મોરબીમાં આવેલ ગજાનંદ એપાર્ટમેન્ટના ફ્લેટમાં જુગાર રમતા પાંચ શખ્સો 2.62 લાખની રોકડ સાથે ઝડપાયા મોરબીના સીરામીક ઉદ્યોગમાં પાઇપલાઇન મારફતે ગેસ સપ્લાય કરતી બે કંપનીના ભાવમાં જમીન આસમાનનો તફાવત !, ઉદ્યોગકારોની મૂંઝવણમાં સતત વધારો: હાલમાં ઉદ્યોગકારો એમજીઓ કરાર ન કરે તેવા સંકેત મોરબીમાં વ્યાજે લીધેલા 2.40 લાખ સામે 7.67 લાખ ચૂકવી દીધા છતાં ગીરવે મુકેલા દાગીના અને કોરા ચેક પાછા નહીં આપતા દંપતી સામે ગુનો નોંધાયો ભારે કરી: મોરબીમાં બાઈક વ્યવસ્થિત રાખવાનું કહેતા નિવૃત્ત પોલીસ કર્મચારીને ઝાપટ મારીને ગાળો આપી છરી મારવાનો પ્રયાસ મોરબીમાં બાઈક ચાલકે હડફેટે લેતા ઇજા પામેલ 12 વર્ષના બાળકનું મોત મોરબીમાં વેપાર માટે યુવાને વ્યાજે લીધેલા 5 લાખ સામે 7.90 લાખ ચૂકવ્યા છતાં બે શખ્સો દ્વારા પઠાણી ઉઘરાણી, મારી નાખવાની ધમકી હળવદના માથક ગામે રહેતા યુવાને અગાઉ કરેલ ફરિયાદ પાછી ખેંચી લેવા માટે ફોન ઉપર ગાળો આપીને ઠામ પતાવી દેવાની ધમકી મોરબીમાં જુદી જુદી બે જગ્યાએથી દારૂની 17 બોટલ સાથે ત્રણ શખ્સો પકડાયા, ત્રણ ની શોધખોળ
Breaking news
Morbi Today

ઝૂલતા પુલ કેસમાં વીપી ફાઈલ કરનાર જયસુખ પટેલના વકીલ અનિલ દેસાઈનો રાજકોટ બાર એસો.એ ખુલાસો મંગાયો


SHARE











ઝૂલતા પુલ કેસમાં વીપી ફાઈલ કરનાર જયસુખ પટેલના વકીલ અનિલ દેસાઈનો રાજકોટ બાર એસો.એ ખુલાસો મંગાયો

મોરબીના ઝૂલતા પુલ દુર્ઘટના કેસમાં જયસુખ પટેલ તરફે રોકાનાર વરિષ્ઠ ધારાશાસ્ત્રી અનિલ દેસાઈનો રાજકોટ બાર દ્વારા ખુલાસો મંગાયો છે. રાજકોટ બાર એસો.એ બનાવ વખતે ઠરાવ કરી આ કેસમાં આરોપીઓ વતી કોઈ વકીલ નહીં રોકાય તેવી જાહેરાત કરેલી. જેથી ખુલાસો માંગવામાં આવ્યો છે.

રાજકોટ બાર એસો.એ જે તે સમયે જાહેરાત કરી હતી કે રાજકોટ બારના કોઈ વકીલ આ કેસમાં આરોપીઓ વતી વકીલ તરીકે નહીં રોકાય. આ અંગે બારની બોડીએ એક ઠરાવ પણ કર્યો હતો. જોકે, તાજેતરમાં જ તા. ૫ ઓગષ્ટના રોજ મોરબી સેશન્સ કોર્ટમાં એક વકીલાતનામું રજૂ થયું જે વકીલાતનામાંમાં જયસુખ ઓધવજી પટેલના બચવા પક્ષે એડવોકેટ અનિલકુમાર આર. દેસાઈ રોકાયા હોવાનું જણાવાયું હતું. આ વકીલાતનામું રજૂ થતા જ વકીલોમાં ભારે ચર્ચા છેડાઈ હતી. અનિલભાઈ દેસાઈ સિનિયર એડવોકેટ છે. અનેક ચકચારી કેસોમાં તેઓ વકીલ તરીકે રોકાયેલા છે. ઉપરાંત પ્રદેશ ભાજપ લીગલ સેલના સહ કન્વીનર પણ છે. તેઓ રાજ્યના વકીલોમાં ખૂબ જાણીતા છે. તેઓએ ઠરાવ હોવા છતાં આ કેસના આરોપી જયસુખ પટેલ તરફે વકીલાતનામું કરતા વકીલોમાં ચર્ચા જાગી હતી. તેમાં પણ રાજકોટમાં વકીલોના બે જુદા જુદા ફાંટા પડી ગયા છે. જેને લઈ વિવાદ ચગ્યો છે. અમુક વકીલોએ રાજકોટ બારને લેખિત રજૂઆત કરી કે, સિનિયર એડવોકેટે ઠરાવનો ભંગ કર્યો છે. માટે યોગ્ય કરવા માંગ કરાઈ હતી






Latest News