ટંકારા ખાતે યોજાયેલ ખેડૂત સભામાં ગુજરાતનાં કલાકારો વિષે રાષ્ટ્રીય કોંગ્રેસ સેવાદળ અધ્યક્ષ લાલજીભાઇ દેસાઇએ કરેલ ટિપ્પણીનો વિડીયો થયો વાયરલ કલયુગની અંતિમ ઘડી છે ત્યારે વ્યક્તિ પોતાનામાં પરીવર્તન લાવીને વિશ્વમાં પરીવર્તન લાવવામાં સહયોગ આપી શકે: જયંતી દીદી ​​​​​​​મોરબી જીલ્લામાં કલેકટરના આદેશથી ગામડાઓમાં પ્રાથમિક સુવિધાઓ-સરકારી યોજનાઓના અમલીકરણનું મૂલ્યાંકન કરતાં અધિકારીઓ મોરબી જીલ્લામાં સ્પાના નિયમન-નિયંત્રણ માટે જાહેરનામું પ્રસિધ્ધ મોરબી જિલ્લામાં કાયદો-વ્યવસ્થાની જાળવણી થાય તે હેતુથી ૧૦૬ વિસ્તારોમાં ડ્રોન ઉડાડવા ઉપર પ્રતિબંધ મોરબીમાં ઉમિયા સર્કલથી દલવાડી સર્કલનો રૂટ હવે વન-વે મોરબી સાર્થક વિદ્યામંદિરના વિદ્યાર્થીઓએ કલાત્મક ક્ષેત્રે રાજ્યકક્ષાએ શ્રેષ્ઠ સિદ્ધિ મેળવી મોરબીના સિરામિક ઉદ્યોગકારોનો બાંધકામની જંત્રીને લગતો પ્રશ્ન વહેલી તકે ઉકેલાય તે માટે મુખ્યમંત્રીને કરાઇ રજૂઆત
Breaking news
Morbi Today

મોરબીમાં રવિવારે પૂર્વ નાયબ મુખ્યમંત્રી નીતીનભાઇ પટેલના હસ્તે ખોખરા હનુમાન ધામમાં નવનિર્મિત ભવનનું ઉદ્દઘાટન


SHARE











મોરબીમાં રવિવરે  પૂર્વ નાયબ મુખ્યમંત્રી નીતીનભાઇ પટેલના હસ્તે ખોખરા હનુમાન ધામમાં નવનિર્મિત ભવનનું ઉદ્દઘાટન

મોરબીના માળીયા હાઇવે ઉપર આવેલા ભરતનગર અને બેલા ગામની વચ્ચે આવેલ શ્રી ખોખરા હનુમાન હરિહરધામ ખાતે કેશવાનંદ બાપુ વેદ વિદ્યાલય, સદગુરૂ સંસ્કૃત મહાવિદ્યાલય તેમજ ગુરૂકુળના નવા ભવનનું તા.૩ ને રવિવારના રોજ પૂર્વ નાયબ મુખ્યમંત્રી નીતીનભાઇ પટેલના હસ્તે ઉદઘાટન કરાશે.ભરતનગર નજીક આવેલ ખોખરા હનુમાન હરિહરધામમાં કનકેશ્વરી દેવીના સાનિધ્યમાં કેશવાનંદ બાપુ વેદ વિદ્યાલય, સદગુરુ સંસ્કૃત મહાવિદ્યાલય તથા ગુરૂકુળનું તા.૩ ને રવિવારના રોજ ઉદ્દઘાટન થશે.ઉદઘાટન સમારોહ બાદ કેશવાનંદ વેદ વિદ્યાલયના ઋષિકુમારો દ્વારા વૈદિક કાર્યક્રમ યોજાશે ત્યાર બાદ સંતોનાં આશીર્વચન તથા મહાનુભવોનું પ્રાસંગિક વક્તવ્ય યોજાનાર છે અને મહાપ્રસાદનું પણ આયોજન કરાવામાં આવેલ છે.

ઉદઘાટન સમારોહમાં રાજયના પૂર્વ નાયબ મુખ્યમંત્રી નીતીનભાઇ પટેલ તેમજ અતિથિ તરીકે ઇન્દોર ભાજપના મહાસચિવ કૈલાશ વિજયવર્ગીય હાજર રહેશે.તેમજ સાંસદ મોહનભાઇ કુંડારીયા અને વિનોદભાઇ ચાવડા, તાજેતરમાં જ વરણી પામેલા રાજ્યમંત્રી બ્રિજેશભાઇ મેરજા, ગુજરાત પ્રદેશ ભાજપ ઉપપ્રમુખ જયંતિભાઈ કવાડિયા, પૂર્વ ધારાસભ્ય કાંતિભાઇ અમૃતિયા, મોરબી જિલ્લા કોંગ્રેસ પ્રમુખ જયંતીભાઈ પટેલ સહિતના આમંત્રિતો ઉપસ્થિત રહેશે. કાર્યક્રમનું સંચાલન હસુભાઈ પંડ્યા કરશે.






Latest News