મોરબીની ત્રાજપર ચોકડી પાસેથી 49.380 ગ્રામ મેફેડ્રોન ડ્રગ્સના જથ્થા સાથે એક શખ્સ ઝડપાયો: 1.53 લાખનો મુદ્દામાલ કબજે વાંકાનેરના સમથેરવા ગામે એક કરોડના અનુદાનથી આધુનિક સુવિધાઓથી સજ્જ પ્રાથમિક શાળા માટે MOU કરાયા માળીયા (મી)ના ભોળીપાટ વાંઢ વિસ્તારમાં શાળાના બે રૂમ બનાવવા માટે ૧૩૦૦ ચો.મી.જમીન આપનારા દાતાનુ કરાયું સન્માન મોરબી નજીકના રવાપર ગામે રોડ વચ્ચે કરવામાં આવેલ ખાડામાં સ્કૂટર સહિત માતા-પુત્રી પડ્યા: કોઈ જાનહાનિ નહી મોરબી નજીકના મહેન્દ્રનગર ગામેથી યુવતી ગુમ મોરબી જવાહર નવોદય વિદ્યાલયમાં ધો. ૧૧ (વિજ્ઞાન-વાણિજ્ય પ્રવાહ) માં પ્રવેશ માટે ૨૫ જૂન સુધીમાં અરજી કરી શકાશે મોરબી જીલ્લામાં બાળકોના સર્વાંગી પોષણ અને ઉજ્જવળ ભવિષ્યનો મજબૂત સ્તંભ એટલે પીએમ પોષણ યોજના મોરબી: સેના-પોલીસ ભરતી પૂર્વેની વિનામૂલ્યે નિવાસી તાલીમ માટે મોરબી જિલ્લાના યુવાનોએ ૩૦ જૂન સુધીમાં અરજી કરવી
Breaking news
Morbi Today

મોરબી પાલિકા દ્વારા કરાતી રાત્રી સફાઈના કામમાં ભ્રષ્ટાચાર: કોંગ્રેસ


SHARE











મોરબી પાલિકા દ્વારા કરાતી રાત્રી સફાઈના કામમાં ભ્રષ્ટાચાર: કોંગ્રેસ

મોરબી નગરપાલિકા દ્વારા રાત્રી સફાઈ કામગીરી કરવામાં આવી રહી છે તે શહેરને ગંદકી મુક્ત કરવાનો પ્રયાસ છે તે સારું છે. પરંતુ નગરપાલિકામાં રાત્રી સફાઈ કામમાં મોટા પાયે  ભ્રષ્ટાચાર કરવામાં આવી રહ્યો છે તેવું લોક મુખે ચર્ચાઇ રહયું છે

હાલમાં મોરબી કોંગ્રેસનાં આગેવાનોએ માહિતી આપતા જણાવ્યુ છે કે, રાત્રી સફાઈ કામગીરીમાં માણસો પૂરા હોતા નથી અને ખોટી હાજરી પૂરવામાં આવે છે અને વઘુ માણસો બતાવવાનો પ્રયાસ કરવામાં આવે છે. નગરપાલિકા દ્વારા સવારે સફાઈ કરવામાં આવે છે એ જ વિસ્તારમાં રાત્રે સફાઈ કામગીરી કરવામાં આવે છે તે કેટલી વ્યાજબી છે.? કચરા ભરવાના કામમાં રોકાયેલ ડમ્પર પણ રાત્રે મોડું આવે અને કલાકો વઘારે લખે છે ? એ પણ એકમોટો ભ્રષ્ટાચાર છે. રાત્રે સફાઈ કામગીરી કરતા કામદારોના હાજરી પાસ પણ આપવામાં આવતા નથી અને સવારે જે પટાવાળા પાલિકામાં કામ કરે છે એ જ લોકો રાત્રે સફાઈ કામ કરાવે છે તો આ શું એક મોટો  ભ્રષ્ટાચાર નથી ? આમ મોરબી નગરપાલિકાના જવાબદાર અઘિકારીઓ આ ચાલતા ભ્રષ્ટાચારથી  અજાણ છે કે તેમની મીઠી નજર નીચે આ બઘું ચાલી રહ્યું છે.? જો ખરેખર આ બાબતે તપાસ કરવામાં આવે તો રાત્રી સફાઈ કામગીરીમાં ચાલતો ભ્રષ્ટાચાર બહાર આવશે મોરબી પાલિકાના વહીવટદાર અને ચીફ ઓફિસર આ બાબતે સ્થળ તપાસ કરી  જવાબદારો સામે કડક પગલાં લેશે ખરા ? કે પછી  ચૂંટાયેલા સદસ્યોની  જેમ તેઓ પણ આ કામગીરીમાં ચાલતા ભ્રષ્ટાચારની  ભાગ બટાઈના ભાગીદાર છે.? તેઓ ભાગીદાર છે તેમ માનવામાં આવશે તેમાં કોઈ બેમત નથી તેમ મોરબી જિલ્લા કોંગ્રેસ સમિતિના મહામંત્રી મહેશભાઈ રાજ્યગુરૂ, ગુજરાત પ્રદેશ કોંગ્રેસ માલધારી સેલના પૂર્વ ઉપપ્રમુખ રમેશભાઈ રબારી, તાલુકા કોગ્રેસના પ્રમુખ કે.ડી. પડસુંબિયા તથા પૂર્વ પ્રમુખ રામભાઇ રબારીએ પ્રેસ યાદીમાં જણાવેલ છે.






Latest News