મોરબી નજીક વિરપર ગામે સાપ કરડી જતા 11 વર્ષની બાળકીનું મોત મોટી દુઘટના સહેજમાં ટળી: ટંકારાના હીરાપર ગામે જર્જરિત પાણીના ટાંકો તોડતા સમયે મકાન-દુકાન ઉપર પડ્યો મોરબીમાં આજે રાજ્ય મંત્રી કાંતિભાઈ અમૃતિયાની હાજરીમાં જિલ્લા કક્ષાની તિરંગા યાત્રા યોજાઇ મોરબીમાંથી બુટલેગરને પકડીને પાસા હેઠળ જેલ હવાલે કરાયો મોરબી સાર્થક વિદ્યામંદીરમાં રવિવારે થશે સંસ્કૃત કક્ષનું ઉદ્દઘાટન મોરબીની રવિરાજ ચોકડી પાસેથી કતલખાને લઈ જવાતા 15 ઘેટાં ભરેલ ઇકો ગાડી સાથે બે પકડાયા, બેની શોધખોળ મોરબીના રંગપર અને પાનેલી ગામ પાસે જુદાજુદા કારખાના બનેલા બે બનાવમાં બે યુવાનના મોત મોરબી શ્રી આર્યતેજ ઇન્સ્ટિટ્યૂટ ઓફ ફિઝિયોથેરાપીના પ્રિન્સિપાલ ડૉ. રાહુલ છતલાણીએ મેળવી આંતરરાષ્ટ્રીય સિધ્ધી
Breaking news
Morbi Today

મોરબીની આર્ટ્સ કોલેજમાં એન.એસ.એસ. ડે ની ઉજવણી કરાઇ


SHARE







મોરબીની આર્ટ્સ કોલેજમાં એન.એસ.એસ. ડે ની ઉજવણી કરાઇ

મોરબીના સામાકાંઠા વિસ્તારમાં આવેલી શ્રી યુ. એન. મહેતા આર્ટ્સ કોલેજમાં એન.એસ.એસ. ડે ની ઉજવણી કરવામાં આવેલ હતી ત્યારે પ્રિન્સિપાલસ્ટાફ તથા વિદ્યાર્થીઓ આ કાર્યક્રમમાં હાજર રહ્યા હતા અને રાષ્ટ્રીય ભાવના ઉજાગર થાય તે ઉદ્દેશથી કોલેજના એન.એસ.એસ. વિભાગ દ્વારા આ કાર્યક્ર્મ યોજવામાં આવેલ હતો

આ કાર્યક્રમમાં એન. એસ. એસ. પ્રવૃત્તિનો ઉદ્ભવવિકાસ અને તેનું રાષ્ટ્ર ઘડતરમાં અને વ્યક્તિત્વ ઘડતરમાં યોગદાન અંગે સંબોધનો કરી વિદ્યાર્થીઓને પ્રેરિત કરવામાં આવેલ હતા રાષ્ટ્રના ઘડતરમાંવ્યક્તિના ઘડતરમાંસામાજિક જાગૃતિ તથા વિકાસ માટે એન.એસ.એસ. વિભાગ વર્ષોથી ઉચ્ચ શિક્ષણ ક્ષેત્રે ભારતભરમાં મહત્વનું યોગદાન આપી રહ્યો છે. આ પ્રકારની પ્રવૃત્તિ કોલેજના સ્થાપના કાળથી આજ દિન સુધી એન.એસ.એસ. વિભાગ દ્વારા સતત ધબકતી રહી છે. આ કાર્યક્રમમાં વિદ્યાર્થીઓ દ્વારા પણ જુદી જુદી કૃતિઓ રજૂ કરી રાષ્ટ્ર ભાવનાસ્વચ્છતાસંસ્કૃતિ જાણવણી સંદર્ભની પ્રસ્તુતિ કરવામાં આવેલ હતી. કોલેજના વિદ્યાર્થી અને એન.એસ.એસ.ના સ્વયંસેવક એવાં શીતલ પરમારકોમલ સવાડીયામુકેશ મકવાણાદર્શન વસોયામલેક મકબુલ હુસેનએ પોતાની કૃતિઓ રજૂ કરેલ હતી અને છેલ્લા ઘણા વર્ષો સુધી આ કોલેજમાં જેમણે એન.એસ.એસ. વિભાગ સંભાળેલ તેવા ડો. એલ. એમ. કંજારિયાએ એન.એસ.એસ. અંગે વિસ્તૃત માહિતી આપેલ હતી અને અંતમાં કોલેજના પ્રોફેસર કે.આર. દંગીએ આભાર વ્યકત કર્યો હતો અને કાર્યક્રમનું સંચાલન એન.એસ. એસ. ઓફિસર ડો. આર.કે. વારોતરીયાએ કરેલ હતું






Latest News