રાજકોટની જેલમાંથી પેરોલ ઉપર મુક્ત થયેલ કેદી નાસી જતા વાંકાનેર સિટી પોલીસ સ્ટેશનમાં ગુનો નોંધાયો મોરબીમાં સર્કિટ હાઉસ નજીક દેશી દારૂના હાટડા ઉપર સ્થાનિક લોકોની જનતા રેડ, પોલીસની કામગીરી સામે સવાલ વાંકાનેરમાં ચંદ્રપુર ગામે રહેણાક મકાનમાંથી 54 બોટલ દારૂ સાથે આરોપી ઝડપાયો, એકની શોધખોળ મોરબીના જેતપર ગામ નજીક જુગારની રેડ પડતા જુગારીઓમાં નાશ ભાગ: 9 પકડાયા, 4 ફરાર: 1.20 લાખનો મુદ્દામાલ કબજે રે કળયુગ: મોરબીમાં લાઈટ બિલ ભરવાનું કહેતા પિતાને પુત્ર અને પુત્રવધુ સહિત ત્રણ વ્યક્તિઓએ માર માર્યો હળવદના જુના ઇસનપુર ગામે જમીનના ભાગનું મનદુખ રાખીને યુવાન ઉપર ત્રણ શખ્સોએ કર્યો હુમલો મોરબી નજીક મોર્ડન પોલિમર્સ નામના પ્લાસ્ટિકની ચેર બનાવતા કારખાનામાં આગ લાગતાં લાખોનું નુકશાન ડીઝલના ધાંધિયા શરૂ: મોરબી જિલ્લામાં નાયરાના મોટાભાગના પંપ ઉપર ડીઝલનું વેચાણ બંધ, સરકારી પેટ્રોલ પંપ ઉપર પણ ડીઝલનો જથ્થો મર્યાદિત
Breaking news
Morbi Today

મોરબીમાં ઉર્જા બચત પર્વ નિમિત્તે શેરી નાટકો, ગ્રામસભા, સેમિનાર અને રેલી સહિતના કાર્યક્રમનું પીજીવીસીએલ દ્વારા આયોજન


SHARE











મોરબીમાં ઉર્જા બચત પર્વ નિમિત્તે શેરી નાટકો, ગ્રામસભા, સેમિનાર અને રેલી સહિતના કાર્યક્રમનું પીજીવીસીએલ દ્વારા આયોજન

મોરબીમાં રાષ્ટ્રિય ઊર્જા બચત પર્વ નિમિતે ઊર્જા બચત માસ અને ઊર્જા સપ્તાહ અંતર્ગત પીજીવીસીએલ મોરબી દ્વારા વીજ બચત અને વીજ સલામતીનો હેતુ સિદ્ધ કરવા માટે વિવિધ કાર્યક્રમ અને રેલીનું આયોજન કરેલ છે.

પશ્ચિમ ગુજરાત વીજ કંપની લિમિટેડ ડીસેમ્બર -૨૦૨૩ ઊર્જા બચત માસ પર્વની ઉજવણી અંતર્ગત ઊર્જા બચતની જાગૃતિ કેળવવા તથા ખરા અર્થમાં ઊર્જા બચતનો સંદેશ છેવાડાના ગ્રાહક સુધી પહોચાડવા મોરબી જિલ્લામાં ગ્રામ્ય, તાલુકા, જીલ્લા મથકે બેનરો, પેમ્પ્લેટો, સેરી નાટકો, ગ્રામસભા,સેમિનાર, તથા સ્કૂલ અને કૉલેજમાં નિંબંધ,વકતૃત્વ સ્પર્ધાનું આયોજન કરેલ છે.તેમજ તા ૧૧-૧૨ થી ૧૬-૧૨ સુધી ઊર્જા સપ્તાહની ઉજવણી કરી રહ્યું છે આમ ઊર્જા બચત માસ અને ઊર્જા સપ્તાહની ઉજવણી થશે જે અંતર્ગત તા.૧૪-૧૨ ના રોજ પીજીવીસીએલ મોરબી દ્વારા વીજ સલામતી અને વીજ બચત રેલીનું આયોજન કરેલ છે.જેમાં સલામતી તથા ઉર્જા બચત અંગેના બેનર સાથે પેમ્ફલેટનું વિતરણ દ્વારા જન જાગૃતિ અંગેનું આયોજન કરેલ છે.આ રેલી તી.૧૪ ના સવારના ૯-૩૦ કલાકે પાવર હાઉસ કમ્પાઉન્ડથી મહારાણા પ્રતાપ સર્કલથી મયુર પુલ થઇને નગર દરવાજાથી રવાપર રોડ અને નવા બસ સ્ટેન્ડથી ઉમિયા સર્કલ થઇને ભક્તિનગર સર્કલ ખાતે પૂર્ણ થશે.તેમ મોરબી વર્તુળ કચેરીના અધિક્ષક ઇજનેર એસ.એચ. રાઠોડે યાદીમાં જણાવેલ છે.






Latest News