મેયર સારો કે મારો તે પ્રશ્નાર્થ: મોરબી મહાપાલિકાના પ્રથમ મેયર માટે ચાલતી ખેંચતાણમાં છેલ્લી ઘડીએ પેનલના નામ ઉપર નીચે કરાતા હોબાળો રાજકોટની જેલમાંથી પેરોલ ઉપર મુક્ત થયેલ કેદી નાસી જતા વાંકાનેર સિટી પોલીસ સ્ટેશનમાં ગુનો નોંધાયો મોરબીમાં સર્કિટ હાઉસ નજીક દેશી દારૂના હાટડા ઉપર સ્થાનિક લોકોની જનતા રેડ, પોલીસની કામગીરી સામે સવાલ વાંકાનેરમાં ચંદ્રપુર ગામે રહેણાક મકાનમાંથી 54 બોટલ દારૂ સાથે આરોપી ઝડપાયો, એકની શોધખોળ મોરબીના જેતપર ગામ નજીક જુગારની રેડ પડતા જુગારીઓમાં નાશ ભાગ: 9 પકડાયા, 4 ફરાર: 1.20 લાખનો મુદ્દામાલ કબજે રે કળયુગ: મોરબીમાં લાઈટ બિલ ભરવાનું કહેતા પિતાને પુત્ર અને પુત્રવધુ સહિત ત્રણ વ્યક્તિઓએ માર માર્યો હળવદના જુના ઇસનપુર ગામે જમીનના ભાગનું મનદુખ રાખીને યુવાન ઉપર ત્રણ શખ્સોએ કર્યો હુમલો મોરબી નજીક મોર્ડન પોલિમર્સ નામના પ્લાસ્ટિકની ચેર બનાવતા કારખાનામાં આગ લાગતાં લાખોનું નુકશાન
Breaking news
Morbi Today

મોરબી: સરકારી દવાખાનાઓમાં હિમોફીલિયાના દર્દીઓ માટે જરૂરી ઇન્જેક્શન ઉપલબ્ધ કરાવવા સીએમને ધારાસભ્યની ભલામણ


SHARE











મોરબી: સરકારી દવાખાનાઓમાં હિમોફીલિયાના દર્દીઓ માટે જરૂરી ઇન્જેક્શન ઉપલબ્ધ કરાવવા સીએમને ધારાસભ્યની ભલામણ

ગુજરાત ભરમાં હિમોફીલિયાના દર્દીઓ માટે થઈને જરૂરી ઇન્જેક્શન તદ્દન ફ્રી આપવાની શરૂઆત ગુજરાતના તત્કાલીન મુખ્યમંત્રી નરેન્દ્રભાઈ મોદી દ્વારા કરવામાં આવી હતી જોકે છેલ્લા દોઢક મહિનાથી ગ્રાન્ટ હોવા છતાં પણ ઇન્જેક્શન ન હોવાના કારણે દર્દીઓ હેરાન થઈ રહ્યા છે ત્યારે આ બાબતને ધ્યાનમાં રાખીને મોરબી જિલ્લા ભાજપ અનુસૂચિત જાતિ મોરચાના પ્રમુખ દ્વારા રાજકોટના સાંસદને લેખિત રજૂઆત કરવામાં આવતા સાંસદ દ્વારા યોગ્ય કાર્યવાહી કરવા માટે થઈને રાજ્યના મુખ્યમંત્રી અને આરોગ્ય મંત્રીને ભલામણ પત્ર લખવામાં આવેલ છે

મોરબી જિલ્લા ભારતીય જનતા પાર્ટી અનુસૂચિત જાતિ મોરચાના પ્રમુખ બાબુભાઈ નાનજીભાઈ પરમાર દ્વારા હાલમાં મોરબી માળીયાના ધારાસભ્ય કાંતિભાઈ અમૃતિયાને લેખિત રજૂઆત કરવામાં આવી છે જેમાં તેને જણાવ્યું છે કે, વર્ષ ૨૦૧૧ માં દેશના વર્તમાન વડાપ્રધાન નરેન્દ્ર મોદી ગુજરાતના મુખ્યમંત્રી હતા ત્યારે તેમણે ગુજરાતમાં હિમોફિલિયાના દર્દીઓ માટે ગુજરાતની સરકારી હોસ્પિટલમાં ફેક્ટર (ઇન્જેક્શન) ફ્રી માં શરૂ કર્યા હતા જોકે ત્યારથી અત્યાર સુધી તે વ્યવસ્થા સારી રીતે ચાલુ હતી પરંતુ હમણાં છેલ્લા દોઢેક મહિનાથી ગ્રાન્ટ હોવા છતાં પણ અધિકારીઓની અણધણ વહીવટના કારણે ફેક્ટર (ઇન્જેક્શન) ઉપલબ્ધ થતા નથી અને દર્દીઓ માટે આ ઇન્જેક્શન જીવન રક્ષક છે જેથી કરીને હિમોફીલિયાના દર્દીઓ માટે ગુજરાતના તમામ દર્દીઓના હિતમાં વહેલી તકે યોગ્ય કાર્યવાહી કરવામાં આવે તેવી માંગ કરી હતી જેને ધ્યાનમાં રાખીને હાલમાં મોરબી માળીયાના ધારાસભ્ય કાંતિભાઈ અમૃતિયા દ્વારા રાજ્યના મુખ્યમંત્રી ભુપેન્દ્રભાઈ પટેલ અને આરોગ્ય મંત્રી ઋષિકેશભાઇ પટેલને પત્ર લખીને દર્દીના હિતમાં યોગ્ય કાર્યવાહી કરવા માટે તેને ભલામણ પત્ર લખ્યો છે






Latest News