મોરબીમાં પ્રેમ લગ્નની નારાજગી મુદ્દે બે પક્ષો દ્વારા સામ સામે મારામારી બાદ ફરિયાદો નોંધાઇ મોરબી બી ડિવિઝન પોલીસ સ્ટેશન હદમાંથી બે સગીરાઓના અપરણના બનાવમાં એક સગીર સહિત બે વિરુદ્ધ કાર્યવાહી વાંકાનેરમાં છકડો રીક્ષામાં નિરણની આડમાં લઇ જવાતા ૨.૧૩ લાખના દારૂ સાથે એક પકડાયો સૌરાષ્ટ્રને અલગ રાજયનો દરજ્જો આપવા મોરબી જીલ્લા ગ્રાહક સુરક્ષા મંડળની માંગ મોરબી જિલ્લા કલેક્ટર સ્વપ્નિલ ખરેએ બી ડિવિઝન પોલીસ સ્ટેશનની મુલાકાત લઈ કાયદો-વ્યવસ્થાની સ્થિતિની સમીક્ષા કરી મોરબી જિલ્લાના સફાઈ કામદારોને ‘ડૉ. આંબેડકર આવાસ યોજના’ હેઠળ ઘરઆંગણે પાકા મકાન માટે રૂ. ૧.૭૦ લાખની સહાયનો લાભ લેવા અનુરોધ જમીન અમારા ગામની નથી કોઈના બાપની: મોરબીના જેતપર ગામે ખાનગી વીજ કંપનીના વીજ પોલના વળતર મામલે ખેડૂતો ના આજથી આમરણાંત ઉપવાસ શરૂ મોરબીના જેતપર ગામ નજીક અજાણ્યા છ જેટલા શખ્સોએ પેટ્રોલ છાંટીને હિટાચી મશીન સળગાવી દીધું: 14 લાખનું નુકસાન
Breaking news
Morbi Today

મોરબીમાં આવતી કાલે ભારતીય વિચાર મંચ દ્વારા પ્રબુધ્ધ નાગરીકો સાથે વિચાર ગોષ્ઠિનું આયોજન


SHARE











મોરબીમાં આવતી કાલે ભારતીય વિચાર મંચ દ્વારા પ્રબુધ્ધ નાગરીકો સાથે વિચાર ગોષ્ઠિનું આયોજન

आ नो भद्रा क्रतवो यन्तु विश्वतः ના વિચારને કેન્દ્રસ્થાને રાખી વિવિધતાસભર કાર્યક્રમ દ્વારા પ્રબુદ્ધજનોમાં જાણીતાં ભારતીય વિચાર મંચ મોરબી દ્વારા છત્રપતિ શિવાજી મહારાજના રાજ્યાભિષેકનું ૩૫૦ મું વર્ષ ચાલી રહ્યું છે.ત્યારે "વર્તમાન ભારતના પરિપેક્ષમાં છત્રપતિ શિવાજી મહારાજની શૂરવીરતા, શાસન વ્યવસ્થા અને સુરાજ્યનું મહત્વ" વિષય ઉપર એક વિચારગોષ્ઠીનું આયોજન કરવામાં આવ્યું છે.

 

આ વિચારગોષ્ઠીના વક્તા તરીકે ૨૦ થી વધુ દેશોમાં જેમણે પ્રવાસો કર્યા છે તેવા નીટના પૂર્વ પ્રાધ્યાપક અને અનેકવિધ પુસ્તકોના લેખક, ચિંતક અને વક્તા સદાનંદજી સપ્રે ઉપસ્થિત રહેશે.આ કાર્યક્રમ આવતી કાલ તા.૨૦-૮ ને રવિવારે સાંજે ૫:૩૦ કલાકે મોરબીના સંસ્કાર ઈમેજીંગ સેન્ટર હોલ, પહેલો માળ જીઆઇડીસી શનાળા રોડ મોરબી ખાતે યોજાશે. શહેરના પ્રબુદ્ધજનોને આ વિચારગોષ્ઠીમાં જોડાવા માટે ભારતીય વિચાર મંચ મોરબીના સંયોજક રવીન્દ્રભાઈ ત્રિવેદી (મો.૯૮૭૯૦ ૨૪૪૧૦) તથા સહસંયોજક ચિરાગભાઈ આદ્રોજા (મો.૯૮૭૯૭ ૬૩૬૩૦) એ આહ્વાન કરવામાં આવ્યું છે.

 






Latest News