મોરબીના જલારામ ધામ ખાતે ભગવાન રામનું પૂજન, મહાઆરતી અને મહાપ્રસાદનો કાર્યક્રમ યોજાયો મોરબી મહાપાલિકાની 12 બેઠકો ઉપર કોંગ્રેસના સત્તાવાર ઉમેદવારોના નામ જાહેર કરાયા, જો સત્તા ઉપર કોંગ્રેસ આવશે તો કૌભાંડીયાઓ થશે જેલ ભેગા: પુષ્પરાજસિંહ જાડેજા મોરબી જિલ્લામાં LCB, SOG તેમજ જુદાજુદા પોલીસ સ્ટેશનમાંથી કુલ 12 પીએની બદલી, નવા 6 મુકાયા મોરબીમાં મુસ્કાન વેલ્ફેર સોસાયટીએ વિશ્વ ટીબી દિવસે 5 દર્દીઓને દત્તક લીધા  મોરબીમાં હરે કૃષ્ણ સત્સંગ કેન્દ્ર (ઇસ્કોન) દ્વારા ભગવાન શ્રી રામચંદ્રજીના જન્મ મહામહોત્સવની ઉજવણી કરાઇ મોરબીના વિદ્યુત સ્મશાન ખાતે રામનવમીના દિવસે 32 લાખના ખર્ચે બનેલા રામધૂન સત્સંગ હોલનું લોકાર્પણ કરાયું મોરબી મહાપાલિકાના વોર્ડની રચનામાં મતદારોની સંખ્યા માટે ચૂંટણી પંચની ગાઈડલાઈનનો ઉલાળ્યો !: કોંગ્રેસે કરી આયોગમાં રજૂઆત મોરબીની માધાપરવાડી શાળાની મુલાકાત લઈ વાર્ષિક પાઠનું નિરીક્ષણ કરતાં જિલ્લા શિક્ષણ તાલીમ ભવનના અધિકારીઓ
Breaking news
Morbi Today

વાંકાનેરના લિંબાળા ગામે જમીન માપણી સમયે બોલાચાલી બાદ મારામારી: સામસામી ફરિયાદ


SHARE











વાંકાનેરના લિંબાળા ગામે જમીન માપણી સમયે બોલાચાલી બાદ મારામારી: સામસામી ફરિયાદ

વાંકાનેર નજીક આવેલ લિંબાળા ગામે રહેતા વૃદ્ધે જમીન માપણી કરવા માટે થઈને કલેકટર કચેરી ખાતે અરજી કરી હતી અને તે અરજીના આધારે જમીનની માપણી કરવામાં આવી રહી હતી ત્યારે ત્યાં બંને પક્ષ વચ્ચે બોલાચાલી અને મારામારીનો બનાવ બન્યો હતો અને જે બનાવ સંદર્ભે વાંકાનેર સીટી પોલીસ સ્ટેશન ખાતે બંને પક્ષેથી સામસામી ફરિયાદ નોંધાતા પોલીસે ગુનો નોંધીને આરોપીઓને પકડવા માટે તજવીજ શરૂ કરેલ છે

જાણવા મળતી માહિતી મુજબ વાંકાનેર તાલુકાના લિંબાળા ગામે રહેતા ઉસ્માનભાઈ ફતેહભાઈ કડીવાર જાતે મોમીન (૫૯)એ હાલમાં હાજીભાઈ સાજીભાઈ ચારોલીયા, હનીફભાઈ ફતેહભાઈ ચારોલિયા, હબીબભાઈ ફતેહભાઈ ચારોલીયા અને ગુલાભાઈ ઉસ્માનભાઈ રહે. બધા લિંબાળા વાળાની સામે ફરિયાદ નોંધાવી છે જેમાં તેને જણાવ્યું છે કે, તેણે આરોપીઓની જમીનની માપણી માટે કલેક્ટર ઓફિસમાં અરજી કરેલ હતી જે આરોપીઓને સારું નહીં લાગતા તેનો ખાર રાખીને હનીફભાઈ અને હબીબભાઈએ લાકડી અને પાઇપ વડે માર માર્યો હતો તેમજ હાજીભાઈ અને ગુલાભાઇએ તેને ટીકા પાટુનો માર માર્યો હતો અને ગાળો આપીને જાનથી મારી નાખવાની ધમકી આપી હતી જેથી ભોગ બનેલા ઉસ્માનભાઈ કડીવારે નોંધાવેલ ફરિયાદ આધારે પોલીસે ચાર શખ્સોની સામે ગુનો નોધી આરોપીને પકડવા માટે તજવીજ શરૂ કરેલ છે

તો સામાપક્ષેથી લિંબાળા ગામે રહેતા ગુલામમુસ્તુફાભાઈ ઉસ્માનભાઈ ચારોલીયા (૪૫)એ હાલમાં રોશનબેન ઉસ્માનભાઈ કડીવાર, ઉસ્માનભાઈ ફતેહભાઈ કડીવાર, ઈદ્રેશભાઈ ફતેહભાઈ કડીવાર અને મુસ્તાકભાઈ ઉસ્માનભાઈ કડીવાર રહે. બધા લીંબાળા વાળાની સામે ફરિયાદ નોંધાવેલ છે જેમાં તેને જણાવ્યું છે કે, ફરિયાદીના ઘર પાસે ઉસ્માનભાઈ કડીવારની અરજી આધારે જમીન માપણી થતી હોય તે વખતે ચારેય આરોપીઓ ત્યાં ગાળો બોલી રહ્યા હતા અને ફરિયાદીને ઢીકાપાટુનો તથા લાકડી વડે માર મારીને જાનથી મારી નાખવાની ધમકી આપી હતી જેથી કરીને ભોગ બનેલ યુવાન દ્વારા નોંધવામાં આવેલ ફરિયાદ આધારે પોલીસે ગુનો નોંધી આગળની કાર્યવાહી હાથ ધરી છે અને મારામારીના આ બનાવ સંદર્ભે વાંકાનેર સિટી પોલીસ સ્ટેશન ખાતે બંને પક્ષેથી ફરિયાદ નોંધાતા પોલીસે આગળની રાબેતા મુજબની કાર્યવાહી હાથ ધરી છે






Latest News