મોરબી : ટાઈલ્સ ટ્રેડીંગનો ધંધો બરોબર ન ચાલતા દવા પીધી-સારવારમાં મોરબીમાં દારૂની જુદી-જુદી પાંચ રેડ : 36 બોટલ શરાબ પકડતી પોલીસ વાંકાનેરમાં વધુ એક બાયપાસ બનતા જીનપરા જકાતનાકે વાહનોનું ભારણ ઘટશે, કોરોના પહેલાની બંધ કરાયેલ લોકલ ટ્રેન ફરી શરૂ કરવા રજૂઆત: પત્રકાર પરિષદમાં સાંસદ કેસરીદેવસિંહ ઝાલાએ આપી માહિતી મોરબીમાં છેલ્લા 15 વર્ષથી શિક્ષણ સેવા ક્ષેત્રે અનોખું યોગદાન : મદની સરકાર એજ્યુકેશન ટ્રસ્ટ દ્વારા 120 થી વધુ વિદ્યાર્થીઓને શિક્ષણ કીટનું વિતરણ મોરબી: અપહરણ-પોકસોના કેસમાં ગુજરાત હાઇકોર્ટે આરોપીનો જામીન ઉપર છુટકારો કર્યો ચેક રીર્ટનના કેસમાં બે વર્ષની સાદી કેદની સજા અને ૪,૧૫,૦૦૦ નો દંડ તથા વ્યાજ સહિત ચુકવવાનો હુકમ કરતી મોરબી કોર્ટ મોરબીના જેતપર ગામે આજે ઉપવાસી છાવણી ખાતે રક્તદાન કેમ્પ યોજાશે: ખેડૂતો વીજ કંપની સામે આક્રોશ સાથે રક્તદાન કરવા ઉમટી પડ્યા મોરબીના જેતપર ગામે છેલ્લા છ દિવસથી આમરણાંત ઉપવાસ કરી રહેલ નેહુલ અમૃતિયાની તબિયત લથડી: ખેડૂતો હજુ પણ તેની માંગ ઉપર મક્કમ
Breaking news
Morbi Today

મોરબીની સબ જેલમાં અપહરણ, દુષ્કર્મ અને પોકસોના કેદીએ કર્યો આપઘાત


SHARE











મોરબીની સબ જેલમાં અપહરણ, દુષ્કર્મ અને પોકસોના કેદીએ કર્યો આપઘાત

માળીયા મિયાણા તાલુકાનાં અપહરણ, દુષ્કર્મ અને પોકસોના કેસમાં આરોપીને પકડીને એક મહિના પહેલા મોરબીની સબ જેલમાં મૂકવામાં આવ્યો હતો જે કેદીએ સબ જેલની બેરેકના બાથરૂમમાં ગળાફાંસો ખાઈને આપઘાત કરી લીધેલ છે જેથી કરીને આ અંગેની મોરબી એ ડિવિઝન પોલીસને જાણ કરવામાં આવતા પોલીસે બનાવની નોંધ કરીને આગળની કાર્યવાહી કરેલ છે

બનાવની જાણવા મળતી માહિતી મુજબ માળીયા મિયાણા તાલુકાનાં અપહરણ, દુષ્કર્મ અને પોકસોના કેસમાં પકડાયેલા કાચા કામના કેદી સોમનાથ ઉર્ફે શોભનાથ રામપ્રતાપ રાજપૂત (૨૨)ને મોરબીની સબ જેલમાં રાખવામા આવ્યો હતો દરમ્યાન તેને બેરેક નંબર ૧૦ ના બાથરૂમમાં તેનો રૂમાલ બાંધીને ગળાફાંસો ખાઈને આપઘાત કરી લીધો હતો. જેથી તેને મૃતહેદને મોરબીની સિવિલ હોસ્પિટલે લઈને આવ્યા હતા અને આ બનાવની મોરબી એ ડિવિઝન પોલીસ સ્ટેશન ખાતે જાણ કરી હતી. વધુમાં જેલના સ્ટાફ પાસેથી મળતી માહિતી મુજબ વર્ષ ૨૦૨૨ ના માળીયા મિયાણા તાલુકાનાં અપહરણ, દુષ્કર્મ અને પોકસોના કેસમાં આરોપીને પકડીને એક મહિના પહેલા મોરબીની સબ જેલમાં મૂકવામાં આવ્યો હતો અને જેલમાં કેદીની ગણતરી કરવામાં આવી રહી હતી ત્યારે એક કેદી ઓછો હતો જેથી તેની શોધખોળ શરૂ કરી હતી ત્યારે બાથરૂમમાંથી તેની આપઘાત કરેલ હાલતમાં લાશ મળી હતી જેથી આ ઘટનાની મૃતકના ભાઈને જાણ કરવામાં આવી હતી






Latest News