મોરબીના ખોખરા હરિહરધામે હનુમાન જયંતિ નિમિત્તે મહાઆરતી, રામધુન, સંતવાણી અને મહાપ્રસાદનું આયોજન હળવદ નજીક હોટલ પાસે તલવાર વડે કરાયેલ જીવલેણ હુમલાના ગુનામાં કોર્ટે 4 આરોપીઓને સજા અને દંડ ફટકાર્યો વાંકાનેરના અરણીટીંબા ગામે ત્યજી દેવાયેલ નવજાત બાળકીને શ્વાને બચકાં ભરીને ફાડી ખાધી મોરબી OSEM સ્કુલની વિદ્યાર્થિનીએ મેળવી રાષ્ટ્રીય સ્તરે સિધ્ધી મોરબીમાં ફૈબા દ્વારા ભત્રીજા-ભત્રીજીના જન્મદિવસની ઉજવણીના ભાગરૂપે મેડિકલ કેમ્પ યોજાયો મોરબીમાં ભોજાણી પરિવારના કુળદેવી શ્રી ભવાની માતાજી મંદિરે નવચંડી યજ્ઞ માળીયા (મી)ના મોટા દહીસરા ગામે પ્રેમલગ્ન કરનારા યુવતીના કાકા ઉપર યુવાનના કૌટુંબિક વ્યક્તિએ કર્યો છરી વડે હુમલો હળવદમાં દુકાન પાસે હરાજી કરવાની ના કહેતા વેપારી ઉપર 5 શખ્સોનો પાઇપ વડે હુમલો
Breaking news
Morbi Today

મોરબીની પોસ્ટ ઓફિસમાં સુવિધા વધારવા વડાપ્રધાન સુધી રજૂઆત


SHARE











મોરબીની પોસ્ટ ઓફિસમાં સુવિધા વધારવા વડાપ્રધાન સુધી રજૂઆત

મોરબીની પોસ્ટ ઓફિસમાં સગવડતા ન હોવાથી ગ્રાહકોને હેરાન થવું પડે છે જેથી કરીને દેશના વડાપ્રધાન અને સંદેશા વ્યવહાર મંત્રીને હાલમાં લેખિત રજૂઆત કરીને સ્ટાફ, ઇન્ટરનેટની સારી સેવા, નવી પોસ્ટ ઓફિસનું નિર્માણ વિગેરે જેવી મોરબીવાસીઓ વતી મોરબી શહેર-જીલ્લા ગ્રાહક સુરક્ષા મંડળના પ્રમુખ દ્વારા માંગ કરવામાં આવી છે

મોરબીની હેડ પોસ્ટ ઓફિસ મોરબી સ્ટેટના વખતની બનાવેલ છે અને હાલે જે મોરબીમાં કાર્યરત છે જો કે, છેલ્લા વર્ષોમાં સીરામીક, ઘડીયાળ તથા અન્ય ક્ષેત્રમાં રોજગારી માટે બીજા રાજયોમાંથી આવેલ મજુરોને પોસ્ટ ઓફિસનો ઉપયોગ વધારે કરે છે જો કે, મોરબીની પોસ્ટ ઓફિસમાં સંકળાશ, અપુરતો સ્ટાફ હોવાના લીધે હેરાન થવું પડે છે જેથી કરીને કેન્દ્ર સરકારની પ્રજા લક્ષી ધણી બધી યોજના છે તેને સફળ બનાવવા માટે સ્ટાફ વધારવામાં આવે તેમજ બીલ્ડીંગની જરૂરત હોય તે મુજબ બનાવવામાં આવે તેવી માંગ કરી છે હાલમાં ત્યાં ગ્રાહકને બેસવા માટેની કોઇ વ્યવસ્થા નથી જે તે સરકારી યોજનાના એજન્ટને બેસવાની વ્યવસ્થા નથી મોરબીની આશરે પાંચ લાખની વસ્તી છે અને પોસ્ટ ઓફિસ એક છે અને તેમાં પણ પુરતો સ્ટાફ નથી આટલું જ નહીં બિન અનુભવી સ્ટાફ હોય લોકોને પારાવાર મુશ્કેલીનો સામનો કરવો પડે છે ત્યારે સ્ટાફ, ઇન્ટરનેટની સારી સેવા સહિતની સુવિધાઓ સાથે સરકાર દ્રારા નવી પોસ્ટ ઓફિસનું નિર્માણ કરવુ જોઇએ આ બાબત યોગ્ય કરવામાં આવે તેવી મોરબીવાસીઓ વતી મોરબી શહેર-જીલ્લા ગ્રાહક સુરક્ષા મંડળના પ્રમુખ લાલાજીભાઇ મહેતાએ દેશના સંદેશા વ્યવહાર મંત્રી અશ્વીની વૈષ્ણવ તેમજ વડાપ્રધાનને રજૂઆત કરેલ છે.






Latest News