મોરબી જિલ્લા કમલમ ખાતે પ્રભારી મંત્રીની હાજરીમાં ચૂંટણી લક્ષી બેઠક યોજાઈ મોરબીમાં શનિવારે ખાખરેચી દરવાજે આવેલ શ્રી લીલા લીમડાવાળી મેલડીનો નવરંગ માંડવો યોજાશે જય શ્રી રામના નારા સાથે મોરબીમાં રામ નવમીના દિવસે સમગ્ર હિન્દુ સમાજ અને વિવિધ સંગઠનો ભવ્ય શોભાયાત્રા યોજાઇ મોરબીના જલારામ ધામ ખાતે ભગવાન રામનું પૂજન, મહાઆરતી અને મહાપ્રસાદનો કાર્યક્રમ યોજાયો મોરબી મહાપાલિકાની 12 બેઠકો ઉપર કોંગ્રેસના સત્તાવાર ઉમેદવારોના નામ જાહેર કરાયા, જો સત્તા ઉપર કોંગ્રેસ આવશે તો કૌભાંડીયાઓ થશે જેલ ભેગા: પુષ્પરાજસિંહ જાડેજા મોરબી જિલ્લામાં LCB, SOG તેમજ જુદાજુદા પોલીસ સ્ટેશનમાંથી કુલ 12 પીએની બદલી, નવા 6 મુકાયા મોરબીમાં મુસ્કાન વેલ્ફેર સોસાયટીએ વિશ્વ ટીબી દિવસે 5 દર્દીઓને દત્તક લીધા  મોરબીમાં હરે કૃષ્ણ સત્સંગ કેન્દ્ર (ઇસ્કોન) દ્વારા ભગવાન શ્રી રામચંદ્રજીના જન્મ મહામહોત્સવની ઉજવણી કરાઇ
Breaking news
Morbi Today

મોરબીના કોયલી ગામે ઝેરી દવા પી ગયેલ યુવાનનું સારવાર દરમ્યાન મોત


SHARE











મોરબીના કોયલી ગામે ઝેરી દવા પી ગયેલ યુવાનનું સારવાર દરમ્યાન મોત

મોરબીના કોયલી ગામે રહેતા અને ખેતમજુરીનું કામ કરતા પરિવારના યુવાને ઝેરી દવા પી લીધી હતી જેથી તેને મોરબી બાદ વધુ સારવાર માટે રાજકોટ લઇ જવાયો હતો જેનું ટુંકી સારવાર બાદ મોત નિપજેલ છે.

મોરબી તાલુકા પોલીસ મથકના સૂત્રોમાંથી મળતી માહિતી મુજબ, તાલુકાના કોયલી ગામે વાડી વિસ્તારમાં રહીને મજુરીકામ કરતા અને મૂળ છોટાઉદેપુર જિલ્લાના જલોદા ગામના રહેવાસી પરિવારનો અક્ષય દિનેશભાઈ નાયક નામનો ૨૦ વર્ષીય અપરિણીત યુવાને તા.૩૦ ની મોડી રાત્રીના ઝેરી દવા પી ગયો હતો.જેથી કરીને તેને સારવાર માટે મોરબીની સિવિલ હોસ્પિટલે લાવવામાં આવ્યો હતો અહીં પ્રાથમિક સારવાર આપ્યા બાદ હાલત નાજુક જણાતા અક્ષયને વધુ સારવાર માટે રાજકોટ ખસેડાયો હતો અને રાજકોટ ખાતે ટુંકી સારવાર બાદ આજે વહેલી સવારે અક્ષય નાયકનું મોત નિપજયુ હતુ.તપાસ અધિકારી કે.એમ.સોલગામા પાસેથી મળતી માહિતી મુજબ મૃતક અપરિણીત હતો તેના પિતાનું અગાઉ મોત થયેલ હોય હાલ પોતે પોતાની માતા અને બેન સાથે મોરબીના કોયલી ગામે રહી ખેત મજૂરી કામ કરતો હતો જો કે પોતે ધુની સ્વભાવનો હોય મન ફાવે ત્યારે કામ કરતો હોય જેથી માતાએ આ બાબતે તેને ઠપકો આપ્યો હતો તે બાબતનું મનોમન લાગી આવતા તેણે અંતિમ પગલું ભરી લીધું હતું.

વૃદ્ધા સારવારમાં

મોરબી તાલુકાના વનાળીયા ગામે રહેતા માણેકબેન મગનભાઈ ગામી નામના વૃદ્ધા ઘરેથી મંદિરે પગપાળા જતા હતા ત્યારે કોઈ અજાણ્યા બાઇક ચાલકે તેમને હડફેટે લેતા માણેકબેનમે સારવાર માટે મોરબીની ખાનગી હોસ્પીટલે લાવવામાં આવ્યા હતા.મોરબી તાલુકાના ઉંચી માંડલ ગામે રહેતો મનુભાઈ કિલુભાઇ રાઠોડ નામનો વ્યકતી રફાળેશ્વર ગામે બસ સ્ટેશન પાસે હતો ત્યાં તેને વાહન અકસ્માતના બનાવમાં ઇજાઓ થતા સારવાર માટે સિવિલ હોસ્પિટલમાં લાવવામાં આવ્યો હતો.

દારૂ સાથે બે પકડાયા

મોરબીના ઉંચીમાંડલ જવાના રસ્તેથી પોલીસે ૫૦ લિટર દેશી દારૂ કિંમત રૂા.૧૦૦૦ સાથે બચુભાઈ રમુભાઈ ચાડમીયા દેવીપુજક (૪૫) રહે.હરિઓમ પાર્ક ઘુંટુ રોડ મોરબી-૨ તેમજ વિજય ધીરુભાઈ જીંણીયા (૨૦) રહે. સુરેન્દ્રનગર વાળાઓની ધરપકડ કરી તેની વિરૂધ્ધ પોલીસે ગુનો નોંધ્યો હતો.






Latest News