વિનેબલ નવા ચહેરા ન મળ્યા ?: મોરબીમાં સુપરસીડ કરાયેલ પાલિકાના 7 સભ્યો મનપામાં રિપીટ, 5 સભ્યોના પરિવારજનને ટિકિટ ! મોરબી મહાપાલિકાની ચૂંટણીમાં ઉમેવદારી ફોર્મ ભરવાનો આજે છેલ્લો દિવસ: કોણ-કોણ પક્ષ અને અપક્ષમાંથી ઉમેદવાર કરશે તેના ઉપર સહુની નજર હળવદના જુના વેગડવાવ ગામના યુવાને કરેલ ફરિયાદનો ખાર રાખીને પિતા-પુત્રએ આપી મારી નાખવાની ધમકી મોરબીના બગથળા ગામનો ધ્રુણાસ્પદ બનાવ : દુકાને ભાગ લેવા આવેલ ૧૪ વર્ષની સગીર સાથે અડપલા કરનાર જેલ હવાલે મોરબીમાં મકાનની લોનનો હપ્તો ભરવામાં મોડું થતાં યુવાનને ફાઇનાન્સ બેન્કના કર્મચારીએ ગાળો આપી માર માર્યો: જાનથી મારી નાખવાની ધમકી મોરબી નજીક રોડ ક્રોસ કરતી મહિલાને રિક્ષા ચાલકે હડફેટે લેતા બંને હાથમાં ફ્રેકચર-માથામાં હેમરેજ મોરબીના જાંબુડીયા ગામે જાહેરમાં જુગાર રમતા 3 શખ્સ પકડાયા મોરબીમાં જુદીજુદી 4 જગ્યાએ રેડમાં 272 બોટલ વિદેશી દારૂ ઝડપાયો
Breaking news
Morbi Today

રંગ છે રઘુવંશી ને પુસ્તકનું મોરબીમાં રવિવારે વિમોચન


SHARE











રંગ છે રઘુવંશી ને પુસ્તકનું મોરબીમાં રવિવારે વિમોચન

મોરબીમાં આગામી રવિવારના રોજ બેલા પાસે આવેલ ખોખરા હનુમાન મંદિર ખાતે સમગ્ર રઘુવંશી સમાજની શૌર્યગાથાનો ઈતિહાસ ઉજાગર કરતાં રંગ છે રઘુવંશી પુસ્તકનું વિમોચન કરવામાં આવશે ત્યારે સમાજના આગેવાનો સહિતના હાજર રહેશે

લોહાણા સમાજના બારોટ નિકુલભાઈ તેમજ અકિલાના કિરીટભાઈ ગણાત્રા દ્વારા રઘુવંશી સમાજની વિવિધ અટકોના શહીદવીરો તથા સતીમાતાઓના ૪૭ પાળીયાની તસ્વીરો સાથેનું પુસ્તક રંગ છે રઘુવંશી ને: નું વિમોચન કરવામાં આવશે. આ પુસ્તકનું વિમોચન મોરબીના બેલા પાસે આવેલ ખોખરા હનુમાન હરિહર ધામ ખાતે તા. ૨૭ ઓગસ્ટને રવિવારના રોજ સાંજે ૪ કલાકે મહામંડલેશ્વર કનકેશ્વરી દેવીજીના હસ્તે ૫૧ ઋષિકુમારો દ્વારા વેદ-મંત્રોચ્ચાર અને શૌર્ય સંગીત સાથે કંકુ-ચોખા અને ફૂલવર્ષા કરીને કરવામાં આવશે. ત્યારે હાજર રહેવા માટે સમિતિના સભ્યો રૂચિરભાઈ કારીયા, ગૌરવભાઈ કારીયા, પરેશભાઈ આડઠક્કર, ચંદ્રેશભાઈ આડઠક્કર, સાગરભાઈ રવેશીયા, પ્રવિણભાઈ તન્ના, પ્રતિકભાઈ રવેશીયા, ધીરુભાઈ તન્ના, અશોકભાઈ તન્ના દ્વારા આમંત્રણ આપ્યું છે 






Latest News