મેયર સારો કે મારો તે પ્રશ્નાર્થ: મોરબી મહાપાલિકાના પ્રથમ મેયર માટે ચાલતી ખેંચતાણમાં છેલ્લી ઘડીએ પેનલના નામ ઉપર નીચે કરાતા હોબાળો રાજકોટની જેલમાંથી પેરોલ ઉપર મુક્ત થયેલ કેદી નાસી જતા વાંકાનેર સિટી પોલીસ સ્ટેશનમાં ગુનો નોંધાયો મોરબીમાં સર્કિટ હાઉસ નજીક દેશી દારૂના હાટડા ઉપર સ્થાનિક લોકોની જનતા રેડ, પોલીસની કામગીરી સામે સવાલ વાંકાનેરમાં ચંદ્રપુર ગામે રહેણાક મકાનમાંથી 54 બોટલ દારૂ સાથે આરોપી ઝડપાયો, એકની શોધખોળ મોરબીના જેતપર ગામ નજીક જુગારની રેડ પડતા જુગારીઓમાં નાશ ભાગ: 9 પકડાયા, 4 ફરાર: 1.20 લાખનો મુદ્દામાલ કબજે રે કળયુગ: મોરબીમાં લાઈટ બિલ ભરવાનું કહેતા પિતાને પુત્ર અને પુત્રવધુ સહિત ત્રણ વ્યક્તિઓએ માર માર્યો હળવદના જુના ઇસનપુર ગામે જમીનના ભાગનું મનદુખ રાખીને યુવાન ઉપર ત્રણ શખ્સોએ કર્યો હુમલો મોરબી નજીક મોર્ડન પોલિમર્સ નામના પ્લાસ્ટિકની ચેર બનાવતા કારખાનામાં આગ લાગતાં લાખોનું નુકશાન
Breaking news
Morbi Today

મોરબીમાં વ્યસન છોડે તેની અગ્રણી તબીબોની ટીમ વિના મુલ્યે કરશે સારવાર: કોમનમેન ફાઉન્ડેશન


SHARE











મોરબીમાં વ્યસન છોડે તેની અગ્રણી તબીબોની ટીમ વિના મુલ્યે કરશે સારવાર: કોમનમેન ફાઉન્ડેશન

મોરબીના કોમનમેન ફાઉન્ડેશન દ્વારા તમાકુ મુક્તિ અભિયાન પ્રથમ ચરણની વિશેષ મીટીંગનું આયોજન મોરબીની પી.જી.પટેલ કોલેજ ખાતે કરવામાં આવ્યું હતું  અત્રે ખાસ ઉલ્લેખનીય છેકે હાલમાં મોરબી અને સૌરાષ્ટ્ર-કચ્છ ક્ષેત્રે તમાકુ અને પાન-માવાના વ્યસનને લીધે મોઢા અને જડબા તેમજ અન્ય કેન્સરનું પ્રમાણ ચિંતાજનક રીતે વધી રહ્યું છે. ત્યારે કોમનમેન ફાઉન્ડેશન દ્વારા સામાજીક ચેતનાના ભાગરૂપે મોરબીના અગ્રણી તબીબોની ટીમના સહયોગથી  વ્યસનમુક્તિ અભિયાન હાથ ધરવામાં આવ્યું છે જેમાં તમાકુના વ્યસનની દુરોગામી અસરો અને તમાકુના વ્યસન છોડવાના ઉપાયો વિષે મોરબીના અગ્રણી તબીબોની ટીમ દ્વારા રજૂઆત કરવામાં આવી હતી તેમજ  આ અભિયાનમા વ્યસનમુકિતના સોગંદ લેવડાવવામા આવ્યા હતા. આ અભિયાનમાં વધુમાં વધુ લોકો જોડાઈને તમાકુના વ્યસનમાંથી મુક્ત બને તેવો ઉમદા હેતુ રાખવામાં આવ્યો છે. આ અભિયાનની વિશેષતા એ છે કે, આ અભિયાનમાં જોડાઈને જેઓ તમાકુનું વ્યસન છોડશે તેઓને કોઈ શારીરિક કે માનસિક તકલીફ થશે તો મોરબીના અગ્રણી તબીબોની ટીમ વિના મુલ્યે તેમની સારવાર કરશે અને સારવારનો જો કોઈ ખર્ચ થશે તો તે કોમનમેન ફાઉન્ડેશન દ્વારા ઉઠાવવામાં આવશે તેમ સંસ્થાના પ્રમુખ ડો. સતીશ પટેલની યાદીમાં જણાવાયું છે આ અભિયાનમાં જોડાવા માટે ડૉ. સતીશ પટેલ, ડૉ. રવિન્દ્ર ભટ્ટ અને ધરતીબેન બરાસરાનો સંપર્ક કરવા માટે જણાવ્યુ છે






Latest News