ભયંકર પરિસ્થિતિના એંધાણ: મોરબીના સિરામિક વોલ ટાઇલ્સના કારખાના 1 મે સુધી બંધ, ઉદ્યોગકારોનો સામૂહિક નિર્ણય, પાર્કિંગ પોર્સોલિન અને ડબલ ચાર્જ ટાઇલ્સમાં પણ બંધ લંબાવશે મોરબીના અજય લોરીયાની ક્રાઈમ કુંડળી સાથે સિરામિક ઉદ્યોગકારો-પાટીદાર સમાજના આગેવાનોએ એસપીને કરી રજૂઆત: ભોગ બનેલા લોકોને ફરિયાદ કરવા આહ્વાન મોરબી જિલ્લામાં ત્રણ તાલુકા પંચાયત, ત્રણેય તાલુકાની જિલ્લા પંચાયતની બેઠક અને બે પાલિકાની ચૂંટણી લડવા માટે દાવેદારોનો રાફડો ફાટયો મોરબીના લૂંટાવદર ગામે રહેણાંક મકાનમાં જુગાર રમતા છ પકડાયા મોરબીમાં લગ્નના બહાને કરવામાં આવેલ વિશ્વાસધાત-છેતરપીડીના ગુનામાં પકડાયેલ બે આરોપી જામીન મુક્ત મોરબીમાં સીરામીક ઉદ્યોગપતિ સહિત બે વ્યક્તિ ઉપર જીવલેણ હુમલો કરવાના ગુનામાં પકડાયેલ અજય લોરીયા જેલ હવાલે મોરબીમાં ફોરવ્હીલ ગાડીના ટાયરમાંથી હવા કાઢી નાખવા બાબતે થયેલ ઝઘડાનો ખાર રાખીને મહિલાને ત્રણ મહિલા સહિત 6 લોકોએ માર માર્યો મોરબીના રંગપર ગામ પાસે ટ્રક ટ્રેલરના ચાલકે હડફેટે માથા-મોઢામાં ઇજા પામેલા યુવાનનું મોત
Breaking news
Morbi Today

મોરબી પાલિકા દ્વારા કરાતી રાત્રી સફાઈના કામમાં ભ્રષ્ટાચાર: કોંગ્રેસ


SHARE











મોરબી પાલિકા દ્વારા કરાતી રાત્રી સફાઈના કામમાં ભ્રષ્ટાચાર: કોંગ્રેસ

મોરબી નગરપાલિકા દ્વારા રાત્રી સફાઈ કામગીરી કરવામાં આવી રહી છે તે શહેરને ગંદકી મુક્ત કરવાનો પ્રયાસ છે તે સારું છે. પરંતુ નગરપાલિકામાં રાત્રી સફાઈ કામમાં મોટા પાયે  ભ્રષ્ટાચાર કરવામાં આવી રહ્યો છે તેવું લોક મુખે ચર્ચાઇ રહયું છે

હાલમાં મોરબી કોંગ્રેસનાં આગેવાનોએ માહિતી આપતા જણાવ્યુ છે કે, રાત્રી સફાઈ કામગીરીમાં માણસો પૂરા હોતા નથી અને ખોટી હાજરી પૂરવામાં આવે છે અને વઘુ માણસો બતાવવાનો પ્રયાસ કરવામાં આવે છે. નગરપાલિકા દ્વારા સવારે સફાઈ કરવામાં આવે છે એ જ વિસ્તારમાં રાત્રે સફાઈ કામગીરી કરવામાં આવે છે તે કેટલી વ્યાજબી છે.? કચરા ભરવાના કામમાં રોકાયેલ ડમ્પર પણ રાત્રે મોડું આવે અને કલાકો વઘારે લખે છે ? એ પણ એકમોટો ભ્રષ્ટાચાર છે. રાત્રે સફાઈ કામગીરી કરતા કામદારોના હાજરી પાસ પણ આપવામાં આવતા નથી અને સવારે જે પટાવાળા પાલિકામાં કામ કરે છે એ જ લોકો રાત્રે સફાઈ કામ કરાવે છે તો આ શું એક મોટો  ભ્રષ્ટાચાર નથી ? આમ મોરબી નગરપાલિકાના જવાબદાર અઘિકારીઓ આ ચાલતા ભ્રષ્ટાચારથી  અજાણ છે કે તેમની મીઠી નજર નીચે આ બઘું ચાલી રહ્યું છે.? જો ખરેખર આ બાબતે તપાસ કરવામાં આવે તો રાત્રી સફાઈ કામગીરીમાં ચાલતો ભ્રષ્ટાચાર બહાર આવશે મોરબી પાલિકાના વહીવટદાર અને ચીફ ઓફિસર આ બાબતે સ્થળ તપાસ કરી  જવાબદારો સામે કડક પગલાં લેશે ખરા ? કે પછી  ચૂંટાયેલા સદસ્યોની  જેમ તેઓ પણ આ કામગીરીમાં ચાલતા ભ્રષ્ટાચારની  ભાગ બટાઈના ભાગીદાર છે.? તેઓ ભાગીદાર છે તેમ માનવામાં આવશે તેમાં કોઈ બેમત નથી તેમ મોરબી જિલ્લા કોંગ્રેસ સમિતિના મહામંત્રી મહેશભાઈ રાજ્યગુરૂ, ગુજરાત પ્રદેશ કોંગ્રેસ માલધારી સેલના પૂર્વ ઉપપ્રમુખ રમેશભાઈ રબારી, તાલુકા કોગ્રેસના પ્રમુખ કે.ડી. પડસુંબિયા તથા પૂર્વ પ્રમુખ રામભાઇ રબારીએ પ્રેસ યાદીમાં જણાવેલ છે.






Latest News