મોરબીમાં 42 ડિગ્રી તાપમાનમાં ફરજ બજાવતા 50 જેટલા ટ્રાફિક બ્રિગેડના જવાનો અઢી મહિનાથી પગારથી વંચિત મોરબીમાં કન્યા છાત્રાલય ખાતે સંસ્કારી સ્ત્રી-સુસંસ્કૃત સમાજ કાર્યક્રમનું આયોજન મોરબીમાં મુસ્કાન વેલફેર સોસાયટી દ્વારા લોકોને ગરમીમાં રાહત માટે પ્રેરણાદાયી કર્યા ટંકારા તાલુકામાં પી.એમ. પોષણ યોજના હેઠળ સ્ટાફની ભરતી: 26 મે સુધીમાં અરજીઓ મંગાવાઈ વાંકાનેરમાં શહેર-ગ્રામ્ય વિસ્તારના નિરાધાર વૃદ્ધ, ઈન્દિરા ગાંધી રાષ્ટ્રીય વૃદ્ધ સહાય અને ગંગા સ્વરૂપા યોજનાના લાભાર્થીઓએ 30 મે સુધીમાં હયાતીની ખરાઈ કરાવવી અનિવાર્ય મોરબીમાં કાળજાળ ગરમીમાં સિરામિક કારખાનામાં શ્રમિકોને લસ્સીનુ વિતરણ મોરબીના ડો. બી કે લહેરૂએ પેટ્રોલ-ડીઝલ બચાવવાની વડાપ્રધાનની અપીલને ધ્યાને રાખીને કર્યો મહત્વનો નિર્ણય મોરબીના નવલખી રોડ પાસે બે યુવાનો ઉપર છરી-પાઈપ વડે હુમલો-સારવારમાં
Breaking news
Morbi Today

વાંકાનેર તાલુકમાંથી સગીરાનું અપહરણ કરનાર આરોપી ચોટીલામાંથી પકડાયો


SHARE











વાંકાનેર તાલુકમાંથી સગીરાનું અપહરણ કરનાર આરોપી ચોટીલામાંથી પકડાયો

વાંકાનેર તાલુકા પોલીસ સ્ટેશન વિસ્તારમાંથી સગીરાનું અપહરણ કરવામાં આવ્યું હતું જેની ફરિયાદ આધારે આરોપીને પકડવા માટે તજવીજ ચાલી રહી હતી અને વાંકાનેરના સીપીઆઇ અને તેની ટિમ દ્વારા આરોપીને પકડી લેવામાં આવેલ છે અને ભોગબનનારને મુકત કરવામાં આવેલ છે.

મોરબીના એસપી રાહુલ ત્રિપાઠી અને ડીવાયએસપી પી.એ.ઝાલાના માર્ગદર્શન હેઠળ વાંકાનેરના સીપીઆઇ અને તેની ટીમ દ્વારા વાંકાનેર તાલુકા પોલીસ સ્ટેશનમાં નોંધાયેલ અપહરણ અને પોકસોના ગુનામાં આરોપીને પકડવા માટે તજવીજ કરવામાં આવી રહી હતી અને ફરીયાદીની સગીરવયની દિકરીનું અપહરણ આરોપી લાલુ ઉર્ફે નરેન્દ્ર ચંદુભાઇ ચાવડા રહે. આંબેડકરનગર-૫થાનગઢ જીલ્લો સુરેન્દ્રનગર વાળો કરી ગયો હોવાની ફરિયાદ તા.૧૮-૭+૨૩ ના રોજ નોંધાવવામાં આવી હતી.જેના આધારે પોલીસે આરોપીને પકડવા માટે તેમજ ભોગબનનારને શોધવા માટે તજવીજ શરૂ કરી હતી અને સીપીઆઇ વી.પી. ગોલ, મયુરસિંહ, રાજેશભાઇ તેમજ વાંકાનેર તાલુકા પોલીસ સ્ટેશનના મયુરધ્વજસિંહ જાડેજા અને હંસાબેન પાપોદરાની સંયુકત ટીમ દ્વારા ટેકનિકલ તેમજ હ્યુમન ઇન્ટેલીજન્સની મદદથી તપાસ કરવામાં આવી રહી હતી અને આરોપી ચોટીલા હોવાની માહિતી મળી હતી જેથી કરીને પોલીસે ત્યાં જઈને તેની ધરપકડ કરી હતી અને સગીરાને મુક્ત કરાવેલ છે.






Latest News