મોરબીમાં દેણું વધી જતા ગુમ થયેલુ દંપતિ હેમખેમ ઘેર પરત ફર્યું, વજેપર, શનાળા, સિપાઈવાસ, પંચાસર રોડ પરથી દારૂ ઝડપાયો મોરબી કબીર ટેકરીમાં સસ્તા અનાજની દુકાન બંધ થતા સ્થાનિકોને રીક્ષા ભાડા ખર્ચી દુર જવું પડે છે લોકોની હાલાકી અંગે કોર્પોરેટરે કરી જિલ્લા કલેકટરને રજુઆત ભારતમાં મુસ્લિમોની વસ્તી અટકાવવા ત્રીજુ સંતાન થાય તો સરકારી અનાજ, શાળામાં પ્રવેશ, મેડિકલ સારવાર, બેંક લોન અને વોટ આપવાનો અધિકાર બંધ કરો: પ્રવીણ તોગડિયા મોરબી શહેર ભાજપમાં ઉપપ્રમુખ-મંત્રીઓની વરણી કરાઇ મોરબીના ખાનપર ગામે ઘરના ફળિયામાં પડી જતાં ઇજા પામેલા યુવાનનું મોત: સાપર નજીક કારખાનામાં ઇલેક્ટ્રીક શૉટ લગતા યુવાનનું મોત મોરબીની અણીયારી ચોકડી પાસે 2 ભેંસ-2 પાડાને કતલખાને લઈએ જતી બોલેરો સાથે બે શખ્સને ગૌરક્ષકોએ પકડ્યા વાંકાનેરના જોધપર ગામે છોકરાઓના રમવા બાબતે મહિલા અને તેની દીકરીને 4 મહિલા સહિત 6 લોકોએ માર માર્યો આજે તો તું બચી ગયો હવે ભેગો થઈશ તો પાડી દેશું: વાંકનેરના રાજાવડલા ગામે યુવાનને તેના બે ભાઈ-ભાભીઓએ આપી ધમકી
Breaking news
Morbi Today

મોરબીના રવાપર ગામે પાટીદાર નવરાત્રીના આયોજનને રોક લાગશે તો લડતની ચીમકી: સોસાયટીના લોકો જ આમને સામને !


SHARE







મોરબીના રવાપર ગામે પાટીદાર નવરાત્રીના આયોજનને રોક લાગશે તો લડતની ચીમકી: સોસાયટીના લોકો જ આમને સામને !

મોરબીના રવાપર ગામે શક્તિ ટાઉનશીપ પાસે નવરાત્રીનું આયોજન કરવામાં આવ્યું છે જેના વિરોધમાં થોડા દિવસો પહેલા સ્થાનિક લોકોએ આવેદનપત્ર આપ્યું હતું ત્યારે બાદ ગામના સરપંચ સહિતના સ્થાનિક લોકોએ કલેકટરને આવેદનપત્ર આપ્યું છે અને જો નવરાત્રીના આયોજન ઉપર રોક લાગશે તો લડત શરૂ કરાશે તેવી ચીમકી ઉચ્ચારી છે આમ નવરાત્રીના આયોજન માટે હાલમાં સોસાયટીના લોકો સામસામે આવી ગયા હોય તેવો ઘાટ સર્જાયો છે

મોરબીમાં રવાપર ગામે આવેલ શક્તિ ટાઉનશિપ અને રવાપર રેસિડેન્સીની વચ્ચેના ગ્રાઉન્ડમાં સેવા   સંપત્તિ ટ્રસ્ટ દ્વારા પાટીદાર નવરાત્રી મહોત્સવનું આયોજન કરવામાં આવતું હોય છે  જેની સામે વિરોધ વ્યક્ત કરીને સ્થાનિક લોકો દ્વારા તેનો વિરોધ કરવામાં આવ્યો હતો અને ુદી ુદી સોસાયટીઓના લોકો તેમજ ૨૫ ેટલા બહુમાળી બાંધકામોમાં રહેતા લોકોમાં પ્રેગનેટ મહિલાબાળકોવૃદ્ધો સહિતનાઓને હાલાકીનો સામનો કરવો પડે તેવી શક્યતા છે તેવી કહીને નવરાત્રિના આયોજનને અન્ય સ્થળે ખસેડવામાં આવે તેવી માંગ કરી હતી દરમ્યાન ગામના સરપંચ નિતિનભાઈ પટેલ તેમજ શક્તિ ટાઉનશિપમાં રહેતા બીજા લોકોની સહી સાથે બીજું આવેદનપત્ર આપવામાં આવ્યું છે જેમાં જણાવ્યુ છે કે, અગાઉ આપેલા આવેદનપત્રમાં ઘણા સ્થાનિકોની સહમતિ નથી. અને દર વર્ષે આયોજન કરવામાં આવે છે તો આ વર્ષે જ કેમ વાંધો લેવામાં આવેલ છે તેવો સવાલ પણ કરવામાં આવેલ છે અને જો રાજકીય રાગદ્વેસથી નવરાત્રીના આયોજન ઉપર રોક લગાવવામાં આવશે. તો હિન્દુ સંગઠનોને સાથે રાખીને કાયદાકીય લડત કરવામાં આવશે તેવી ચીમકી ઉચ્ચારી છે જેથી નવરાત્રીના આયોજનને લઈને હાલમાં સોસાયટીના લોકો જ સામસામે આવી ગયા હોય તેવો ઘાટ સર્જાયો છે






Latest News