મોરબીમાં નવું ફાયર સ્ટેશન-બાગ બગીચા સહિતના વિકાસ કામોને ઝડપથી પૂરા કરવા સ્ટેન્ડિંગ કમિટીની બેઠકમાં અધિકારીને અપાઈ સૂચના મોરબીમાં ચેક રીર્ટન કેસમાં આરોપીને નિર્દોષ છોડી મુકવાનો કોર્ટનો મહત્વપુર્ણ ચુકાદો મોરબીમાં શ્રાવણ મહિનાના તમામ સોમવાર અને જન્માષ્ટમીએ કતલખાના બંધ રાખવા આદેશ મોરબી મહાપાલિકાના સિવિક સેન્ટરમાં અધિકારીએ કરેલ અપમાનજનક વર્તનથી કંટાળીને 7 કર્મચારીઓનું સામૂહિક રાજીનામુ મોરબીના મકનસર ગામે લોંગ ટર્મ વીઝા ધારક પાકિસ્તાની નાગરિકો માટે કેમ્પ, અધ્યયન મંડળ દ્રારા શનિવારે બૌદ્ધિક વર્ગનું આયોજન મોરબી તાલુકામાંથી સગીરાનું અપહરણ-દુષ્કર્મના ગુનામાં મુખ્ય આરોપીને 20 વર્ષની સજા, 25 હજારનો દંડ: 4 આરોપીઓનો નિર્દોષ છુટકારો મોરબી ગ્રાહક સુરક્ષા મંડળે કેશ કરતાં ફ્રી માં કાર વ્યવસ્થિત કરી આપવા હુકમ લાયન્સ કલબ ઓફ મોરબી સીટી દ્વારા સી.એમ.જાકાસણીયા હાઈસ્કૂલ જેતપર (મચ્છુ) ખાતે સ્વચ્છતા તથા વ્યસન અને નશામુક્તિ અભિયાન પ્રોજેક્ટ
Breaking news
Morbi Today

વાંકાનેરમાં પ્રેમ સંબંધનો ખાર રાખીને મારામારી: બંને પક્ષેથી નોંધી સામસામી ફરિયાદ


SHARE







વાંકાનેરમાં પ્રેમ સંબંધનો ખાર રાખીને મારામારી: બંને પક્ષેથી નોંધી સામસામી ફરિયાદ

વાંકાનેર શહેરના આરોગ્યનગર ચોક પાસે મારામારીનો બનાવ બન્યો હતો જેમાં બંને પક્ષેથી મારામારી કરવામાં આવી હતી જેથી ઈજા પામેલા વ્યક્તિઓને સારવાર માટે લઈને આવ્યા હતા અને ત્યારબાદ હાલમાં વાંકાનેર સીટી પોલીસ સ્ટેશન ખાતે બંને પક્ષેથી ફરિયાદ નોંધાવવામાં આવતા પોલીસે સામસામે ફરિયાદ નોંધને આરોપીઓને પકડવા માટે તજવીજ શરૂ કરી છે

જાણવા મળતી વિગત પ્રમાણે વાંકાનેરમાં જવાસા રોડ એક્સિસ બેન્ક વાળી શેરીમાં રહેતા હરેશભાઈ ઉર્ફે મુન્નાભાઈ વ્રજલાલ કારીયા જાતે લોહાણા (૪૮)એ વાંકાનેર સીટી પોલીસ સ્ટેશન ખાતે અમુભાઈ ઠાકરાણી, કેવલ ઠાકરાણી, સનીભાઈ ભરતભાઈ ઠાકરાણી, ચિરાગભાઈ અશોકભાઈ ઠાકરાણી અને શામજીભાઈ અશોકભાઈ ગોરીયા રહે. તમામ વાકાનેર વાળાની સામે ફરિયાદ નોંધાવી છે જેમાં તેને જણાવ્યુ છેકે, તેની ભત્રીજી સાથે શામજીભાઈ અશોકભાઈ ગોરીયાને પ્રેમ સંબંધ હતો જે બાબતનું મન દુઃખ ચાલતું હોય આરોપીઓએ ફરિયાદી તથા તેની સાથે રહેલ વ્યક્તિને ગાળો આપીને જાનથી મારી નાખવાની ધમકી આપી હતી અને ત્યારે શામજીભાઈએ ઢીકાપાટુનો મૂઢમાર મારીને ઇજા પણ કરી હતી જેથી ઈજા પામેલ હરેશભાઈએ સારવાર લીધા બાદ વાંકાનેર સિટી પોલીસ સ્ટેશન ખાતે ફરિયાદ નોંધાવતા પોલીસે આરોપીઓને પકડવા માટે તજવીજ શરૂ કરેલ છે તો સામા પક્ષેથી શામજીભાઈ અશોકભાઈ ગોરીયા જાતે કોળી (૨૪) રહે વૃંદાવન વાટિકા સોસાયટી વાંકાનેર વાળાએ મુન્નાભાઈ કારીયા, દેવ મુન્નાભાઈ કારીયા જેનીસ કરિયા અને કાળી રહે. બધા વાંકાનેર વાળા સામે ફરિયાદ નોંધાવી છે જેમાં તેણે જણાવ્યું છે કે આરોપીઓએ કેમ કાતર મારો છો તેવું કહીને ગાળો આપી હતી અને લાકડી તથા ધોકા વડે પગમાં માર મારીને ઇજા કરી હતી જેથી ઈજા પામેલા યુવાને સારવાર લીધા બાદ ચાર શખ્સોની સામે વાંકાનેર સિટી પોલીસ સ્ટેશન ખાતે ફરિયાદ નોંધાવતા મારામારીના આ બનાવ સંદર્ભે પોલીસે બંને પક્ષેથી ફરિયાદ લઈને આરોપીઓને પકડવા માટે તજવીક શરૂ કરેલ છે






Latest News