ડીઝલના ધાંધિયા શરૂ: મોરબી જિલ્લામાં નાયરાના મોટાભાગના પંપ ઉપર ડીઝલનું વેચાણ બંધ, સરકારી પેટ્રોલ પંપ ઉપર પણ ડીઝલનો જથ્થો મર્યાદિત ટંકારાના રાજ્ય એવોર્ડી શિક્ષિકા જીવતીબેન પીપલિયાના ત્રણ પુસ્તકનું ભવ્ય અનાવરણ મોરબીમાં રવિવારથી ભાણદેવજી મહારાજની શ્રીમદ ભાગવત સપ્તાહનો પ્રારંભ મોરબીના હાર્દ સમાન મુખ્ય ત્રણ માર્ગો ઉપર ભારે વાહનોની પ્રવેશબંધી: બે માર્ગને વન-વે જાહેર કરાયા ચોંકાવનારો કિસ્સો: મોરબીમાં મકાન ભાડાના પૈસાના બદલે પત્ની-પુત્રીને દુષ્કર્મમાં ધકેલતા નરાધમ સહિત બે ની ધરપકડ, એકની શોધખોળ મોરબીમાં શંકાસ્પદ બાઇક સાથે એક શખ્સ પકડાયો મોરબી નજીક યુવાનના લમણે એરગન મૂકીને 1.60 લાખના મુદ્દામાલની લૂંટના કરવાના ગુનામાં યુપીમાં 21 ગુનામાં સંડોવાયેલ રીઢા આરોપીની ધરપકડ હળવદ તાલુકામાં કરવામાં આવેલ કરોડો રૂપિયાની સરકારી જમીનના કૌભાંડમાં વધુ એક આરોપીની ધરપકડ
Breaking news
Morbi Today

મોરબીમાં રવિવારથી ભાણદેવજી મહારાજની શ્રીમદ ભાગવત સપ્તાહનો પ્રારંભ


SHARE











મોરબીમાં રવિવારથી ભાણદેવજી મહારાજની શ્રીમદ ભાગવત સપ્તાહનો પ્રારંભ

મોરબીમાં પવિત્ર અધિક માસ નિમિત્તે સુપ્રસિદ્ધ વક્તા ભાણદેવજીના વ્યાસપીઠે શ્રીમદ ભાગવત સપ્તાહ જ્ઞાનયજ્ઞનું ભવ્ય આયોજન કરવામાં આવ્યું છે. જેથી કરીને મોરબી અને આસપાસના વિસ્તારની ધર્મપ્રેમી જનતાને તે કથાનો લાભ લેવા માટે આયોજકોએ અનુરોધ કર્યો છે.

મોરબીના કેનાલ રોડ પર આવેલા રામોજી ફાર્મ ખાતે સુપ્રસિદ્ધ વક્તા ભાણદેવજીની કથાનું આયોજન કરવામાં આવ્યું છે ત્યારે અધિક માસના પુણ્યશાળી દિવસોમાં યોજાનારી આ કથામાં તેઓ પોતાની આગવી શૈલીમાં શ્રોતાઓને રસપાન કરાવશે. આ કથાનો પ્રારંભ તા. ૧૭/૦૫/૨૦૨૬, રવિવારથી થશે અને તા.૨૩/૦૫/૨૦૨૬ શનિવારના રોજ ક્થા વિરામ થશે. આ કથામાં ભક્તો ભક્તિનો આનંદ માણી શકે તે હેતુથી ક્થાનો સમય રાત્રે ૮:૩૦ થી ૧૧:૩૦ રાખવામાં આવ્યો છે. જેથી આ જ્ઞાનયજ્ઞનો લાભ લેવા માટે આયોજકો દ્વારા સમસ્ત મોરબીવાસીઓને આમંત્રણ આપવામાં આવ્યું છે અને આ આયોજનને સફળ બનાવવા માટે સેવાભાવી કાર્યકરો જહેમત ઉઠાવી રહ્યા છે. કથાની વધુ માહિતી માટે મગનભાઈ ગામી (૯૯૨૫૭ ૨૭૧૭૬) તથા મગનભાઈ જેઠલોજા (૯૪૦૮૯ ૩૯૨૭૧) નો સંપર્ક કરવા જણાવ્યુ છે.






Latest News