ઈરાન-ઇઝરાયેલ યુધ્ધની ભયાનક અસર: મોરબીથી ટાઇલ્સ ભરીને મોકલાવેલ 1500 કન્ટેનર પાછા આવ્યા, ઉદ્યોગકારોને મોટું નુકશાન માળીયા (મી) નજીકથી તમંચા સાથે એક શખ્સ પકડાયો મોરબીમાં રામ નવમી નિમિત્તે હિન્દુ સમાજ અને વિવિધ સંગઠનો દ્વારા શોભાયાત્રાનું આયોજન મોરબીની સબ જેલ ખાતે મુસ્લિમ બંદીવાનોએ ઇદની નમાજ અદા કરી મોરબીમાં એક શામ અમર જવાનો કે નામ વીરાંજલિ કાર્યક્રમનું માતૃભૂમિ વંદના ટ્રસ્ટ દ્વારા આયોજન માળીયા (મી)ના મોટી બરાર ઘટના બાદ ખેડૂતોમાં ચિંતા: સુરક્ષા માટે લેખિત ખાતરી લેવાની માંગ ઉઠી મોરબી: ધર્મ જાગરણ સમન્વય સૌરાષ્ટ્ર પ્રાંત દ્વારા કાલે ચોટીલા ડુંગર પરિક્રમાનું આયોજન મોરબીમાં મિલેટ મહોત્સવ અને પ્રાકૃતિક ફાર્મર માર્કેટનો રાજ્ય યોગ બોર્ડના ચેરમેન શિશપાલજી રાજપૂતની હાજરીમાં પ્રારંભ
Breaking news
Morbi Today

મોરબી ગ્રાહક સુરક્ષા મંડળ દ્રારા વિવિધ ક્ષેત્રે ઉમદા કામગીરી કરનાર સેવાનિષ્ઠોને સન્માનિત કરાયા


SHARE











મોરબી ગ્રાહક સુરક્ષા મંડળ દ્રારા વિવિધ ક્ષેત્રે ઉમદા કામગીરી કરનાર સેવાનિષ્ઠોને સન્માનિત કરાયા

મોરબી શહેર અને જિલ્લા ગ્રાહક સુરક્ષા મંડળના પ્રમુખ લાલજીભાઈ મહેતા દ્વારા દર વર્ષની જેમ સમયાંતરે યોજાતાતો "જાગો ગ્રાહક જાગો" સેમિનાર યોજવામાં આવ્યો હતો.સેમિનારમાં આવેલા લોકોને કઇ રીતે છેતરવામાં આવે છે..? તે અંગે માહિતી આપવામાં આવી હતી અને ઠેતરામણીથી કઈ રીતે બચી શકાય તેમજ જો છેતરાયા હોઈએ તો કઈ રીતે ફરિયાદ કરીને વળતર કે દાદ મેળવા શકાય તે અંગેની માહિતી "જાહો ગ્રાહક જાગો" કાર્યક્રમ અનુસંધાને આપવામાં આવી હતી.આ કાર્યક્રમ દરમ્યાન સેવાનિષ્ઠોના સન્માન પણ કરવામાં આવ્યા હતા.

મોરબી શહેર ગ્રાહક સુરક્ષા મંડળ તરફથી પોલીસ, બેંક, પોસ્ટ, પુરવઠા વગેરે વિભાગના નિષ્ઠાવાન કર્મચારીઓ, અલગ-અલગ ક્ષેત્રે સેવા કરતા લોકો અને મોરબીનુ ગૌરવ કહી શકાય તેવા લોકો તેમજ મોરબી જિલ્લા યુવા વિકાસ અધિકારીનું સાલ ઓઢાળીને તેમજ શીલ્ડ એનાયત કરીને સન્માન કરવામાં આવ્યુ હતુ.આ પ્રસંગે રાજકોટના પૂર્વ સાંસદ રમાબેન માવાણી અને રામજીભાઈ માવાણી, દિલીપભાઈ અગેચાણીયા (પ્રમુખ બાર એસોસીએશન-મોરબી, ઘનશ્યામસિંહ ઝાલા (પ્રમુખ શ્રી નારાયણ સેવા સંસ્થા-મોરબી શાખા) તેમજ મનીપ્લસ શરાફી મંડળીના પ્રમુખ-ઉપપ્રમુખ અને અન્ય મહાનુભવોએ હાજરી આપી હતી.કાર્યક્રમને સફળ બનાવવા સંસ્થાના પ્રમુખ લાલજીભાઇ મહેતા, બળવંતભાઇ ભટ્ટ અને રામભાઇ મહેતા સહિતનાઓએ જહેમત ઉઠાવી હતી.






Latest News