મોરબીમાં આવેલ ગજાનંદ એપાર્ટમેન્ટના ફ્લેટમાં જુગાર રમતા પાંચ શખ્સો 2.62 લાખની રોકડ સાથે ઝડપાયા મોરબીના સીરામીક ઉદ્યોગમાં પાઇપલાઇન મારફતે ગેસ સપ્લાય કરતી બે કંપનીના ભાવમાં જમીન આસમાનનો તફાવત !, ઉદ્યોગકારોની મૂંઝવણમાં સતત વધારો: હાલમાં ઉદ્યોગકારો એમજીઓ કરાર ન કરે તેવા સંકેત મોરબીમાં વ્યાજે લીધેલા 2.40 લાખ સામે 7.67 લાખ ચૂકવી દીધા છતાં ગીરવે મુકેલા દાગીના અને કોરા ચેક પાછા નહીં આપતા દંપતી સામે ગુનો નોંધાયો ભારે કરી: મોરબીમાં બાઈક વ્યવસ્થિત રાખવાનું કહેતા નિવૃત્ત પોલીસ કર્મચારીને ઝાપટ મારીને ગાળો આપી છરી મારવાનો પ્રયાસ મોરબીમાં બાઈક ચાલકે હડફેટે લેતા ઇજા પામેલ 12 વર્ષના બાળકનું મોત મોરબીમાં વેપાર માટે યુવાને વ્યાજે લીધેલા 5 લાખ સામે 7.90 લાખ ચૂકવ્યા છતાં બે શખ્સો દ્વારા પઠાણી ઉઘરાણી, મારી નાખવાની ધમકી હળવદના માથક ગામે રહેતા યુવાને અગાઉ કરેલ ફરિયાદ પાછી ખેંચી લેવા માટે ફોન ઉપર ગાળો આપીને ઠામ પતાવી દેવાની ધમકી મોરબીમાં જુદી જુદી બે જગ્યાએથી દારૂની 17 બોટલ સાથે ત્રણ શખ્સો પકડાયા, ત્રણ ની શોધખોળ
Breaking news
Morbi Today

મોરબીમાં આવતી કાલે ભારતીય વિચાર મંચ દ્વારા પ્રબુધ્ધ નાગરીકો સાથે વિચાર ગોષ્ઠિનું આયોજન


SHARE











મોરબીમાં આવતી કાલે ભારતીય વિચાર મંચ દ્વારા પ્રબુધ્ધ નાગરીકો સાથે વિચાર ગોષ્ઠિનું આયોજન

आ नो भद्रा क्रतवो यन्तु विश्वतः ના વિચારને કેન્દ્રસ્થાને રાખી વિવિધતાસભર કાર્યક્રમ દ્વારા પ્રબુદ્ધજનોમાં જાણીતાં ભારતીય વિચાર મંચ મોરબી દ્વારા છત્રપતિ શિવાજી મહારાજના રાજ્યાભિષેકનું ૩૫૦ મું વર્ષ ચાલી રહ્યું છે.ત્યારે "વર્તમાન ભારતના પરિપેક્ષમાં છત્રપતિ શિવાજી મહારાજની શૂરવીરતા, શાસન વ્યવસ્થા અને સુરાજ્યનું મહત્વ" વિષય ઉપર એક વિચારગોષ્ઠીનું આયોજન કરવામાં આવ્યું છે.

 

આ વિચારગોષ્ઠીના વક્તા તરીકે ૨૦ થી વધુ દેશોમાં જેમણે પ્રવાસો કર્યા છે તેવા નીટના પૂર્વ પ્રાધ્યાપક અને અનેકવિધ પુસ્તકોના લેખક, ચિંતક અને વક્તા સદાનંદજી સપ્રે ઉપસ્થિત રહેશે.આ કાર્યક્રમ આવતી કાલ તા.૨૦-૮ ને રવિવારે સાંજે ૫:૩૦ કલાકે મોરબીના સંસ્કાર ઈમેજીંગ સેન્ટર હોલ, પહેલો માળ જીઆઇડીસી શનાળા રોડ મોરબી ખાતે યોજાશે. શહેરના પ્રબુદ્ધજનોને આ વિચારગોષ્ઠીમાં જોડાવા માટે ભારતીય વિચાર મંચ મોરબીના સંયોજક રવીન્દ્રભાઈ ત્રિવેદી (મો.૯૮૭૯૦ ૨૪૪૧૦) તથા સહસંયોજક ચિરાગભાઈ આદ્રોજા (મો.૯૮૭૯૭ ૬૩૬૩૦) એ આહ્વાન કરવામાં આવ્યું છે.

 






Latest News