મોરબીના ખોખરા હરિહરધામે હનુમાન જયંતિ નિમિત્તે મહાઆરતી, રામધુન, સંતવાણી અને મહાપ્રસાદનું આયોજન હળવદ નજીક હોટલ પાસે તલવાર વડે કરાયેલ જીવલેણ હુમલાના ગુનામાં કોર્ટે 4 આરોપીઓને સજા અને દંડ ફટકાર્યો વાંકાનેરના અરણીટીંબા ગામે ત્યજી દેવાયેલ નવજાત બાળકીને શ્વાને બચકાં ભરીને ફાડી ખાધી મોરબી OSEM સ્કુલની વિદ્યાર્થિનીએ મેળવી રાષ્ટ્રીય સ્તરે સિધ્ધી મોરબીમાં ફૈબા દ્વારા ભત્રીજા-ભત્રીજીના જન્મદિવસની ઉજવણીના ભાગરૂપે મેડિકલ કેમ્પ યોજાયો મોરબીમાં ભોજાણી પરિવારના કુળદેવી શ્રી ભવાની માતાજી મંદિરે નવચંડી યજ્ઞ માળીયા (મી)ના મોટા દહીસરા ગામે પ્રેમલગ્ન કરનારા યુવતીના કાકા ઉપર યુવાનના કૌટુંબિક વ્યક્તિએ કર્યો છરી વડે હુમલો હળવદમાં દુકાન પાસે હરાજી કરવાની ના કહેતા વેપારી ઉપર 5 શખ્સોનો પાઇપ વડે હુમલો
Breaking news
Morbi Today

ભીંતચિત્રમાં હનુમાનજીને દાસ દર્શાવ્યા તેનાથી સહજાનંદ સ્વામી પણ ખુશ ન હોય: મહામંડલેશ્વર કનકેશ્વરી માતાજી


SHARE











ભીંતચિત્રમાં હનુમાનજીને દાસ દર્શાવ્યા તેનાથી સહજાનંદ સ્વામી પણ ખુશ ન હોય: મહામંડલેશ્વર કનકેશ્વરી માતાજી

સાળંગપુર મંદિરમાં હનુમાનજીની પ્રતિમા પાસે લગાવવામાં આવેલા ભીંત ચિત્રોને લઈને જે વિવાદ ચાલી રહ્યો છે તે મુદ્દે પંચઅગ્નિ અખંડના મહામંડલેશ્વર કનકેશ્વરી માતાજીએ કહ્યું હતું કે ભાવના અતિરેકમાં આ અવિવેક કર્યો છે અને ચિત્રએ મનની કલ્પના હોય છે જેથી કરીને તેને બદલી શકાય છે માટે સનાતન ધર્મના સંતો અને હિન્દુઓમાં રોષની લાગણી હોય તો સંતોએ બાંધછોડ કરીને વાતને સ્વીકારી લેવી જોઈએ અને વહેલમાં વહેલી તકે વિવાદનો અંત લાવવો જોઈએ તેવી લાગણી તેમણે વ્યક્ત કરેલ છે

મોરબીના ખોખરા હનુમાન હરહરધામના પ્રણેતા અને પંચઅગ્નિ અખાડાના મહામંડલેશ્વર કનકેશ્વરી માતાજી હાલમાં ખોખરા હનુમાન હરિહર ધામ ખાતે છે ત્યારે સાળંગપુર મંદિરમાં જે વિશાળ કદની હનુમાનજીની પ્રતિમા મૂકવામાં આવી છે તેને લઈને સમગ્ર ભારત દેશની અંદર વિવાદ ચાલી રહ્યો છે ત્યારે તેમની સાથે આ મુદ્દે વાત કરતા તેમને જણાવ્યું હતું કે કોઈપણ ચિત્ર એ મનની કલ્પના છે અને કલ્પના બદલી શકાય છે જોકે ભાવના અતિરેકના કારણે આ અવિવેક કર્યો છે પરંતુ જ્યારે સમગ્ર સનાતન ધર્મના સંતો, હિન્દુ સમાજ સહિતનાઓમાં રોષની લાગણી હોય ત્યારે સ્વામિનારાયણ સંપ્રદાયના સંતોએ બાંધછોડ કરીને વાતને સ્વીકારી લેવી જોઈએ અને વહેલામાં વહેલી તકે જે વિવાદિત ચિત્રો છે તે હટાવવા જોઈએ તેવી લાગણી તેમણે વ્યક્ત કરી છે વધુમાં તેમણે એવું પણ જણાવ્યું હતું કે હનુમાનજીને ભીંતચિત્રમાં દાસ તરીકે દર્શાવવામાં આવ્યા છે તે જોઈને કદાચ ખુદ સહજાનંદ સ્વામી પણ ખુશ થયા નહીં હોય તેવી લાગણી તેમણે વ્યક્ત કરી હતી અને એવું પણ તેમણે જણાવ્યું હતું કે કોઈ પણ વ્યક્તિએ ગુરુએ આપેલી આંખેથી શાસ્ત્રોને જોવા જોઈએ તો તેમાં સો ટકા સમાધાન મળશે નહીં તો શાસ્ત્રોની અંદર પણ પાને પાને નવા પ્રશ્નો ઊભા થશે તેમાં શંકા ને કોઈ સ્થાન નથી






Latest News