મોરબી જિલ્લા ભાજપ કાર્યાલય ખાતે જિલ્લા અધ્યક્ષ જયંતીભાઈ રાજકોટીયાના હસ્તે ધ્વજવંદન, નાની બરાર ગામમાં સરપંચ દ્વારા વિદ્યાર્થીઓને સ્ટેશનરી કીટનું વિતરણ મોરબી નવયુગ ગ્રૂપ ઓફ એજ્યુકેશનમાં સ્વતંત્રતા દિવસની ઉજવણી કરાઇ: મુસ્કાન વેલફેર સોસાયટીનું વહીવટી તંત્રએ કર્યું સન્માન મોરબી જીલ્લામાં દારૂના ગુનામાં સંડોવાયેલા 3 આરોપી પાસા હેઠળ જુદીજુદી જેલમાં ધકેલાયા વધુ એક વખત બેદરકારી: હળવદના ખેતરડી ગામે જૂની પાણીની ટાંકી તોડતા સમયે નવી પાણીની ટાંકી સાથે અથડાઇ હળવદના વેગડવાવ ગામે MRC કમિટી બાદ ખેડૂતોને વીજપોલ-કોરિડોર સામે મળ્યું 3થી 4 ગણું વળતર: કલકેટર સ્વપ્નિલ ખરે મોરબી છાત્રાલય રોડ ખાતેથી ૯ બોટલ દારૂ પકડાઈ, ત્રણ સામે ફરિયાદ મોરબીની માધાપરવાડી શાળામાં બ્રહ્માકુમારી દ્વારા નશા મુક્ત અભિયાનનો કાર્યક્રમ યોજાયો મોરબી જિલ્લાના મોટા દહીસરા ગામે આન, બાન અને શાનથી પ્રભારી મંત્રીના હસ્તે તિરંગો આકાશમાં લહેરાવીને સલામી આપાઈ
Breaking news
Morbi Today

મોરબીના લાલપર ગામેથી નાસ્તો લેવા ગયેલ યુવતી ગુમ


SHARE







મોરબીના લાલપર ગામેથી નાસ્તો લેવા ગયેલ યુવતી ગુમ

મોરબીના લાલપર ગામે કુંજગલી સોસાયટીમાં રહેતા પરિવારની દીકરી ઘરેથી નાસ્તો લેવા જવાનું કહીને બહાર નીકળી હતી ત્યારે બાદ છેલ્લા બે દિવસથી તે ગુમ થઈ ગયેલ છે જેથી કરીને ગુમ થયેલ યુવતીના પિતા દ્વારા હાલમાં મોરબી તાલુકા પોલીસ સ્ટેશન ખાતે યુવતી ગુમ થઈ અંગેની ફરિયાદ નોંધાવી છે જેથી પોલીસે ગુમસુધા ફરિયાદ નોધીને આગળની રાબેતા મુજબની કાર્યવાહી હાથ ધરી છે.

જાણવા મળતી માહિતી મુજબ સુરેન્દ્રનગર જિલ્લાના લીંબડી તાલુકાના કટારીયા ગામના રહેવાસી અને હાલમાં મોરબી નજીકના લાલપર ગામે આવેલ કુંજગલી સોસાયટીમાં રહેતા રમેશભાઈ ઉર્ફે રાયમલભાઈ ટપુભાઈ ધરજીયા જાતે કોળી (૫૦)એ મોરબી તાલુકા પોલીસ સ્ટેશન ખાતે તેની દીકરી માયાબેન ધરજીયા (૧૯) ગુમ થઈ હોવા અંગેની ગુમસુધા ફરિયાદ નોંધાવી છે જેમાં તેને જણાવ્યૂ છે કે ગત તા.૨-૮ ના રાત્રીના આઠેક વાગ્યાના અરસામાં પોતાના ઘરેથી નાસ્તો લેવા માટે ગામમાં જાઉં છું તેવું કહીને નીકળ્યા બાદ તે ઘરે પરત આવેલ નથી જેથી કરીને છેલ્લા બે દિવસથી માયાબેન ગુમ થયેલ હોય તેના પિતા દ્વારા મોરબી તાલુકા પોલીસ સ્ટેશન ખાતે ગુમસુધા ફરિયાદ નોંધાવવામાં આવી છે જેના આધારે પોલીસે યુવતીને શોધવા માટે જુદી જુદી દિશામાં તપાસ શરૂ કરી છે આ અંગેની આગળની વધુ તપાસ મોરબી તાલુકા પોલીસ સ્ટેશનના મનીષભાઈ બારૈયા ચલાવી રહ્યા છે.

વૃદ્ધને રાજકોટ ખસેડાયા

મોરબીના રવાપર રોડ ઉપર આવેલ ફૂટવેરની દુકાન પાસેથી ઈજાગ્રસ્ત હાલતમાં મળેલા વૃદ્ધને મોરબી સિવિલે સારવાર માટે લાવવામાં આવ્યા હતા અને ત્યાં પ્રાથમિક સારવાર આપીને વધુ સારવાર માટે હાલ રાજકોટ ખસેડાયા હોવાનું જાણવા મળેલ છે. એ ડિવિઝન પોલીસસુત્રોમાંથી મળતી માહિતી પ્રમાણે મોરબીના સામાકાંઠે આવેલ માળિયા ફાટક પાસે રહેતા અનુભાઈ સવજીભાઈ નામના ૫૫ વર્ષીય આધેડને મોરબીના રવાપર રોડ ઉપર આવેલ રજાક ફૂટવેર નામની દુકાન પાસેથી ૧૦૮ વડે સારવાર માટે અત્રેની સિવિલ હોસ્પિટલમાં લાવવામાં આવ્યા હતા જ્યાં તેઓને સારવાર આપવામાં આવ્યા બાદ વધુ સારવાર માટે રાજકોટ લઈ જવામાં આવ્યા છે હાલ આ બનાવ અંગે મોરબી એ ડિવિઝન પોલીસ મથકના જયપાલસિંહ જાડેજા દ્વારા આગળની તપાસ ચલાવવામાં આવી રહી છે.ઇજાગ્રત અનુભાઈ હાલ બેભાન હાલતમાં રાજકોટ હોવાનું જાણવા મળેલ છે.પરીવારના સભ્યોનો ભેટો થયેલ ન હોય કોઇ ઓળખતુ હોય તો એ ડિવિઝન પોલીસ મથકે જયપાલસિંહનો સંપર્ક કરે તેમ યાદીમાં જણાવવામાં આવેલ છે.






Latest News