મોરબીમાં આવેલ ગજાનંદ એપાર્ટમેન્ટના ફ્લેટમાં જુગાર રમતા પાંચ શખ્સો 2.62 લાખની રોકડ સાથે ઝડપાયા મોરબીના સીરામીક ઉદ્યોગમાં પાઇપલાઇન મારફતે ગેસ સપ્લાય કરતી બે કંપનીના ભાવમાં જમીન આસમાનનો તફાવત !, ઉદ્યોગકારોની મૂંઝવણમાં સતત વધારો: હાલમાં ઉદ્યોગકારો એમજીઓ કરાર ન કરે તેવા સંકેત મોરબીમાં વ્યાજે લીધેલા 2.40 લાખ સામે 7.67 લાખ ચૂકવી દીધા છતાં ગીરવે મુકેલા દાગીના અને કોરા ચેક પાછા નહીં આપતા દંપતી સામે ગુનો નોંધાયો ભારે કરી: મોરબીમાં બાઈક વ્યવસ્થિત રાખવાનું કહેતા નિવૃત્ત પોલીસ કર્મચારીને ઝાપટ મારીને ગાળો આપી છરી મારવાનો પ્રયાસ મોરબીમાં બાઈક ચાલકે હડફેટે લેતા ઇજા પામેલ 12 વર્ષના બાળકનું મોત મોરબીમાં વેપાર માટે યુવાને વ્યાજે લીધેલા 5 લાખ સામે 7.90 લાખ ચૂકવ્યા છતાં બે શખ્સો દ્વારા પઠાણી ઉઘરાણી, મારી નાખવાની ધમકી હળવદના માથક ગામે રહેતા યુવાને અગાઉ કરેલ ફરિયાદ પાછી ખેંચી લેવા માટે ફોન ઉપર ગાળો આપીને ઠામ પતાવી દેવાની ધમકી મોરબીમાં જુદી જુદી બે જગ્યાએથી દારૂની 17 બોટલ સાથે ત્રણ શખ્સો પકડાયા, ત્રણ ની શોધખોળ
Breaking news
Morbi Today

મોરબી બ્રહ્મસમાજના આગેવાનો દ્વારા રાજકોટના રમેશ ફેફર સામે પગલાં લેવાની માંગ


SHARE











મોરબી બ્રહ્મસમાજના આગેવાનો દ્વારા રાજકોટના રમેશ ફેફર સામે પગલાં લેવાની માંગ

 વર્તમાન સમયમાં પોતાની જાતને કલકી અવતાર ગણાવતા રમેશ ફેફરે તાજેતરમાં ભગવાન પરશુરામ અને ભૂદેવો વિશે આપત્તિજનક નિવેદન આપેલ છે જેથી કરીને બ્રહ્મસમાજમાં રોષની લાગણી છે અને ગામો ગામ તેની સામે પગલાં લેવાની માંગ સાથે આવેદન પત્ર આપવામાં આવી રહ્યા છે ત્યારે રમેશ ફેફર સામે કડક પગલાની માંગ સાથે મોરબી સમસ્ત બ્રહ્મસમાજ અને પરશુરામ યુવા ગ્રુપ દ્વારા કલેક્ટર અને એસપીને આવેદનપત્ર આપવામાં આવ્યું છે

મોરબી સમસ્ત બ્રહ્મસમાજ અને પરશુરામ યુવા ગ્રુપના લોકોએ હાલમાં જે આવેદન પત્ર આપવામાં આવ્યું છે તેમાં જણાવ્યુ છે કે, તાજેતરમાં સોશ્યલ મીડિયા પર પોતાની જાતને કલ્કી અવતાર કહેનાર રાજકોટના રમેશ ફેફર દ્વારા સમાજમાં વૈમનસ્ય ઉભું કરવા હિન્દૂ ધર્મ તેમજ ખાસ કરીને બ્રાહ્મણોના આરાધ્ય દેવ ભગવાન પરશુરામ વિષે અને બ્રહ્મસમાજ વિશે આપત્તિજનક નિવેદન આપવામાં આવ્યું છે જેનાથી લોકોની ધાર્મિક આસ્થાને ઠેસ પહોંચી છે અને સામાજિક સમરસતાને ડહોળવાના પ્રયાસ કરવામાં આવેલ છે આ ઉપરાંત તેણે કરેલા નિવેદનમાં સમગ્ર બ્રાહ્મણ સમાજનો નાશ કરવાની ધમકી આપી છે તેમજ પ્રધાનમંત્રી અંગે પણ આપત્તિજનક ભાષા પ્રયોગ કરેલ છે. તેણે કરેલા નિવેદની પાછળ તેનો ઈરાદો શું છે ? તથા આવા વ્યક્તિ પાછળ સમાજને તોડનાર કે રાષ્ટ્રવિરોધી પ્રવૃતિ કરનાર કોઈ ષડયંત્ર તો નથી ને ? તેની તપાસ કરીને આ શખ્સની સામે પગલાં લેવામાં આવે તેવી માંગ કરેલ છે






Latest News