મોરબી જિલ્લા કોંગ્રેસના વર્તમાન પ્રમુખ અને મોરબી જિલ્લા પંચાયતના માજી પ્રમુખ કિશોરભાઈ ચીખલિયાનું હાર્ટ એટેકનો તીવ્ર હુમલો આવતા નિધન મોરબી: ઘુનડા ગામે સમસ્ત મચ્છુકાંઠા રબારી સમાજ યુવા સંગઠનનું સન્માન કરાયું મોરબીના ઘુંટુ ગામે પરેચા પરિવાર દ્વારા શ્રીમદ ભાગવત સપ્તાહનું આયોજન મોરબીના ખાનપર ગામે આવેલ કુમાર શાળામાં ધો.૮ નાં વિદ્યાર્થીઓનો વિદાય સમારોહ યોજાયો વાંકાનેર-ઠીકરીયાળા માર્ગ પર નવા માઇનર બ્રિજનું નિર્માણ શરૂ મોરબીમાં ડો. ભીમરાવ આંબેડકરની 135 મી જન્મજયંતિ નિમિત્તે ભવ્ય શોભાયાત્રાનું આયોજન મોરબીમાં વેલનાથ બાપુની પૂણ્યતીથી નીમીતે ભવ્ય શોભાયાત્રાનું આયોજન વાંકાનેર 108ની ટીમ બની 'દેવદૂત': ટેકનોલોજી-ત્વરિત નિર્ણયશક્તિથી નવજાત શિશુને આપ્યું નવજીવન
Breaking news
Morbi Today

મોરબીમાં સંતોની ઉપસ્થિતિમાં જન્માષ્ટમી મહોત્સવ મધ્યસ્થ કાર્યાલય ખુલ્લુ મુકાયું


SHARE











મોરબીમાં સંતોની ઉપસ્થિતિમાં જન્માષ્ટમી મહોત્સવ મધ્યસ્થ કાર્યાલય ખુલ્લુ મુકાયું

સંતો-મહંતોની પ્રેરક ઉપસ્થિતીમાં મોરબી સર્વ હિન્દુ સંગઠન દ્વારા જન્માષ્ટમી મહોત્સવ મધ્યસ્થ કાર્યાલય મોરબી શ્રી જલારામ પ્રાર્થના મંદિર ખાતે ખુલ્લુ મુકવામાં આવ્યુ હતુ.

દર વર્ષની જેમ આ વર્ષે પણ મોરબી સર્વ હિન્દુ સંગઠન દ્વારા શ્રી કૃષ્ણ જન્મોત્સવ ની ભક્તિભાવપૂર્વક ધામધૂમથી ઉજવણી કરવાનુ અનેરૂ આયોજન કરવા માં આવેલ છે. જે અંતર્ગત જન્માષ્ટમી ના પાવનપર્વ નિમિતે વિશાળ શોભાયાત્રા તેમજ વિવિધ સ્થળે વિવિધ હિન્દુ સંગઠનો દ્વારા મટકીફોડ કાર્યક્રમો યોજાશે ત્યારે સર્વ હિન્દુ સંગઠન દ્વારા જન્માષ્ટમી મહોત્સવ ના મધ્યસ્થ કાર્યાલય નુ શહેર ના અયોધ્યાપુરી રોડ સ્થિત શ્રી જલારામ પ્રાર્થના મંદિર ખાતે  સંતો-મહંતોની પ્રેરક ઉપસ્થિતી માં હનુમાન ચાલીસા ના પાઠ તેમજ દીપ પ્રાગટ્ય દ્વારા ઉદ્ઘાટન કરવા માં આવ્યુ હતુ.ઉદઘાટન સમારોહમાં પૂ.ભાવેશ્વરી માતાજી (રામધન આશ્રમ), પૂ.ગાંડુભગત (મચ્છુ માઁ ની જગ્યા), પૂ.નાગરાજબાપુ (નકલંક ધામ-જાજાસર), પૂ. દેવરામબાપુ (જલારામ મંદિર), પૂ. હરીકીશનદાસજી મહારાજ (રામજી મંદિર), પૂ.હરિચરણદાસજી મહારાજ (મણીધર હનુમાનજી મંદિર) સહીતનાં સંતો-મહંતો ઉપરાંત વિવિધ હિન્દુ સંગઠનોના અગ્રણીઓ બહોળી સંખ્યામાં ઉપસ્થિત રહ્યા હતા






Latest News