પીને મંદિરે આવવાની યુવાને ના પાડી હતી જેથી બે શખ્સોએ યુવાન સાથે બોલાચાલી કરી હતી અને ત્યાર બાદ ટાઇલ્સના ટુકડા વડે છાતીના ભાગે માર માર્યો હતો અને માથામાં તથા વાસાના ભાગે પટા વડે માર મારીને ઇજા કરી હતી અને જાનથી મારી નાખવાનું ધમકી આપી હતી જેથી ઇજા પામેલા યુવાનને સારવારમાં ખસેડાયો હતો અને ત્યાં યુવાનને માથામાં ત્રણ ટાંકા આવ્યા હતા અને યુવાનને જાનથી મારી નાખવાની ધમકી આપવામાં આવેલ છે આ બનાવ સંદર્ભે યુવાને નોંધાવેલ ફરિયાદ આધારે પોલીસે ગુનો નોંધીને આરોપીઓને પકડવા માટે તજવીજ શરૂ કરેલ છે.
મોરબીના જેલ રોડ ઉપર આવેલ વણકરવાસ વિસ્તારમાં રહેતા નરેશભાઈ ઉર્ફે નિલેશભાઈ ધનજીભાઈ મકવાણા (23)એ હાલમાં એ ડિવિઝન પોલીસ સ્ટેશન ખાતે પભી તથા ભરત રહે. બંને વાલ્મીકિવાસ જેલ રોડ મોરબી વાળાની સામે ફરિયાદ નોંધાવેલ છે જેમાં જણાવ્યું છે કે વણકરવાસમાં હનુમાનજીના મંદિર પાસે તેનું ઘર આવેલું છે અને ત્યાં આરોપીઓ અવારનવાર દારૂ પીધેલી હાલતમાં આવતા હોય ગત તા. 12/5 ના રોજ રાત્રિના દસેક વાગ્યાના અરસામાં દારૂ પીધેલી હાલતમાં આરોપીઓ ત્યાં આવ્યા હતા જેથી ફરિયાદી અને તેના મિત્રોએ દારૂ પીને ત્યાં આવવાની આરોપીઓને ના પાડી હતી જેથી પભી અને ભરતે ફરિયાદી સાથે બોલાચાલી કરી હતી અને તેને ગાળો આપીને ઝઘડો કર્યો હતો અને પબીએ ટાઇલ્સના ટુકડાનો છૂટો ઘા કરીને છાતીમાં ઇજા કરી હતી તેમજ વાસા અને માથાના ભાગે પટા વડે માર મારીને જાનથી મારી નાખવાની ધમકી આપી હતી જેથી યુવાનને સારવારમાં લઈ ગયા હતા ત્યાં તેને માથામાં ત્રણ ટાંકા આવ્યા હતા અને સારવાર લીધા બાદ યુવાને નોંધાવેલ ફરિયાદ આધારે પોલીસે બે શખ્સની સામે ગુનો નોંધીને આરોપીને પકડવા માટે તજવીજ શરૂ કરેલ છે