મોરબી મહાપાલિકામાં રોજમદાર કર્મચારીની હાજરીમાં ગોલમાલ કરીને 20 લાખથી વધુનું કૌભાંડ કર્યું હોવાના સંકેત હળવદ નજીકથી કતલખાને લઈ જવાતા 35 પાડાને ગૌરક્ષકોએ બચાવ્યા, ફરિયાદ નોધાવવા તજવીજ ભાજપના પ્રદેશ અધ્યક્ષ જો ગેનીબેનની માફી નહીં માંગે તો ઉગ્ર આંદોલન થશે: ઠાકોર સમાજ-કોંગ્રેસ ​​​​​​​મોરબી પરશુરામ યુવા ગ્રૂપના પ્રમુખ સહિતની નવી ટીમ જાહેર કરાઇ મોરબીમાં રાગદ્વેષ-કિન્નાખોરી વાળું ભાજપનું રાજકારણ હોવાનો જિલ્લા કોંગ્રેસનાં માજી પ્રમુખનો પુરાવા સાથે આક્ષેપ એક શામ આયુર્વેદ કથા કે નામ: મોરબીમાં સોમવારે વૈદ્યરાજ મહેન્દ્રસિંહ સરવૈયાની આરોગ્ય કથાનું આયોજન લાયન્સ કલબ ઓફ મોરબી સીટી દ્વારા જુદીજુદી જગ્યાએ બાકડા-વૃક્ષોમાં પાંજરા મુકાયા મોરબી: પત્ની બે સંતાનો સાથે રિસામણે બેઠેલ હોય મનોમન લાગી આવતા યુવાને કર્યો આપઘાતનો પ્રયાસ
Breaking news
Morbi Today

મોરબી પોલીસે ગુજસીટોકના ગુનામાં આરીફ મીરની ગેંગના વધુ બે સાગરીતોની કરી ધરપકડ


SHARE













મોરબી પોલીસે ગુજસીટોકના ગુનામાં આરીફ મીરની ગેંગના વધુ બે સાગરીતોની કરી ધરપકડ

મોરબીમાં મમુદાઢીની હત્યા કરવાના ગુનામાં પોલીસે ગુજસીટોકની કલમનો ઉમેરો કર્યો છે ત્યાર બાદ તપાસનીશ અધિકારી દ્વારા વધુ બે આરોપીની ધરપકડ કરવામાં આવી છે અને હાલમાં જે આરોપીઓને પકડવાં આવેલ છે તેને ભૂતકાળમાં આરીફ મીર વતી તેમજ તેની ગેંગના સભ્ય તરીકે ખુનની કોશીષરાયોટીંગ જેવા અલગ અલગ ગુન્હાઓ કરેલ છે.

ગઇ તા .૭/૯/૨૧ ના રોજ રાત્રીના મોરબી શનાળા બાયપાસ પાસે ભક્તિનગર સર્કલે ફાયરીંગનો બનાવ બનેલ હતો જેમા ફોરચ્યુનર ગાડી ઉપર અંધાધુધ ફાયરીંગ કરીને મહમદહનીફભાઇ ઉર્ફે મમુદાઢી કાસમાણી રહે. ખાટકીવાસ મોરબી વાળાની હત્યા કરવામાં આવી હતી જે ગુનામાં મૃતકના દીકરાએ આરીફ ગુલામભાઇ મીર તથા રફીક માંડવીયા સહિત ૧૩ શખ્સોની સામે ફરિયાદ નોંધાવતાં પોલીસે આઇ.પી.સી. કલમ ૩૦૨, આર્મ્સ એકટ સહિતની કલમ હેઠળ ગુનો નોંધીને આરોપીઓને પકડવા માટે તજવીજ શરૂ કરી હતી અને આજ સુધીમાં મોરબી જીલ્લા પોલીસ દ્વારા અલગ અલગ ટીમો બનાવી કુલ ૧૧ આરોપીઓ પકડી પાડવામાં આવેલ છે. 

આ ગુનાની તપાસ દરમ્યાન આ આરોપીઓએ સંગઠીત ગુન્હા ટોળકી બનાવી ગુન્હો આચરેલ હોવાનુ તપાસનીશના ધ્યાને આવતા સંગઠીત ગુન્હા આચરતી ટોળકીનો મુખ્ય સુત્રધાર આરીફ ગુલામભાઇ ધોળા જાતે મીર રહે. મોરબી વાળો છે . આ આરીફ મીર તથા તેના સાગરીતોએ મળી મોરબી શહેરમાં ખુનખુનની કોશિષલુંટરાયોટીંગસરકારી નોકર પર હુમલોધાકધમકીજમીન પચાવી પાડવા અર્થે ખોટા દસ્તાવેજો બનાવવાખંડણી વિગેરે ગુન્હાઓ આચરેલ છે અને મોરબી શહેરની સામાન્ય પ્રજામાં પોતાની ધાક ઉભી કરી વર્ચસ્વ જમાવી કાયદો વ્યવસ્થા તેમજ જાહેર શાંતિનો ભંગ કરી છેલ્લા દસેક વર્ષમાં દહેશતનુ વાતાવરણ ઉભુ કરેલ છે જેથી આ સંગઠીત ગુન્હા ટોળકી તથા તેના સાગરીત વિરૂધ્ધ ગુજસીટોક કાયદાની કલમનો ઉમેરો કરવામાં આવેલ છે. 

આ ગુન્હાની તપાસ નાયબ પોલીસ અધિક્ષક રાધિકા ભારાઇ ચલાવી રહેલ છે અને ગઇકાલે આ ગુન્હામાં સંગઠીત ગુન્હા ટોળકીના વધુ ૨ સભ્યોની ગુજસીટોક કાયદા હેઠળ ધરપકડ કરેલ છે જેમાં રીયાજ ઇકબાલ જુણાજા રહે. કાલીકા પ્લોટ મોરબી અને મુસ્તુફા ઉર્ફે મુસ્તુ દાઉદભાઇ દાવલીયા રહે. મોરબી વાળાનો સમાવેશ થાય છે અને આ સંગઠીત ગુન્હા ટોળકી કે જેનો મુખ્ય સુત્રધાર આરીફ મીર છે તેના વતી તેમજ આ ગેંગના સભ્ય તરીકે ભુતકાળમાં ખુનની કોશીષરાયોટીંગ જેવા અલગ અલગ ગુન્હાઓ કરેલ છે વધુમાં અધિકારીએ જણાવ્યુ છે કેઆ ગુજસીટોકના ગુન્હાની જેમ જેમ ઉંડાણપૂર્વક તપાસ થતી જશે અને જે જે આરોપીઓના નામ ખુલશે તેઓ વિરૂધ્ધ પણ આ કાયદાની જોગવાઇ હેઠળ કાયદેસર કાર્યવાહી કરવામાં આવશે.






Latest News