મોરબીમાં પ્રેમ લગ્નની નારાજગી મુદ્દે બે પક્ષો દ્વારા સામ સામે મારામારી બાદ ફરિયાદો નોંધાઇ મોરબી બી ડિવિઝન પોલીસ સ્ટેશન હદમાંથી બે સગીરાઓના અપરણના બનાવમાં એક સગીર સહિત બે વિરુદ્ધ કાર્યવાહી વાંકાનેરમાં છકડો રીક્ષામાં નિરણની આડમાં લઇ જવાતા ૨.૧૩ લાખના દારૂ સાથે એક પકડાયો સૌરાષ્ટ્રને અલગ રાજયનો દરજ્જો આપવા મોરબી જીલ્લા ગ્રાહક સુરક્ષા મંડળની માંગ મોરબી જિલ્લા કલેક્ટર સ્વપ્નિલ ખરેએ બી ડિવિઝન પોલીસ સ્ટેશનની મુલાકાત લઈ કાયદો-વ્યવસ્થાની સ્થિતિની સમીક્ષા કરી મોરબી જિલ્લાના સફાઈ કામદારોને ‘ડૉ. આંબેડકર આવાસ યોજના’ હેઠળ ઘરઆંગણે પાકા મકાન માટે રૂ. ૧.૭૦ લાખની સહાયનો લાભ લેવા અનુરોધ જમીન અમારા ગામની નથી કોઈના બાપની: મોરબીના જેતપર ગામે ખાનગી વીજ કંપનીના વીજ પોલના વળતર મામલે ખેડૂતો ના આજથી આમરણાંત ઉપવાસ શરૂ મોરબીના જેતપર ગામ નજીક અજાણ્યા છ જેટલા શખ્સોએ પેટ્રોલ છાંટીને હિટાચી મશીન સળગાવી દીધું: 14 લાખનું નુકસાન
Breaking news
Morbi Today

ઝૂલતા પુલ કેસમાં વીપી ફાઈલ કરનાર જયસુખ પટેલના વકીલ અનિલ દેસાઈનો રાજકોટ બાર એસો.એ ખુલાસો મંગાયો


SHARE











ઝૂલતા પુલ કેસમાં વીપી ફાઈલ કરનાર જયસુખ પટેલના વકીલ અનિલ દેસાઈનો રાજકોટ બાર એસો.એ ખુલાસો મંગાયો

મોરબીના ઝૂલતા પુલ દુર્ઘટના કેસમાં જયસુખ પટેલ તરફે રોકાનાર વરિષ્ઠ ધારાશાસ્ત્રી અનિલ દેસાઈનો રાજકોટ બાર દ્વારા ખુલાસો મંગાયો છે. રાજકોટ બાર એસો.એ બનાવ વખતે ઠરાવ કરી આ કેસમાં આરોપીઓ વતી કોઈ વકીલ નહીં રોકાય તેવી જાહેરાત કરેલી. જેથી ખુલાસો માંગવામાં આવ્યો છે.

રાજકોટ બાર એસો.એ જે તે સમયે જાહેરાત કરી હતી કે રાજકોટ બારના કોઈ વકીલ આ કેસમાં આરોપીઓ વતી વકીલ તરીકે નહીં રોકાય. આ અંગે બારની બોડીએ એક ઠરાવ પણ કર્યો હતો. જોકે, તાજેતરમાં જ તા. ૫ ઓગષ્ટના રોજ મોરબી સેશન્સ કોર્ટમાં એક વકીલાતનામું રજૂ થયું જે વકીલાતનામાંમાં જયસુખ ઓધવજી પટેલના બચવા પક્ષે એડવોકેટ અનિલકુમાર આર. દેસાઈ રોકાયા હોવાનું જણાવાયું હતું. આ વકીલાતનામું રજૂ થતા જ વકીલોમાં ભારે ચર્ચા છેડાઈ હતી. અનિલભાઈ દેસાઈ સિનિયર એડવોકેટ છે. અનેક ચકચારી કેસોમાં તેઓ વકીલ તરીકે રોકાયેલા છે. ઉપરાંત પ્રદેશ ભાજપ લીગલ સેલના સહ કન્વીનર પણ છે. તેઓ રાજ્યના વકીલોમાં ખૂબ જાણીતા છે. તેઓએ ઠરાવ હોવા છતાં આ કેસના આરોપી જયસુખ પટેલ તરફે વકીલાતનામું કરતા વકીલોમાં ચર્ચા જાગી હતી. તેમાં પણ રાજકોટમાં વકીલોના બે જુદા જુદા ફાંટા પડી ગયા છે. જેને લઈ વિવાદ ચગ્યો છે. અમુક વકીલોએ રાજકોટ બારને લેખિત રજૂઆત કરી કે, સિનિયર એડવોકેટે ઠરાવનો ભંગ કર્યો છે. માટે યોગ્ય કરવા માંગ કરાઈ હતી






Latest News