​​​​​​​મોરબી જીલ્લામાં કલેકટરના આદેશથી ગામડાઓમાં પ્રાથમિક સુવિધાઓ-સરકારી યોજનાઓના અમલીકરણનું મૂલ્યાંકન કરતાં અધિકારીઓ મોરબી જીલ્લામાં સ્પાના નિયમન-નિયંત્રણ માટે જાહેરનામું પ્રસિધ્ધ મોરબી જિલ્લામાં કાયદો-વ્યવસ્થાની જાળવણી થાય તે હેતુથી ૧૦૬ વિસ્તારોમાં ડ્રોન ઉડાડવા ઉપર પ્રતિબંધ મોરબીમાં ઉમિયા સર્કલથી દલવાડી સર્કલનો રૂટ હવે વન-વે મોરબી સાર્થક વિદ્યામંદિરના વિદ્યાર્થીઓએ કલાત્મક ક્ષેત્રે રાજ્યકક્ષાએ શ્રેષ્ઠ સિદ્ધિ મેળવી મોરબીના સિરામિક ઉદ્યોગકારોનો બાંધકામની જંત્રીને લગતો પ્રશ્ન વહેલી તકે ઉકેલાય તે માટે મુખ્યમંત્રીને કરાઇ રજૂઆત મોરબીના બાયપાસ રોડ ઉપરથી 10 જેટલા કાચા પાકા દબાણોને મનપાની ટીમે તોડી પાડ્યા મોરબીમાં ઘરેલુ હિંસાથી પીડિત સગર્ભા મહિલાને અજુગતુ પગલુ ભરતા બચાવતી 181 અભયમ ટીમ
Breaking news
Morbi Today

વાંકાનેરમાં ગાંધી જયંતિ નિમિત્તે દુર્લભ ફૂલછોડનું રાહત દરે વેચાણ કરાયું


SHARE











વાંકાનેરમાં ગાંધી જયંતિ નિમિત્તે દુર્લભ ફૂલછોડનું રાહત દરે વેચાણ કરાયું

(કેતન ભટ્ટી દ્વારા) : વાંકાનેરનાં ગાયત્રી શક્તિપીઠ ખાતે ગાંધીજયંતિ તથા લાલબહાદુર શાસ્ત્રી જયંતિ તથા વન્ય સપ્તાહને અનુલક્ષીને દુર્લભ મનાતા ફૂલ છોડનું પર્યાવરણ પ્રેમીઓ દ્વારા રાહત દરે વેચાણ કરવામાં આવતાં ખરીદી કરવા લોકો ઉમટયા હતાં.


ગાયત્રી શક્તિપીઠ ખાતે રવિવારે દુર્લભ પ્રજાતિનાં રોપા તથા ઓર્ગેનિક ચીજ વસ્તુઓનું રાહત દરે વેચાણ કરવામાં આવ્યું હતું, ગુલાબ, લીંબુ, ગલગોટા, રાતરાણી, જાસુદ, મોગરો,મધુનાશી, મરી, નાગરવેલ, એલોવેરા જેલ સહિત અનેક વિધ ઓર્ગેનિક ચીજ વસ્તુઓનું પણ રાહત દરે વેચાણ કરવામાં આવતાં ખરીદી કરવા લોકો ઉમટયા હતાં, ગાયત્રી શક્તિપીઠનાં સંચાલક અશ્વિનભાઈ રાવલ તથા પર્યાવરણ પ્રેમીઓ હાજર રહ્યા હતાં.






Latest News