મોરબી કબીર ટેકરીમાં સસ્તા અનાજની દુકાન બંધ થતા સ્થાનિકોને રીક્ષા ભાડા ખર્ચી દુર જવું પડે છે લોકોની હાલાકી અંગે કોર્પોરેટરે કરી જિલ્લા કલેકટરને રજુઆત ભારતમાં મુસ્લિમોની વસ્તી અટકાવવા ત્રીજુ સંતાન થાય તો સરકારી અનાજ, શાળામાં પ્રવેશ, મેડિકલ સારવાર, બેંક લોન અને વોટ આપવાનો અધિકાર બંધ કરો: પ્રવીણ તોગડિયા મોરબી શહેર ભાજપમાં ઉપપ્રમુખ-મંત્રીઓની વરણી કરાઇ મોરબીના ખાનપર ગામે ઘરના ફળિયામાં પડી જતાં ઇજા પામેલા યુવાનનું મોત: સાપર નજીક કારખાનામાં ઇલેક્ટ્રીક શૉટ લગતા યુવાનનું મોત મોરબીની અણીયારી ચોકડી પાસે 2 ભેંસ-2 પાડાને કતલખાને લઈએ જતી બોલેરો સાથે બે શખ્સને ગૌરક્ષકોએ પકડ્યા વાંકાનેરના જોધપર ગામે છોકરાઓના રમવા બાબતે મહિલા અને તેની દીકરીને 4 મહિલા સહિત 6 લોકોએ માર માર્યો આજે તો તું બચી ગયો હવે ભેગો થઈશ તો પાડી દેશું: વાંકનેરના રાજાવડલા ગામે યુવાનને તેના બે ભાઈ-ભાભીઓએ આપી ધમકી મોરબીના લાલપર નજીક એક્ટિવા અને બડા દોસ્ત તથા સજનપર નજીક કાર-બસ વચ્ચે અકસ્માત
Breaking news
Morbi Today

નિતીમતા : મોરબીના માટેલ ગામે સરકારી શાળાના બે બાળકોને રસ્તા ઉપરથી મળેલા રૂપિયા ૯૦૦૦ આચાર્યને સુપ્રત કર્યા


SHARE







નિતીમતા : મોરબીના માટેલ ગામે સરકારી શાળાના બે બાળકોને રસ્તા ઉપરથી મળેલા રૂપિયા ૯૦૦૦ આચાર્યને સુપ્રત કર્યા

મોરબી જિલ્લાના વાંકાનેર તાલુકામાં આવતા માટેલ ગામે માટેલ પે સેન્ટર શાળાના બે વિદ્યાર્થીઓ રોડ ઉપરથી જતા હતા ત્યારે તેઓને રોકડા રૂપિયા ૯૦૦૦ ની થપ્પી મળી હતી.જે રકમ તેઓએ લાલચમાં આવ્યા વગર શાળાના આચાર્યને સુપ્રત કરેલ છે.આ બાબતે વધુમાં મળતી માહિતી પ્રમાણે માટેલ પે સેન્ટર શાળાના વિદ્યાર્થી જીવણ જીતેશભાઈ વિરસોડીયા (ધોરણ ૬) અને બળદેવ રાજુભાઈ સેટાણીયા (ધોરણ ૬) બંને રિસેસમાં શાળાએથી ઘર તરફ જતા હતા ત્યારે રસ્તામાં તેઓને રોકડા રૂપિયા ૯૦૦૦ ની થપ્પી મળી હતી. જેથી લોભ લાલચમાં આવ્યા વગર નીતિમત્તા દાખવીને બંને બાળકોએ આ રકમ માટેલ પે સેન્ટર શાળાના આચાર્ય કિશોરભાઈ પારેલીયાને સુપ્રત કર્યા હતા. જો માટેલ વિસ્તારમાં આ મુજબની કોઈ રકમ કોઈની ગુમ થયેલ હોય તો ખાતરી આપીને મેળવી લેવા યાદીમાં જણાવેલ છે.બાળકોએ નાની ઉંમરમાં દાખવેલ પ્રમાણિકતા બદલ શાળાના આચાર્ય સહિતનાઓએ તેમની પ્રમાણિકતાને બીરદાવી હતી.






Latest News