મોરબી જિલ્લા કમલમ ખાતે પ્રભારી મંત્રીની હાજરીમાં ચૂંટણી લક્ષી બેઠક યોજાઈ મોરબીમાં શનિવારે ખાખરેચી દરવાજે આવેલ શ્રી લીલા લીમડાવાળી મેલડીનો નવરંગ માંડવો યોજાશે જય શ્રી રામના નારા સાથે મોરબીમાં રામ નવમીના દિવસે સમગ્ર હિન્દુ સમાજ અને વિવિધ સંગઠનો ભવ્ય શોભાયાત્રા યોજાઇ મોરબીના જલારામ ધામ ખાતે ભગવાન રામનું પૂજન, મહાઆરતી અને મહાપ્રસાદનો કાર્યક્રમ યોજાયો મોરબી મહાપાલિકાની 12 બેઠકો ઉપર કોંગ્રેસના સત્તાવાર ઉમેદવારોના નામ જાહેર કરાયા, જો સત્તા ઉપર કોંગ્રેસ આવશે તો કૌભાંડીયાઓ થશે જેલ ભેગા: પુષ્પરાજસિંહ જાડેજા મોરબી જિલ્લામાં LCB, SOG તેમજ જુદાજુદા પોલીસ સ્ટેશનમાંથી કુલ 12 પીએની બદલી, નવા 6 મુકાયા મોરબીમાં મુસ્કાન વેલ્ફેર સોસાયટીએ વિશ્વ ટીબી દિવસે 5 દર્દીઓને દત્તક લીધા  મોરબીમાં હરે કૃષ્ણ સત્સંગ કેન્દ્ર (ઇસ્કોન) દ્વારા ભગવાન શ્રી રામચંદ્રજીના જન્મ મહામહોત્સવની ઉજવણી કરાઇ
Breaking news
Morbi Today

મોરબીમાં સાર્થક વિદ્યા મંદિર ખાતે સમસ્ત બ્રહ્મ સમાજ દ્વારા સરસ્વતિ સન્માન સમારોહ યોજાયો


SHARE











મોરબીમાં સાર્થક વિદ્યા મંદિર ખાતે સમસ્ત બ્રહ્મ સમાજ દ્વારા સરસ્વતિ સન્માન સમારોહ યોજાયો

મોરબી સમસ્ત બ્રહ્મ સમાજ દ્વારા સરસ્વતિ સન્માન સમારોહનુ સાર્થક વિદ્યા મંદિર ખાતે આયોજન કરવામાં  આવ્યું હતું જેમાં આ વખતે સમસ્ત બ્રહ્મસમાજ દ્વારા રેકોર્ડ બ્રેક ૬૫૦થી વધુ માર્કશિટનું એકત્રીકરણ કરવામાં આવ્યું હતું જેના ભાગ રૂપે ૨૭૦ થી વધુ વિદ્યાર્થીઓને આ કાર્યક્ર્મમાં સન્માનિત કરવામાં આવ્યા હતા. આ કાર્યક્રમમાં મુખ્ય અતિથિ તરીકે અભીનેષ દુબેજી તથા હિરલબેન દવેએ હાજરી આપી હતી.મોરબીના સાર્થક વિદ્યાલય ખાતે સમસ્ત બ્રહ્મસમાજ દ્વારા વિદ્યાર્થી સન્માન સમારોહ યોજાયો જેમાં ૨૦૪ વિદ્યાર્થીઓને સન્માનીત કરાયા હતા.બ્રહ્મ સમાજ સૌનું માર્ગદર્શન કરનારો સમાજ હોય તે ધ્યાને રાખી આચરણ કરવુ આપણી નૈતિક જવાબદારી બને છે.તેમ વક્તાઓએ જણાવ્યુ હતું

આ વખતે સમસ્ત બ્રહ્મસમાજ મોરબી દ્વારા આ કાર્યક્રમમાં ઘણા નવતર પ્રયોગો કર્યા હતા જેમાં ધોરણ ૬ થી ૧૨ નાં વિદ્યાર્થીઓ માટે લેવલ ટેસ્ટ નું આયોજન કરવામાં આવ્યું હતું જેને તમામ વિદ્યાર્થીઓ તથા તેના વાલીઓએ સફળ બનાવી હતી અને સરસ્વતી સન્માન સમારોહ માટે માત્ર સોશિયલ મીડિયાના માધ્યમથી જ પ્રચાર પ્રસાર કરવામાં આવ્યો હતો તો પણ મોટી સંખ્યામાં વિદ્યાર્થીઓએ અને વાલીઓઆ કાર્યક્રમમાં હાજર રહ્યા હતા આ કાર્યક્રમને સફળ બનાવવા સમસ્ત બ્રહ્મસમાજ પ્રમુખ કિશોરભાઈ શુક્લમહામંત્રી કેયુરભાઈ પંડ્યા તથા અમુલભાઇ જોષી તથા તમામ હોદેદારોશિક્ષણ સમિતિ તથા પ્રચાર પ્રસાર સમિતિના તમામ હોદેદારોએ જહેમત ઉઠાવી હતી.






Latest News