મોરબીમાં નવું ફાયર સ્ટેશન-બાગ બગીચા સહિતના વિકાસ કામોને ઝડપથી પૂરા કરવા સ્ટેન્ડિંગ કમિટીની બેઠકમાં અધિકારીને અપાઈ સૂચના મોરબીમાં ચેક રીર્ટન કેસમાં આરોપીને નિર્દોષ છોડી મુકવાનો કોર્ટનો મહત્વપુર્ણ ચુકાદો મોરબીમાં શ્રાવણ મહિનાના તમામ સોમવાર અને જન્માષ્ટમીએ કતલખાના બંધ રાખવા આદેશ મોરબી મહાપાલિકાના સિવિક સેન્ટરમાં અધિકારીએ કરેલ અપમાનજનક વર્તનથી કંટાળીને 7 કર્મચારીઓનું સામૂહિક રાજીનામુ મોરબીના મકનસર ગામે લોંગ ટર્મ વીઝા ધારક પાકિસ્તાની નાગરિકો માટે કેમ્પ, અધ્યયન મંડળ દ્રારા શનિવારે બૌદ્ધિક વર્ગનું આયોજન મોરબી તાલુકામાંથી સગીરાનું અપહરણ-દુષ્કર્મના ગુનામાં મુખ્ય આરોપીને 20 વર્ષની સજા, 25 હજારનો દંડ: 4 આરોપીઓનો નિર્દોષ છુટકારો મોરબી ગ્રાહક સુરક્ષા મંડળે કેશ કરતાં ફ્રી માં કાર વ્યવસ્થિત કરી આપવા હુકમ લાયન્સ કલબ ઓફ મોરબી સીટી દ્વારા સી.એમ.જાકાસણીયા હાઈસ્કૂલ જેતપર (મચ્છુ) ખાતે સ્વચ્છતા તથા વ્યસન અને નશામુક્તિ અભિયાન પ્રોજેક્ટ
Breaking news
Morbi Today

મોરબીના ખાખરેચી ગામે ઝેરી દવા પી ગયેલ યુવાનને રાજકોટ ખસેડાયો


SHARE







મોરબીના ખાખરેચી ગામે ઝેરી દવા પી ગયેલ યુવાનને રાજકોટ ખસેડાયો

મોરબી જિલ્લાના માળિયા મીંયાણા તાલુકાના ખાખરેચી ગામનો યુવાન કોઈ અગમ્ય કારણોસર ઝેરી દવા પી ગયો હતો જેથી તેને સારવાર માટે મોરબીની સિવિલ હોસ્પિટલે લાવવામાં આવ્યો હતો અને અહીંથી પ્રાથમિક સારવાર આપીને હાલ તેને વધુ સારવાર માટે રાજકોટ લઈ જવામાં આવ્યો હોવાનું પોલીસ સૂત્રો દ્વારા જણાવવામાં આવેલ છે.

મોરબી સીટી એ ડિવિઝન પોલીસ સૂત્રોમાંથી મળતી માહિતી પ્રમાણે માળિયા મીંયાણા તાલુકાના ખાખરેચી ગામના વતની સાવન અમુભાઈ કોળી નામના ૧૯ વર્ષના યુવાને કોઈ કારણોસર ઝેરી દવા પી લીધી હતી.જેથી તેને સારવાર માટે મોરબીની સરકારી હોસ્પિટલ ખાતે સારવારમાં લાવવામાં આવ્યો હતો.અહીં તેની પ્રાથમિક સારવાર કરવામાં આવ્યા બાદ હાલત નાજુક જણાતા વધુ સારવાર માટે હાલ તેને રાજકોટ લઈ જવામાં આવ્યો હોવાનું જાણવા મળેલ છે.આ બાબતની હોસ્પિટલ તરફથી જાણ કરવામાં આવતા મોરબી એ ડિવિઝન પોલીસ મથકના વિપુલભાઈ ફુલતરીયા દ્વારા પ્રાથમિક નોંધ કરીને બનાવ સંદર્ભે માળિયા પોલીસમાં જાણ કરવામાં આવી હતી.

મારામારીના બનાવમાં પરણીતાને ઈજા

મોરબીના વીસીપરામાં આવેલ રોહીદાસ પરામાં રહેતા મીનાબેન કિશનભાઇ ધોળકિયા નામના ૨૫ વર્ષીય મહિલાને મારામારીના બનાવમાં ઈજા થતા સિવિલે સારવારમાં ખસેડાયા હતા.હોસ્પિટલ ખાતેથી જાણ કરાતા બી ડિવિઝન પોલીસ મથકના હિતેશભાઈ મકવાણા તપાસ માટે હોસ્પિટલે પહોંચ્યા હતા અને તપાસ કરતા સામે આવ્યું હતું કે, મીનાબેનને તેમના પતિ દ્વારા માર મારવામાં આવ્યો હતો જેથી સારવારમાં ખસેડાયા હતા.વધુમાં પોલીસના જણાવ્યા પ્રમાણે પૈસાની બાબતે પતિ સાથે ઝઘડો થયો હોય તે બાબતને લઈને પતિ દ્વારા મીનાબેનને માર મારવામાં આવ્યો હતો જે અંગે ભોગ બનનાર દ્રારા ફરીયાદ અરજી આપવામાં આવતા હાલ આ બાબતે નોંધ કરીને વધુ તપાસ ચાલુ છે.

મારામારીમાં ઈજા થતા સારવારમાં

મોરબીના રફાળેશ્વર ગામે રફાળેશ્વર મહાદેવ મંદિર નજીક મારામારીનો બનાવ બન્યો હતો જે બનાવની અંદર કાંતુભાઈ મંગલિયાભાઈ ભુરીયા (ઉમર ૪૫) રહે.સીસમ સીરામીક પાસે પીપળી રોડ મોરબી વાળાને ઇજાઓ પહોંચી હતી જેથી તેઓને સારવાર માટે જે તે સમયે સિવિલ હોસ્પિટલે લાવવામાં આવ્યા હતા અને સારવાર કર્યા બાદ હોસ્પિટલ તરફથી જાણ કરવામાં આવતા તાલુકા પોલીસ મથકના એ.એમ ઝાપડિયા દ્વારા આ બાબતે નોંધ કરીને વધુ તપાસ ચલાવવામાં આવી હતી.

 






Latest News