મોરબીની ત્રાજપર ચોકડી પાસેથી 49.380 ગ્રામ મેફેડ્રોન ડ્રગ્સના જથ્થા સાથે એક શખ્સ ઝડપાયો: 1.53 લાખનો મુદ્દામાલ કબજે વાંકાનેરના સમથેરવા ગામે એક કરોડના અનુદાનથી આધુનિક સુવિધાઓથી સજ્જ પ્રાથમિક શાળા માટે MOU કરાયા માળીયા (મી)ના ભોળીપાટ વાંઢ વિસ્તારમાં શાળાના બે રૂમ બનાવવા માટે ૧૩૦૦ ચો.મી.જમીન આપનારા દાતાનુ કરાયું સન્માન મોરબી નજીકના રવાપર ગામે રોડ વચ્ચે કરવામાં આવેલ ખાડામાં સ્કૂટર સહિત માતા-પુત્રી પડ્યા: કોઈ જાનહાનિ નહી મોરબી નજીકના મહેન્દ્રનગર ગામેથી યુવતી ગુમ મોરબી જવાહર નવોદય વિદ્યાલયમાં ધો. ૧૧ (વિજ્ઞાન-વાણિજ્ય પ્રવાહ) માં પ્રવેશ માટે ૨૫ જૂન સુધીમાં અરજી કરી શકાશે મોરબી જીલ્લામાં બાળકોના સર્વાંગી પોષણ અને ઉજ્જવળ ભવિષ્યનો મજબૂત સ્તંભ એટલે પીએમ પોષણ યોજના મોરબી: સેના-પોલીસ ભરતી પૂર્વેની વિનામૂલ્યે નિવાસી તાલીમ માટે મોરબી જિલ્લાના યુવાનોએ ૩૦ જૂન સુધીમાં અરજી કરવી
Breaking news
Morbi Today

ટંકારાના ઓટાળા પાસે અજાણી કારના ચાલકે બાઇકને હડફેટે લેતા દંપતી ખંડિત: યુવાનનું મોત, મહિલા-બાળક સારવારમાં


SHARE











ટંકારાના ઓટાળા પાસે અજાણી કારના ચાલકે બાઇકને હડફેટે લેતા દંપતી ખંડિત: યુવાનનું મોત, મહિલા-બાળક સારવારમાં

ટંકારા તાલુકાના લજાઇ ગામે વાડીમાં રહેતા અને મજૂરી કામ કરતો યુવાન તેની પત્ની અને દીકરા સાથે સાઢુભાઈના ઘરે ગયો હતો અને ત્યાંથી પરત વાડીએ આવી રહ્યો હતો ત્યારે રત્ન આઠેક વાગ્યાના અરસામાં ઓટાળા ગામ પાસે અજાણી કારના ચાલકે તેઓના બાઇકને હડફેટે લીધું હતું જેથી અકસ્માતનો બનાવ બન્યો હતો અને તે બનાવમાં યુવાન, તેના પત્ની અને દીકરાને ઇજા થઈ હોવાથી તેને સારવાર માટે રાજકોટની સરકારી હોસ્પિટલે લાવ્યા હતા ત્યાં સારવાર દરમિયાન યુવાનનું મોત નીપજયું છે જેથી હોસ્પિટલ મારફતે અકસ્માત મૃત્યુના બનાવની ટંકારા તાલુકા પોલીસને જાણ કરવા માટેની કવાયત કરવામાં આવી છે

બનાવી જાણવા મળતી માહિત મુજબ મૂળ એમપીના રહેવાસી અને હાલમાં ટંકારા તાલુકાના લજાઈ ગામે રમેશભાઈની વાડીએ રહેતા અને મજૂરી કામ કરતા કિસનભાઈ સુબેસિંગ વાસકલે (૩૮) તેના પત્ની સંગીતાબેન કિશનભાઇ વાસકલે (૩૫) અને દીકરા પંકજ કિશનભાઈ વાસકલે (૬) બાઇક લઈને ઓટાળા ગામ પાસેથી વાડી તરફ આવી રહ્યા હતા ત્યારે કોઈ અજાણી કારના ચાલકે તેઓના બાઇકને હડફેટે લીધું હતું જેથી અકસ્માતનો બનાવ બન્યો હતો અને અકસ્માતના આ બનાવમાં કિશનભાઇ, સંગીતાબેન અને તેના દીકરા પંકજને ઇજાઑ થઇ હોવાથી ઇજાગ્રસ્તોને સારવાર માટે રાજકોટની સરકારી હોસ્પિટલે લઈને આવ્યા હતા અને રાજકોટ ખાતે સારવાર દરમિયાન કિશનભાઇ સુબેસિંગ વાસકલેનું મોત નીપજ્યું છે જેથી કરીને હોસ્પિટલ મારફતે આ બનાવ અંગેની ટંકારા તાલુકા પોલીસને જાણ કરવા માટેની કવાયત હાથ ધરવામાં આવી છે વધુમાં જાણવા મળતી માહિતી મુજબ કિશનભાઇ તેની પત્ની અને દીકરા સાથે તેના સાઢુભાઈના ઘરે લતીપુર ગયા હતા અને ત્યાંથી તે પરત આવતા હતા દરમિયાન અકસ્માતનો બનાવ બન્યો છે અને અકસ્માતમાં બનાવમાં તેનું મોત નીપજયું છે જેથી દીકરાએ પિતાની છત્રછાયા ગુમાવી છે અને મૃતક કિશનભાઇ ચાર ભાઈઓમાં સૌથી મોટા હતા તેવું તેના પરિવારના લોકો પાસેથી જાણવા મળેલ છે






Latest News