ભારતમાં મુસ્લિમોની વસ્તી અટકાવવા ત્રીજુ સંતાન થાય તો સરકારી અનાજ, શાળામાં પ્રવેશ, મેડિકલ સારવાર, બેંક લોન અને વોટ આપવાનો અધિકાર બંધ કરો: પ્રવીણ તોગડિયા મોરબી શહેર ભાજપમાં ઉપપ્રમુખ-મંત્રીઓની વરણી કરાઇ મોરબીના ખાનપર ગામે ઘરના ફળિયામાં પડી જતાં ઇજા પામેલા યુવાનનું મોત: સાપર નજીક કારખાનામાં ઇલેક્ટ્રીક શૉટ લગતા યુવાનનું મોત મોરબીની અણીયારી ચોકડી પાસે 2 ભેંસ-2 પાડાને કતલખાને લઈએ જતી બોલેરો સાથે બે શખ્સને ગૌરક્ષકોએ પકડ્યા વાંકાનેરના જોધપર ગામે છોકરાઓના રમવા બાબતે મહિલા અને તેની દીકરીને 4 મહિલા સહિત 6 લોકોએ માર માર્યો આજે તો તું બચી ગયો હવે ભેગો થઈશ તો પાડી દેશું: વાંકનેરના રાજાવડલા ગામે યુવાનને તેના બે ભાઈ-ભાભીઓએ આપી ધમકી મોરબીના લાલપર નજીક એક્ટિવા અને બડા દોસ્ત તથા સજનપર નજીક કાર-બસ વચ્ચે અકસ્માત મોરબીની રાજપર ચોકડી પાસે અગાઉ ભત્રીજીને ભગાડી ગયેલ શખ્સ અને તેના પિતાએ યુવાનને માર માર્યો
Breaking news
Morbi Today

મોરબીમાં આઇએમએ દ્વારા ડૉકટર્સ માટે વિપશ્યના પ્રાથમિક પરિચય શિબિર યોજાઈ


SHARE







મોરબીમાં આઇએમએ દ્વારા ડૉકટર્સ માટે વિપશ્યના પ્રાથમિક પરિચય શિબિર યોજાઈ

મોરબીના સંસ્કાર બ્લડ બેંક ઓડિટોરિયમ ખાતે રાત્રે સુઆયોજિત વિપશ્યના પ્રાથમિક પરિચય શિબિરનું આયોજન આઇએમએના પ્રમુખ ડૉ. હેમાબેન પટેલ તથા સેક્રેટરી ડૉ.કૃષ્ણ ચગ દ્વારા કરવામાં આવ્યું હતું અને મોરબીના તમામ ડૉકટરના પરિવારને આ શિબિરમાં આવવા આમંત્રણ આપ્યું હતું. આ કાર્યક્રમના આયોજન અને સંકલનમાં મોરબીના અનુભવી સાધક નરેન્દ્ર અઘારાએ સેવા આપી હતી. આ શિબિરમાં રાજકોટથી  માર્ગદર્શક આચાર્યો ડૉ.વાઘવાણી અને ડૉ. રાજુભાઈ મહેતા આવ્યા હતા.ત્યાર બાદ ડૉ. વાઘવાણીએ વિપશ્યનાનું પૂર્વ ચરણ આનાપાનસતિ ધ્યાનનું પ્રેક્ટિકલ કરાવી અનુભવ પૂરો પાડ્યો હતો. તો રાજુભાઈએ વિપશ્યના સાધનામાં શ્વાસ અને સંવેદનાનું આલંબનનું મહત્વ સમજાવ્યું હતું. વિપશ્યનાનો ઈતિહાસ, કેન્દ્રોની કાર્યપ્રણાલી, ૧૦  દિવસીય શિબિર વિશે સુંદર માહિતી આપી હતી. અંતમાં વિપશ્યના જૂના સાધક અને IMAના પ્રમુખ ડૉ. હેમાબેન પટેલે વિપશ્યના વિશેના પોતાના અનુભવો જણાવ્યા હતા






Latest News