મોરબી જિલ્લા કોંગ્રેસનાં પ્રમુખ કિશોરભાઇ ચિખલિયાના બેસણા સાથે રક્તદાન કેમ્પ યોજાયો મોરબી તાલુકાના એન.ડી.પી.એસ.ના ગુન્હામાં એસ.ઓ.જી.ની ટીમે આરોપીને દબોચ્યો મોરબીના જેતપર ગામે હનુમાનજી મંદિરનું પુનર્નિર્માણ કરાયું, સામાજિક સમરસતાનો ત્રિવિધ કાર્યક્રમ યોજાયો અપમૃત્યુના 4 બનાવ: હળવદ-માળીયા તાલુકામાં પાણીમાં ડૂબી જવાથી બે લોકોના મોત, અરણીટીંબા ગામે ઝેરી દવા પી ગયેલ બાળકનું સારવારમાં મોત: વાંકાનેરમાં ઉલ્ટી બાદ વૃદ્ધનું મોત મોરબી જીલ્લામાં સ્થાનિક સ્વરાજ્યની ચૂંટણી માટે ૨૬મી એપ્રિલે મતદાન: ૮૬૧ મતદાન મથકો નિર્ધારિત કરાયા મોરબીમાં સ્થાનિક સ્વરાજ્યની ચૂંટણી સંદર્ભે કલેક્ટરના અધ્યક્ષસ્થાને નોડલ અધિકારીઓની સમીક્ષા બેઠક યોજાઈ મોરબી જીલ્લામાં મહાપાલિકા, જિલ્લા-તાલુકા પંચાયત અને પાલિકાઓની ચૂંટણી પારદર્શી વાતાવરણમાં સંપન્ન કરવા તંત્ર સજ્જ મોરબી જિલ્લામાં ચાર લોકોને ભેગા થવા, સભા-સરઘસ કાઢવા ઉપર પ્રતિબંધ: ૩૦ એપ્રિલ સુધી હથિયારબંધી
Breaking news
Morbi Today

માળીયા (મી)ના વિરવિદરકામાં થયેલ યુવાનની હત્યાના ગુનામાં આરોપીને આજીવન કેદ


SHARE











માળીયા (મી)ના વિરવિદરકામાં થયેલ યુવાનની હત્યાના ગુનામાં આરોપીને આજીવન કેદ

માળીયા મિયાણા તાલુકાના વીર વિદરકા ગામે વર્ષ ૨૦૨૨ માં જાન્યુઆરી માહિનામાં યુવાનની અજાણ્યા શખ્સે હત્યા કરી હતી જે ગુનામાં પોલીસે એમપીના શખ્સની ધરપકડ કરી હતી અને આ કેસ મોરબીની કોર્ટમાં ચાલી જતાં કોર્ટે સરકારી વકીલની દલીલ ધ્યાને રાખીને આરોપીને આજીવન કેદની સજા ફટકારવામાં આવી છે.

જાણવા મળતી માહિતી મુજબ માળીયા મિયાણા તાલુકાના વિરવિદરકા ગામે રહેતા રોહિત જીવાભાઈ સુરેલા (૨૭) નામના યુવાનની વાડામા હત્યા કરવામાં આવી હતી ત્યારે યુવાનને  તીક્ષ્ણ હથિયાર અને પથ્થરના ઘા ઝીકવામાં આવ્યા હતા આ બનાવની ફરિયાદ નોંધાઈ હતી જેના આધારે પોલીસે એમપીના રહેવાસી આરોપી દિનેશ ગોવિંદભાઇ નાયકની ધરપકડ કરી હતી. અને આ કેસ મોરબીમાં બીજા એડિશનલ સેસન્સ જજ વિરાટ એ. બુદ્ધ સાહેબની કોર્ટમાં ચાલી જતા ૧૨  મૌખિક અને ૩૨ દસ્તાવેજી પુરાવા ધ્યાને લઇ મદદનીશ સરકારી વકીલ સંજયભાઈ સી. દવેની દલીલોને ધ્યાને રાખીને આરોપી દિનેશ ગોવિંદભાઇ નાયકને આજીવન કેદની સજા અને દસ હજારનો દંડ કર્યો છે અને જો દંડ ભરવામાં કસૂર કરે તો વધુ એક વર્ષની સજાનો હુકમ કર્યો છે






Latest News