ટંકારા ખાતે યોજાયેલ ખેડૂત સભામાં ગુજરાતનાં કલાકારો વિષે રાષ્ટ્રીય કોંગ્રેસ સેવાદળ અધ્યક્ષ લાલજીભાઇ દેસાઇએ કરેલ ટિપ્પણીનો વિડીયો થયો વાયરલ કલયુગની અંતિમ ઘડી છે ત્યારે વ્યક્તિ પોતાનામાં પરીવર્તન લાવીને વિશ્વમાં પરીવર્તન લાવવામાં સહયોગ આપી શકે: જયંતી દીદી ​​​​​​​મોરબી જીલ્લામાં કલેકટરના આદેશથી ગામડાઓમાં પ્રાથમિક સુવિધાઓ-સરકારી યોજનાઓના અમલીકરણનું મૂલ્યાંકન કરતાં અધિકારીઓ મોરબી જીલ્લામાં સ્પાના નિયમન-નિયંત્રણ માટે જાહેરનામું પ્રસિધ્ધ મોરબી જિલ્લામાં કાયદો-વ્યવસ્થાની જાળવણી થાય તે હેતુથી ૧૦૬ વિસ્તારોમાં ડ્રોન ઉડાડવા ઉપર પ્રતિબંધ મોરબીમાં ઉમિયા સર્કલથી દલવાડી સર્કલનો રૂટ હવે વન-વે મોરબી સાર્થક વિદ્યામંદિરના વિદ્યાર્થીઓએ કલાત્મક ક્ષેત્રે રાજ્યકક્ષાએ શ્રેષ્ઠ સિદ્ધિ મેળવી મોરબીના સિરામિક ઉદ્યોગકારોનો બાંધકામની જંત્રીને લગતો પ્રશ્ન વહેલી તકે ઉકેલાય તે માટે મુખ્યમંત્રીને કરાઇ રજૂઆત
Breaking news
Morbi Today

મોરબીમાં સાર્થક વિદ્યા મંદિર ખાતે સમસ્ત બ્રહ્મ સમાજ દ્વારા સરસ્વતિ સન્માન સમારોહ યોજાયો


SHARE











મોરબીમાં સાર્થક વિદ્યા મંદિર ખાતે સમસ્ત બ્રહ્મ સમાજ દ્વારા સરસ્વતિ સન્માન સમારોહ યોજાયો

મોરબી સમસ્ત બ્રહ્મ સમાજ દ્વારા સરસ્વતિ સન્માન સમારોહનુ સાર્થક વિદ્યા મંદિર ખાતે આયોજન કરવામાં  આવ્યું હતું જેમાં આ વખતે સમસ્ત બ્રહ્મસમાજ દ્વારા રેકોર્ડ બ્રેક ૬૫૦થી વધુ માર્કશિટનું એકત્રીકરણ કરવામાં આવ્યું હતું જેના ભાગ રૂપે ૨૭૦ થી વધુ વિદ્યાર્થીઓને આ કાર્યક્ર્મમાં સન્માનિત કરવામાં આવ્યા હતા. આ કાર્યક્રમમાં મુખ્ય અતિથિ તરીકે અભીનેષ દુબેજી તથા હિરલબેન દવેએ હાજરી આપી હતી.મોરબીના સાર્થક વિદ્યાલય ખાતે સમસ્ત બ્રહ્મસમાજ દ્વારા વિદ્યાર્થી સન્માન સમારોહ યોજાયો જેમાં ૨૦૪ વિદ્યાર્થીઓને સન્માનીત કરાયા હતા.બ્રહ્મ સમાજ સૌનું માર્ગદર્શન કરનારો સમાજ હોય તે ધ્યાને રાખી આચરણ કરવુ આપણી નૈતિક જવાબદારી બને છે.તેમ વક્તાઓએ જણાવ્યુ હતું

આ વખતે સમસ્ત બ્રહ્મસમાજ મોરબી દ્વારા આ કાર્યક્રમમાં ઘણા નવતર પ્રયોગો કર્યા હતા જેમાં ધોરણ ૬ થી ૧૨ નાં વિદ્યાર્થીઓ માટે લેવલ ટેસ્ટ નું આયોજન કરવામાં આવ્યું હતું જેને તમામ વિદ્યાર્થીઓ તથા તેના વાલીઓએ સફળ બનાવી હતી અને સરસ્વતી સન્માન સમારોહ માટે માત્ર સોશિયલ મીડિયાના માધ્યમથી જ પ્રચાર પ્રસાર કરવામાં આવ્યો હતો તો પણ મોટી સંખ્યામાં વિદ્યાર્થીઓએ અને વાલીઓઆ કાર્યક્રમમાં હાજર રહ્યા હતા આ કાર્યક્રમને સફળ બનાવવા સમસ્ત બ્રહ્મસમાજ પ્રમુખ કિશોરભાઈ શુક્લમહામંત્રી કેયુરભાઈ પંડ્યા તથા અમુલભાઇ જોષી તથા તમામ હોદેદારોશિક્ષણ સમિતિ તથા પ્રચાર પ્રસાર સમિતિના તમામ હોદેદારોએ જહેમત ઉઠાવી હતી.






Latest News