મોરબી જિલ્લા ભાજપ કાર્યાલય ખાતે જિલ્લા અધ્યક્ષ જયંતીભાઈ રાજકોટીયાના હસ્તે ધ્વજવંદન, નાની બરાર ગામમાં સરપંચ દ્વારા વિદ્યાર્થીઓને સ્ટેશનરી કીટનું વિતરણ મોરબી નવયુગ ગ્રૂપ ઓફ એજ્યુકેશનમાં સ્વતંત્રતા દિવસની ઉજવણી કરાઇ: મુસ્કાન વેલફેર સોસાયટીનું વહીવટી તંત્રએ કર્યું સન્માન મોરબી જીલ્લામાં દારૂના ગુનામાં સંડોવાયેલા 3 આરોપી પાસા હેઠળ જુદીજુદી જેલમાં ધકેલાયા વધુ એક વખત બેદરકારી: હળવદના ખેતરડી ગામે જૂની પાણીની ટાંકી તોડતા સમયે નવી પાણીની ટાંકી સાથે અથડાઇ હળવદના વેગડવાવ ગામે MRC કમિટી બાદ ખેડૂતોને વીજપોલ-કોરિડોર સામે મળ્યું 3થી 4 ગણું વળતર: કલકેટર સ્વપ્નિલ ખરે મોરબી છાત્રાલય રોડ ખાતેથી ૯ બોટલ દારૂ પકડાઈ, ત્રણ સામે ફરિયાદ મોરબીની માધાપરવાડી શાળામાં બ્રહ્માકુમારી દ્વારા નશા મુક્ત અભિયાનનો કાર્યક્રમ યોજાયો મોરબી જિલ્લાના મોટા દહીસરા ગામે આન, બાન અને શાનથી પ્રભારી મંત્રીના હસ્તે તિરંગો આકાશમાં લહેરાવીને સલામી આપાઈ
Breaking news
Morbi Today

મોરબી સીમા જાગરણ મંચ દ્વારા સાગર સ્વચ્છતા અભિયાન


SHARE







મોરબી સીમા જાગરણ મંચ દ્વારા સાગર સ્વચ્છતા અભિયાન

મોરબીમાં આંતરરાષ્ટ્રીય સાગર સ્વચ્છતા દિવસ અંતર્ગત તા ૧૬ સપ્ટેમ્બરના રોજ જિલ્લા સીમા જાગરણ મંચ દ્વારા સાગર સ્વચ્છતા અભિયાન હાથ ધરવામાં આવશે. મહાસાગરો અને દરિયા કિનારા પરના કચરાના સંચય અને તેની નકારાત્મક અસરો વિશે જનજાગૃતિ વધારવાના ઉદ્દેશ સાથે સપ્ટેમ્બર મહિનાના ત્રીજા શનિવારે આંતરરાષ્ટ્રીય સાગર તટીય સ્વચ્છતા દિવસ તરીકે ઉજવવામાં આવે છે. ત્યારે મોરબી જિલ્લાના ત્રણ ગામોમાં સ્વચ્છતા અભિયાન અંતર્ગત કાર્યક્રમો યોજાશે. જેમાં વર્ષામેડી, બોડકી અને સોલંકીનગરમાં ગ્રામજનો અને કાર્યકરો દ્વારા સફાઈ અભિયાન હાથ ધરાશે. ૧૬ સપ્ટેમ્બરના રોજ સવારે ૮ કલાકે ત્રણેય ગામમાં સફાઈ અભિયાન હાથ ધરવામાં આવશે. તેવું જણાવ્યુ છે






Latest News