મોરબીમાં 42 ડિગ્રી તાપમાનમાં ફરજ બજાવતા 50 જેટલા ટ્રાફિક બ્રિગેડના જવાનો અઢી મહિનાથી પગારથી વંચિત મોરબીમાં કન્યા છાત્રાલય ખાતે સંસ્કારી સ્ત્રી-સુસંસ્કૃત સમાજ કાર્યક્રમનું આયોજન મોરબીમાં મુસ્કાન વેલફેર સોસાયટી દ્વારા લોકોને ગરમીમાં રાહત માટે પ્રેરણાદાયી કર્યા ટંકારા તાલુકામાં પી.એમ. પોષણ યોજના હેઠળ સ્ટાફની ભરતી: 26 મે સુધીમાં અરજીઓ મંગાવાઈ વાંકાનેરમાં શહેર-ગ્રામ્ય વિસ્તારના નિરાધાર વૃદ્ધ, ઈન્દિરા ગાંધી રાષ્ટ્રીય વૃદ્ધ સહાય અને ગંગા સ્વરૂપા યોજનાના લાભાર્થીઓએ 30 મે સુધીમાં હયાતીની ખરાઈ કરાવવી અનિવાર્ય મોરબીમાં કાળજાળ ગરમીમાં સિરામિક કારખાનામાં શ્રમિકોને લસ્સીનુ વિતરણ મોરબીના ડો. બી કે લહેરૂએ પેટ્રોલ-ડીઝલ બચાવવાની વડાપ્રધાનની અપીલને ધ્યાને રાખીને કર્યો મહત્વનો નિર્ણય મોરબીના નવલખી રોડ પાસે બે યુવાનો ઉપર છરી-પાઈપ વડે હુમલો-સારવારમાં
Breaking news
Morbi Today

મોરબીના સોઓરડીમાંથી ગુમ થયેલ વાંકાનેરથી મળ્યો


SHARE











મોરબીના સોઓરડીમાંથી ગુમ થયેલ વાંકાનેરથી મળ્યો

મોરબીના સોઓરડી વિસ્તારમાંથી તરૂણ ગુમ થયો હતો જેથી પરિવારજનો અને પોલીસ તેને શોધી રહી હતી અને આ બાળક હાલમાં વાંકાનેર રેલ્વે સ્ટેશન ખાતેથી તે બાળક મળી આવેલ છે જેથી કરીને પોલીસે અને પરિવારે રાહતનો શ્વાસ લીધેલ છે

જાણવા મળતી માહિતી મુજબ મોરબીના સામાકાંઠે આવેલા સોઓરડી વિસ્તારની શેરી નં-૧૦ માં રહેતા ધ્રુવરાજસિંહ અજયસિંહ જાડેજા (૧૫) નામનો તરૂણ રવિવારે સવારે ઘરેથી નીકળી ગયો હતો જેથી ગુમ થયેલા બાળકને શોધવા માટે પરિવારજનો કવાયત કરી રહ્યા હતા અને ત્યાર બાદ પોલીસને પણ જાણ કરવામાં આવી હતી જેથી કરીને પોલીસે અને પરિવારજનો બાળકને શોધી રહ્યા હતા અને તેવામાં આ બાળક હાલમાં વાંકાનેર રેલ્વે સ્ટેશન ખાતેથી મળી આવેલ છે તેવું તેના પરિવારજન પાસેથી જાણવા મળેલ છે વધુમાં મળતી માહિતી મુજબ બાળકને ઘરે વાંચવા લખવા માટે ઠપકો આપ્યો હતો જેથી કરીને તે રેમું ટ્રેનમાં બેસીને મોરબીથી વાંકાનેર ચાલ્યો ગયો હતો  જો કે, બાળક હેમખેમ મળી આવતા હાલમાં પરિવારને મોટી રાહત થયેલ છે






Latest News