મોરબી કબીર ટેકરીમાં સસ્તા અનાજની દુકાન બંધ થતા સ્થાનિકોને રીક્ષા ભાડા ખર્ચી દુર જવું પડે છે લોકોની હાલાકી અંગે કોર્પોરેટરે કરી જિલ્લા કલેકટરને રજુઆત ભારતમાં મુસ્લિમોની વસ્તી અટકાવવા ત્રીજુ સંતાન થાય તો સરકારી અનાજ, શાળામાં પ્રવેશ, મેડિકલ સારવાર, બેંક લોન અને વોટ આપવાનો અધિકાર બંધ કરો: પ્રવીણ તોગડિયા મોરબી શહેર ભાજપમાં ઉપપ્રમુખ-મંત્રીઓની વરણી કરાઇ મોરબીના ખાનપર ગામે ઘરના ફળિયામાં પડી જતાં ઇજા પામેલા યુવાનનું મોત: સાપર નજીક કારખાનામાં ઇલેક્ટ્રીક શૉટ લગતા યુવાનનું મોત મોરબીની અણીયારી ચોકડી પાસે 2 ભેંસ-2 પાડાને કતલખાને લઈએ જતી બોલેરો સાથે બે શખ્સને ગૌરક્ષકોએ પકડ્યા વાંકાનેરના જોધપર ગામે છોકરાઓના રમવા બાબતે મહિલા અને તેની દીકરીને 4 મહિલા સહિત 6 લોકોએ માર માર્યો આજે તો તું બચી ગયો હવે ભેગો થઈશ તો પાડી દેશું: વાંકનેરના રાજાવડલા ગામે યુવાનને તેના બે ભાઈ-ભાભીઓએ આપી ધમકી મોરબીના લાલપર નજીક એક્ટિવા અને બડા દોસ્ત તથા સજનપર નજીક કાર-બસ વચ્ચે અકસ્માત
Breaking news
Morbi Today

સરદાર પટેલ વિષે ટીપ્પણી કરનાર દેવાયત ખવડ મોરબીના કાર્યક્રમમાં નહીં આવે: રામકથાના મંડપમાં હાસ્ય કલાકાર ધીરૂભાઇ સરવૈયા કરશે જમાવટ


SHARE







સરદાર પટેલ વિષે ટીપ્પણી કરનાર દેવાયત ખવડ મોરબીના કાર્યક્રમમાં નહીં આવે: રામકથાના મંડપમાં હાસ્ય કલાકાર ધીરૂભાઇ સરવૈયા કરશે જમાવટ

મોરબીમાં ઝૂલતા પુલ દુર્ઘટનાના દિવંગતોના મોક્ષાર્થે યોજાયેલ રામકથાના મંડપમાં દરરોજ સાંજના ચારથી સાત ત્રણ કલાક સુધી લોકડાયરા સહિતના કાર્યક્રમોનું આયોજન દ્વારા કરવામાં આવે છે. દરમિયાન આજે તારીખ ૫-૧૦ ના રોજ સાંજે દેવાયત ખવડ સહિતના કલાકારોના કાર્યક્રમનું આયોજન કરવામાં આવ્યું હતું જોકે આયોજકો પાસેથી જાણવા મળતી માહિતી પ્રમાણે આજે સાંજે રામકથાના મંડપમાં હાસ્યની રમઝટ બોલશે જેમાં જાણીતા હાસ્ય કલાકાર ધીરુભાઈ સરવૈયા, વસોયા બાપા સહિતનાઓ દ્વારા જમાવટ કરવામાં આવશે.

મોરબીના નાનીવાવડી ગામ પાસે આવેલ કબીરધામની સામેના મેદાનમાં મોરારીબાપુની રામકથા ચાલી રહી છે અને આ રામકથાના મંડપમાં દરરોજ સાંજે ૪ થી ૭ દરમિયાન લોક ડાયરા સહિતના સાંસ્કૃતિક કાર્યક્રમોવયનું આયોજન કરવામાં આવ્યું છે.જેમાં અગાઉ ઓસમાણ મીર, માયાભાઈ આહીર સહિતના જાણીતા કલાકારોના કાર્યક્રમ યોજાઈ ગયા છે જોકે, આજે તારીખ ૫-૧૦ ના રોજ સાંજે દેવાયત ખવડ સહિતના કલાકારોનો કાર્યક્રમ રાખવામાં આવ્યો છે જોકે દેવાઈટ ખવડને લઈને મોરબીના સોશિયલ મીડિયામાં વહેતી થયેલ પોસ્ટના લીધે આયોજન સમિતિમાં જોડાયેલા અરવિંદભાઇ વાસદડીયા અને ધારાસભ્ય દુર્લભજીભાઇ દેથરીયા સાથે વાત કરતા તેમણે જણાવ્યું હતું કે આજે સાંજે જાણીતા હાસ્ય કલાકાર ધીરૂભાઈ સરવૈયા, વસોયા બાપા વિગેરે હાસ્યની રમઝટ બોલાવશે જોકે દેવાયત ખવડ આવશે નહી તે નકકી નથી. જેથી આજના કાર્યક્રમમાં દેવાયત ખવડના કાર્યક્રમને બદલે ધીરૂભાઈ સરવૈયા સહિતના હાસ્ય કલાકારોના કાર્યક્રમનું આયોજન કરવામાં આવ્યું છે.

અત્રે ઉલ્લેખનીય છે કે, તાજેતરમાં કોઈ લોક ડાયરાની અંદર દેવાયત ખવડ દ્વારા સરદાર પટેલ વિશે જે ટિપ્પણી કરવામાં આવી હતી તેને લઈને પાટીદાર સમાજમાં રોષ જોવા મળી રહ્યો હતો અને તેથી મોરબી પાટીદાર સમાજના નામે સોશિયલ મીડિયામાં દેવાયત ખવજની વિરૂધ્ધમાં પોસ્ટ વાયરલ થઈ હતી જેને લઈને કથા સ્થળે યોજાતા લોક ડાયરાના કાર્યક્રમમાં ફેરબદલ થયો છે.તેવું ચર્ચાઇ રહ્યુ છે.






Latest News