મોરબી જીલ્લામાં કામ કરતાં પરપ્રાંતિય કર્મચારીઓ અને ભાડુઆતની માહિતી પોલીસને આપવા જાહેરનામું પ્રસિદ્ધ મોરબી જીલ્લામાં સ્પાના નિયમન-નિયંત્રણ માટે કલેકટરે પ્રસિદ્ધ કર્યું જાહેરનામું મોરબી જિલ્લાના બંદર-ડેમ સહિત ૧૦૬ વિસ્તારોમાં ડ્રોન ઉડાડવા ઉપર પ્રતિબંધ મોરબી તાલુકાનાં લુંટ/ ધાડ-લુંટની કોશિશના બે ગુનામાં નાસતો ફરતો આરોપી 30 વર્ષે પકડાયો ઈરાન-ઇઝરાઈલ યુદ્ધના લીધે મોરબી પેપર મિલ ઉદ્યોગના 800થી વધુ કન્ટેનરો દરિયાઈ માર્ગ-પોર્ટ ઉપર ફસાયા મોરબીના જુના બસ સ્ટેશન પાસે અપરણિત યુવાને ગળેફાંસો ખાઈને કર્યો આપઘાત હળવદના દીઘડીયા ગામ પાસેથી 288 બોટલ દારૂ ભરેલ કાર સાથે એક ઝડપાયો, 5.56 લાખના મુદ્દામાલ કબજે વિશ્વ શાંતિ માટે મોરબીમાં આગામી ગુરુવારે નવકાર મંત્ર જાપનું આયોજન
Breaking news
Morbi Today

મોરબીની સબ જેલમાં અપહરણ, દુષ્કર્મ અને પોકસોના કેદીએ કર્યો આપઘાત


SHARE











મોરબીની સબ જેલમાં અપહરણ, દુષ્કર્મ અને પોકસોના કેદીએ કર્યો આપઘાત

માળીયા મિયાણા તાલુકાનાં અપહરણ, દુષ્કર્મ અને પોકસોના કેસમાં આરોપીને પકડીને એક મહિના પહેલા મોરબીની સબ જેલમાં મૂકવામાં આવ્યો હતો જે કેદીએ સબ જેલની બેરેકના બાથરૂમમાં ગળાફાંસો ખાઈને આપઘાત કરી લીધેલ છે જેથી કરીને આ અંગેની મોરબી એ ડિવિઝન પોલીસને જાણ કરવામાં આવતા પોલીસે બનાવની નોંધ કરીને આગળની કાર્યવાહી કરેલ છે

બનાવની જાણવા મળતી માહિતી મુજબ માળીયા મિયાણા તાલુકાનાં અપહરણ, દુષ્કર્મ અને પોકસોના કેસમાં પકડાયેલા કાચા કામના કેદી સોમનાથ ઉર્ફે શોભનાથ રામપ્રતાપ રાજપૂત (૨૨)ને મોરબીની સબ જેલમાં રાખવામા આવ્યો હતો દરમ્યાન તેને બેરેક નંબર ૧૦ ના બાથરૂમમાં તેનો રૂમાલ બાંધીને ગળાફાંસો ખાઈને આપઘાત કરી લીધો હતો. જેથી તેને મૃતહેદને મોરબીની સિવિલ હોસ્પિટલે લઈને આવ્યા હતા અને આ બનાવની મોરબી એ ડિવિઝન પોલીસ સ્ટેશન ખાતે જાણ કરી હતી. વધુમાં જેલના સ્ટાફ પાસેથી મળતી માહિતી મુજબ વર્ષ ૨૦૨૨ ના માળીયા મિયાણા તાલુકાનાં અપહરણ, દુષ્કર્મ અને પોકસોના કેસમાં આરોપીને પકડીને એક મહિના પહેલા મોરબીની સબ જેલમાં મૂકવામાં આવ્યો હતો અને જેલમાં કેદીની ગણતરી કરવામાં આવી રહી હતી ત્યારે એક કેદી ઓછો હતો જેથી તેની શોધખોળ શરૂ કરી હતી ત્યારે બાથરૂમમાંથી તેની આપઘાત કરેલ હાલતમાં લાશ મળી હતી જેથી આ ઘટનાની મૃતકના ભાઈને જાણ કરવામાં આવી હતી






Latest News