મોરબીના સામાકાંઠે રહેતા યુવાનનું કોઈ કારણોસર મોત, વિશેરા લઈ મોતનું કારણ જાણવા તજવીજ શરૂ; યુવાન ઉપર છરી વડે હુમલો કરવાના બનાવમાં ચાર ની ધરપકડ બેધારી નીતિ: મોરબીના જેતપર ગામે ચાલતા ખેડૂત આંદોલનના પ્રચાર પ્રસાર માટે બનાવેલ વોટ્સએપ ગ્રુપનું એકાઉન્ટ વારંવાર સસ્પેન્ડ !  મોરબીમાં મહારાણા પ્રતાપ સર્કલ પાસે ભૂગર્ભ વાયરનું કામ યોગ્ય રીતે કરવા શહેર કોંગ્રેસ પ્રમુખની રજૂઆત વાંકાનેર પંથકમાં ખનીજ માફિયા ઉપર પોલીસની ધોંસ: 1 કરોડથી વધુનો મુદામાલ જપ્ત મોરબી જિલ્લાની મહિલાઓને ફળ-શાકભાજી પરિરક્ષણ માટે ખાસ તાલીમ અપાશે: અરજીઓ મંગાવાઇ મોરબી જિલ્લામાં બાગાયતદાર ખેડૂતો સહાયલક્ષી યોજનાઓ માટે આઇ-ખેડુત પોર્ટલ પર અરજી કરી શકશે સેવાની જ્યોત: મોરબીમાં પાટીદાર વુમન્સ પાવર ગ્રુપ દ્વારા વૃધ્ધાશ્રમમાં વડીલોને ભોજન કરાવમાં આવ્યું મોરબીના પ્રથમ ટ્રસ્ટ આધારિત ફિઝિયોથેરાપી ક્લિનિકનો એક વર્ષમાં 3000 દર્દીઓએ લાભ લીધો
Breaking news
Morbi Today

માળીયા (મી)ના વિરવિદરકામાં થયેલ યુવાનની હત્યાના ગુનામાં આરોપીને આજીવન કેદ


SHARE











માળીયા (મી)ના વિરવિદરકામાં થયેલ યુવાનની હત્યાના ગુનામાં આરોપીને આજીવન કેદ

માળીયા મિયાણા તાલુકાના વીર વિદરકા ગામે વર્ષ ૨૦૨૨ માં જાન્યુઆરી માહિનામાં યુવાનની અજાણ્યા શખ્સે હત્યા કરી હતી જે ગુનામાં પોલીસે એમપીના શખ્સની ધરપકડ કરી હતી અને આ કેસ મોરબીની કોર્ટમાં ચાલી જતાં કોર્ટે સરકારી વકીલની દલીલ ધ્યાને રાખીને આરોપીને આજીવન કેદની સજા ફટકારવામાં આવી છે.

જાણવા મળતી માહિતી મુજબ માળીયા મિયાણા તાલુકાના વિરવિદરકા ગામે રહેતા રોહિત જીવાભાઈ સુરેલા (૨૭) નામના યુવાનની વાડામા હત્યા કરવામાં આવી હતી ત્યારે યુવાનને  તીક્ષ્ણ હથિયાર અને પથ્થરના ઘા ઝીકવામાં આવ્યા હતા આ બનાવની ફરિયાદ નોંધાઈ હતી જેના આધારે પોલીસે એમપીના રહેવાસી આરોપી દિનેશ ગોવિંદભાઇ નાયકની ધરપકડ કરી હતી. અને આ કેસ મોરબીમાં બીજા એડિશનલ સેસન્સ જજ વિરાટ એ. બુદ્ધ સાહેબની કોર્ટમાં ચાલી જતા ૧૨  મૌખિક અને ૩૨ દસ્તાવેજી પુરાવા ધ્યાને લઇ મદદનીશ સરકારી વકીલ સંજયભાઈ સી. દવેની દલીલોને ધ્યાને રાખીને આરોપી દિનેશ ગોવિંદભાઇ નાયકને આજીવન કેદની સજા અને દસ હજારનો દંડ કર્યો છે અને જો દંડ ભરવામાં કસૂર કરે તો વધુ એક વર્ષની સજાનો હુકમ કર્યો છે






Latest News