મોરબી મહાપાલિકામાં રોજમદાર કર્મચારીની હાજરીમાં ગોલમાલ કરીને 20 લાખથી વધુનું કૌભાંડ કર્યું હોવાના સંકેત હળવદ નજીકથી કતલખાને લઈ જવાતા 35 પાડાને ગૌરક્ષકોએ બચાવ્યા, ફરિયાદ નોધાવવા તજવીજ ભાજપના પ્રદેશ અધ્યક્ષ જો ગેનીબેનની માફી નહીં માંગે તો ઉગ્ર આંદોલન થશે: ઠાકોર સમાજ-કોંગ્રેસ ​​​​​​​મોરબી પરશુરામ યુવા ગ્રૂપના પ્રમુખ સહિતની નવી ટીમ જાહેર કરાઇ મોરબીમાં રાગદ્વેષ-કિન્નાખોરી વાળું ભાજપનું રાજકારણ હોવાનો જિલ્લા કોંગ્રેસનાં માજી પ્રમુખનો પુરાવા સાથે આક્ષેપ એક શામ આયુર્વેદ કથા કે નામ: મોરબીમાં સોમવારે વૈદ્યરાજ મહેન્દ્રસિંહ સરવૈયાની આરોગ્ય કથાનું આયોજન લાયન્સ કલબ ઓફ મોરબી સીટી દ્વારા જુદીજુદી જગ્યાએ બાકડા-વૃક્ષોમાં પાંજરા મુકાયા મોરબી: પત્ની બે સંતાનો સાથે રિસામણે બેઠેલ હોય મનોમન લાગી આવતા યુવાને કર્યો આપઘાતનો પ્રયાસ
Breaking news
Morbi Today

વાંકાનેર પંચાયતના સદસ્ય દ્વારા અતિવૃષ્ટિથી ખેડૂતોને થયેલા નુકશાનનું વળતર આપવાની માંગ


SHARE













વાંકાનેર પંચાયતના સદસ્ય દ્વારા અતિવૃષ્ટિથી ખેડૂતોને થયેલા નુકશાનનું વળતર આપવાની માંગ

ચાલુ વર્ષ વાંકાનેર તાલુકામાં પડેલા વરસાદના લીધે અતિવૃષ્ટિ જેવો ઘાટ સર્જાયો છે અને તેના લીધે વાંકાનેરના ખેડૂતોના પાકને નુકશાન થયું છે જેથી કરીને ખેડૂતોને નુકશાનનું વળતર આપવામાં આવે તેવી વાંકાનેર પંચાયતના સદસ્ય દ્વારા રાજકોટના સાંસદને રજૂઆત કરવામાં આવી છે

વાંકાનેર તાલુકા પંચાયતના સભ્ય જિજ્ઞાસાબેન મેર દ્વારા સાંસદ મોહનભાઈને રજૂઆત કરવામાં આવી છે જેમાં તેને જણાવ્યુ છે કે, ગુલાબ વાવાઝોડાંના કારણે ગુજરાતભરમાં વરસાદ થયેલ છે ત્યારે વાંકાનેર તાલુકાના અનેક ગામમાં ખેડૂતોની ખેતપેદાશોને ખૂબ જ નુકશાન થયુ છે. અને ખાસ કરીને ચોમાસું પાક કપાસ, બાજરી, મગફળી, કઠોળ, તલ વગેરેને નુકશાન થયેલું છે. જેથી ખેડૂતોને વળતર આપવામાં આવે તે જરૂરી છે ત્યારે સરકાર દ્વારા સહાનુભૂતિપૂર્વક વિચારીને યોગ્ય કરવામાં આવે તે જરૂરી છે અને વાંકાનેર તાલુકાને અતિવૃષ્ટિથી અસરગ્રસ્ત થયલો તાલુકો જાહેર કરી ખેડૂતોને સર્વે કરાવીને યોગ્ય સહાય આપવાની માંગ કરી છે 






Latest News