મોરબી શહેરમાં આવેલ જીલ્લા પંચાયત હસ્તકની પ્રથામિક શાળાઓ મહાપાલીકા હસ્તક લેવા ગ્રાહક સુરક્ષા મંડળના પ્રમુખની માંગ મોરબી જુના અમરાપર શાળામાં વિધાર્થીઓને સરગવાના વૃક્ષો આપી શાળા પ્રવેશ આપ્યો મોરબીના પીપળી ગામે બે કલાકમાં 155 વૃક્ષોનું રોપણ કરાયું મોરબીમાં પીજીવીસીએલ દ્વારા સલામતી સપ્તાહની ઉજવણી કરાશે માળિયા (મી)માં ધો. ૯ ના વિદ્યાર્થીઓના પ્રવેશ પ્રશ્ન બાબતે પાલિકા પ્રમુખની રજૂઆત મોરબીના મહેન્દ્રનગર ફ્લાયઓવર બ્રિજની કામગીરીની મુલાકાત લેતા કલેક્ટર સ્વપ્નિલ ખરે જો 48 કલાકમાં મોરબીના જેતપર ગામે ચાલતા ખેડૂત આંદોલનનો નિર્ણય ન આવે તો આંદરણા ગ્રામ પંચાયતની બોડી મૂકશે સામૂહિક રાજીનામુ ચોમાસુ ખેંચાતા ખેડૂતો ચિંતાતુર: હળવદના બ્રાહ્મણી 2 ડેમમાંથી સિંચાઈનું પાણી આપવા માટે 7 ગામના ખેડૂતોની માંગ
Breaking news
Morbi Today

વાંકાનેરમાં પ્રેમ સંબંધનો ખાર રાખીને મારામારી: બંને પક્ષેથી નોંધી સામસામી ફરિયાદ


SHARE









વાંકાનેરમાં પ્રેમ સંબંધનો ખાર રાખીને મારામારી: બંને પક્ષેથી નોંધી સામસામી ફરિયાદ

વાંકાનેર શહેરના આરોગ્યનગર ચોક પાસે મારામારીનો બનાવ બન્યો હતો જેમાં બંને પક્ષેથી મારામારી કરવામાં આવી હતી જેથી ઈજા પામેલા વ્યક્તિઓને સારવાર માટે લઈને આવ્યા હતા અને ત્યારબાદ હાલમાં વાંકાનેર સીટી પોલીસ સ્ટેશન ખાતે બંને પક્ષેથી ફરિયાદ નોંધાવવામાં આવતા પોલીસે સામસામે ફરિયાદ નોંધને આરોપીઓને પકડવા માટે તજવીજ શરૂ કરી છે

જાણવા મળતી વિગત પ્રમાણે વાંકાનેરમાં જવાસા રોડ એક્સિસ બેન્ક વાળી શેરીમાં રહેતા હરેશભાઈ ઉર્ફે મુન્નાભાઈ વ્રજલાલ કારીયા જાતે લોહાણા (૪૮)એ વાંકાનેર સીટી પોલીસ સ્ટેશન ખાતે અમુભાઈ ઠાકરાણી, કેવલ ઠાકરાણી, સનીભાઈ ભરતભાઈ ઠાકરાણી, ચિરાગભાઈ અશોકભાઈ ઠાકરાણી અને શામજીભાઈ અશોકભાઈ ગોરીયા રહે. તમામ વાકાનેર વાળાની સામે ફરિયાદ નોંધાવી છે જેમાં તેને જણાવ્યુ છેકે, તેની ભત્રીજી સાથે શામજીભાઈ અશોકભાઈ ગોરીયાને પ્રેમ સંબંધ હતો જે બાબતનું મન દુઃખ ચાલતું હોય આરોપીઓએ ફરિયાદી તથા તેની સાથે રહેલ વ્યક્તિને ગાળો આપીને જાનથી મારી નાખવાની ધમકી આપી હતી અને ત્યારે શામજીભાઈએ ઢીકાપાટુનો મૂઢમાર મારીને ઇજા પણ કરી હતી જેથી ઈજા પામેલ હરેશભાઈએ સારવાર લીધા બાદ વાંકાનેર સિટી પોલીસ સ્ટેશન ખાતે ફરિયાદ નોંધાવતા પોલીસે આરોપીઓને પકડવા માટે તજવીજ શરૂ કરેલ છે તો સામા પક્ષેથી શામજીભાઈ અશોકભાઈ ગોરીયા જાતે કોળી (૨૪) રહે વૃંદાવન વાટિકા સોસાયટી વાંકાનેર વાળાએ મુન્નાભાઈ કારીયા, દેવ મુન્નાભાઈ કારીયા જેનીસ કરિયા અને કાળી રહે. બધા વાંકાનેર વાળા સામે ફરિયાદ નોંધાવી છે જેમાં તેણે જણાવ્યું છે કે આરોપીઓએ કેમ કાતર મારો છો તેવું કહીને ગાળો આપી હતી અને લાકડી તથા ધોકા વડે પગમાં માર મારીને ઇજા કરી હતી જેથી ઈજા પામેલા યુવાને સારવાર લીધા બાદ ચાર શખ્સોની સામે વાંકાનેર સિટી પોલીસ સ્ટેશન ખાતે ફરિયાદ નોંધાવતા મારામારીના આ બનાવ સંદર્ભે પોલીસે બંને પક્ષેથી ફરિયાદ લઈને આરોપીઓને પકડવા માટે તજવીક શરૂ કરેલ છે






Latest News