મોરબીમાં સર્કિટ હાઉસ નજીક દેશી દારૂના હાટડા ઉપર સ્થાનિક લોકોની જનતા રેડ, પોલીસની કામગીરી સામે સવાલ વાંકાનેરમાં ચંદ્રપુર ગામે રહેણાક મકાનમાંથી 54 બોટલ દારૂ સાથે આરોપી ઝડપાયો, એકની શોધખોળ મોરબીના જેતપર ગામ નજીક જુગારની રેડ પડતા જુગારીઓમાં નાશ ભાગ: 9 પકડાયા, 4 ફરાર: 1.20 લાખનો મુદ્દામાલ કબજે રે કળયુગ: મોરબીમાં લાઈટ બિલ ભરવાનું કહેતા પિતાને પુત્ર અને પુત્રવધુ સહિત ત્રણ વ્યક્તિઓએ માર માર્યો હળવદના જુના ઇસનપુર ગામે જમીનના ભાગનું મનદુખ રાખીને યુવાન ઉપર ત્રણ શખ્સોએ કર્યો હુમલો મોરબી નજીક મોર્ડન પોલિમર્સ નામના પ્લાસ્ટિકની ચેર બનાવતા કારખાનામાં આગ લાગતાં લાખોનું નુકશાન ડીઝલના ધાંધિયા શરૂ: મોરબી જિલ્લામાં નાયરાના મોટાભાગના પંપ ઉપર ડીઝલનું વેચાણ બંધ, સરકારી પેટ્રોલ પંપ ઉપર પણ ડીઝલનો જથ્થો મર્યાદિત ટંકારાના રાજ્ય એવોર્ડી શિક્ષિકા જીવતીબેન પીપલિયાના ત્રણ પુસ્તકનું ભવ્ય અનાવરણ
Breaking news
Morbi Today

મોરબીમાં જૈન સમાજ દ્વારા તપસ્વીઓનો ભવ્ય વરઘોડો નીકળ્યો: બહોળી સંખ્યામાં લોકો જોડાયા


SHARE











મોરબીમાં જૈન સમાજ દ્વારા તપસ્વીઓનો ભવ્ય વરઘોડો નીકળ્યો: બહોળી સંખ્યામાં લોકો જોડાયા

 મોરબીમાં જૈન સમાજ દ્વારા દરવર્ષે યોજાતી રથયાત્રાનો આજે ભવ્ય વરઘોડો નીકળ્યો હતો જેમાં બહોળી સંખ્યામાં જૈન સંઘના ભાઈઓ બહેનો જોડાયા હતા આ રથયાત્રા ધર્મનાથ જૈન બેન્ડ પાર્ટીની સૂરાવલિ સાથે દરબાર ગઢથી શરૂ થઈને નહેરુગેઇટ ચોક, જુના બસ સ્ટેશન રોડ થઈને પ્લોટ દેરાસર ખાતે પહોચી હતી આ રથયાત્રા પન્યાસપૂર્વ દિવ્યયશ વિજયજી મહારાજ સાહેબ તથા સાધ્વીજી સંવેડારત્નશ્રીજીની શુભ નીશ્રામાં કાઢવામાં આવી હતી અને સંઘ પ્રમુખ સહિતના હોદેદારો તેમજ ટ્રસ્ટીગણ સહિત સંઘના તમામ લોકો રથયાત્રામાં હાજર રહ્યા હતા ખાસ કરીને આ રથયાત્રામાં દોશી વનેચંદભાઈ ત્રિભોવનભાઈ પરિવારે સારથી બનવાનો અને પ્રભુજીની પાલખી ઉપાડવાનો લાભ લીધો હતો તથા માતૃશ્રી મધુબેન સેવંતિભાઈ સંઘવી પરિવારે પ્રભુજીને લઈને રથમાં બેસવાનો લાભ લીધેલ હતો આ રથયાત્રાને સફળ બનાવવા માટે કલ્પેશભાઇ ઘોઘાણી, ભાવેશભાઈ શાહ, ભરતભાઇ દોશી, ભાવેશભાઈ દોશી, કિરીટભાઇ સંઘવી તેમજ હોદેદારો અને ટ્રસ્ટીઓએ જહેમત ઉઠાવી હતી






Latest News