મોરબીમાં 42 ડિગ્રી તાપમાનમાં ફરજ બજાવતા 50 જેટલા ટ્રાફિક બ્રિગેડના જવાનો અઢી મહિનાથી પગારથી વંચિત મોરબીમાં કન્યા છાત્રાલય ખાતે સંસ્કારી સ્ત્રી-સુસંસ્કૃત સમાજ કાર્યક્રમનું આયોજન મોરબીમાં મુસ્કાન વેલફેર સોસાયટી દ્વારા લોકોને ગરમીમાં રાહત માટે પ્રેરણાદાયી કર્યા ટંકારા તાલુકામાં પી.એમ. પોષણ યોજના હેઠળ સ્ટાફની ભરતી: 26 મે સુધીમાં અરજીઓ મંગાવાઈ વાંકાનેરમાં શહેર-ગ્રામ્ય વિસ્તારના નિરાધાર વૃદ્ધ, ઈન્દિરા ગાંધી રાષ્ટ્રીય વૃદ્ધ સહાય અને ગંગા સ્વરૂપા યોજનાના લાભાર્થીઓએ 30 મે સુધીમાં હયાતીની ખરાઈ કરાવવી અનિવાર્ય મોરબીમાં કાળજાળ ગરમીમાં સિરામિક કારખાનામાં શ્રમિકોને લસ્સીનુ વિતરણ મોરબીના ડો. બી કે લહેરૂએ પેટ્રોલ-ડીઝલ બચાવવાની વડાપ્રધાનની અપીલને ધ્યાને રાખીને કર્યો મહત્વનો નિર્ણય મોરબીના નવલખી રોડ પાસે બે યુવાનો ઉપર છરી-પાઈપ વડે હુમલો-સારવારમાં
Breaking news
Morbi Today

મોરબીના રવાપર ખાતે શ્રીમદ ભાગવત સપ્તાહનું આયોજન


SHARE











મોરબીના રવાપર ખાતે શ્રીમદ ભાગવત સપ્તાહનું આયોજન

મોરબીના રવાપર ગામે શ્રી રામાનંદી મહિલા ઉત્કર્ષ ટ્રસ્ટ તેમજ શ્રી રામનાવડી સત્સંગ મંડળના સૌજન્યથી શ્રીમદ ભાગવત કથાનું આયોજન કરેલ છે. જેમાં વ્યાસાસને જમનબાપુ નિમ્બાક કથાનું રસપાન કરાવશે

આ કથા તા ૧૮ ને શનિવાર લાભ પાંચમથી પ્રારંભ અને તા. ૨૪ ને શુક્રવાર પૂર્ણ થશે કથાનો સમય ૩ થી ૬:૩૦ સુધીનો રહેશે આ કથા સ્થળ રવાપર ગામના ઝાપે બાલકેશ્વર મહાદેવની સામે પોથીયાત્રા બપોરે ૨ વાગે રવાપરના સરપંચ નીતિનભાઈ રૂપનાથભાઈ ભટાસણાના નિવાસ્થાનેથી કાઢવામાં આવશે તો ભાવિક ભક્તોને લાભ લેવા સંસ્થા તરફથી જાહેર આમંત્રણ પાઠવવામાં આવ્યુ છે આ કથાનો મુખ્ય હેતુ રામાનંદી સર્વ પિતૃ મોક્ષાર્થે તેમજ કથા શ્રવણ દ્વારા આધ્યાત્મિક વિકાસ માટે તેમજ કથાનો જે કાંઈ ભંડોળ વધે તેમાં કન્યા કેળવણીને લગતા ઉમદા કાર્ય કરવા માટે વપરાશે તેમ યાદીમાં જણાવાયું છે આ આયોજનને સફળ બનાવવા અરુણાબેન. એમ. રામાવત, સરોજબેન આર. રામાવત, દમયંતીબેન જે. નિરંજની, સરોજબેન એસ. રામાવત, ભારતીબેન આર. રામાવત, સુશીલાબેન આર. કુબાવત, જસુબેન એન. કુબાવત, દમયંતીબેન. ડી. રામાવત, ભારતીબેન સી. રામાવત, મનિષાબેન એલ. રામાવત, ઉર્મિલાબેન વૈષ્ણવ, કંચનબેન ડી. નિમાવત, ગીતાબેન એમ. રામાવત, ભૂમિબેન બી. રામાવત જહેમત ઉઠાવી રહ્યા છે






Latest News