મોરબીના જલારામ ધામ ખાતે ભગવાન રામનું પૂજન, મહાઆરતી અને મહાપ્રસાદનો કાર્યક્રમ યોજાયો મોરબી મહાપાલિકાની 12 બેઠકો ઉપર કોંગ્રેસના સત્તાવાર ઉમેદવારોના નામ જાહેર કરાયા, જો સત્તા ઉપર કોંગ્રેસ આવશે તો કૌભાંડીયાઓ થશે જેલ ભેગા: પુષ્પરાજસિંહ જાડેજા મોરબી જિલ્લામાં LCB, SOG તેમજ જુદાજુદા પોલીસ સ્ટેશનમાંથી કુલ 12 પીએની બદલી, નવા 6 મુકાયા મોરબીમાં મુસ્કાન વેલ્ફેર સોસાયટીએ વિશ્વ ટીબી દિવસે 5 દર્દીઓને દત્તક લીધા  મોરબીમાં હરે કૃષ્ણ સત્સંગ કેન્દ્ર (ઇસ્કોન) દ્વારા ભગવાન શ્રી રામચંદ્રજીના જન્મ મહામહોત્સવની ઉજવણી કરાઇ મોરબીના વિદ્યુત સ્મશાન ખાતે રામનવમીના દિવસે 32 લાખના ખર્ચે બનેલા રામધૂન સત્સંગ હોલનું લોકાર્પણ કરાયું મોરબી મહાપાલિકાના વોર્ડની રચનામાં મતદારોની સંખ્યા માટે ચૂંટણી પંચની ગાઈડલાઈનનો ઉલાળ્યો !: કોંગ્રેસે કરી આયોગમાં રજૂઆત મોરબીની માધાપરવાડી શાળાની મુલાકાત લઈ વાર્ષિક પાઠનું નિરીક્ષણ કરતાં જિલ્લા શિક્ષણ તાલીમ ભવનના અધિકારીઓ
Breaking news
Morbi Today

ટંકારાના બંગાવડી ગામે ઝેરી જનાવર કરડી જતા પાંચ વર્ષની બાળકીનું મોત


SHARE











ટંકારાના બંગાવડી ગામે ઝેરી જનાવર કરડી જતા પાંચ વર્ષની બાળકીનું મોત

મોરબી જિલ્લાના ટંકારા તાલુકાના બંગાવડી ગામે વાડી વિસ્તારમાં રહીને મજૂરી કામ કરતા પરિવારની પાંચ વર્ષની દીકરીને વાડી વિસ્તારમાં કોઈ ઝેરી જનાવર કરડી જતા તેણીને બેભાન હાલતમાં અહિંની સિવિલે લાવવામાં આવી હતી જ્યાં ડોક્ટરે તેણીને જોઈ તપાસીને મૃત જાહેર કરી હતી.

બનાવની વધુમાં જાણવા મળતી વિગતો પ્રમાણે બંગાવડી ગામે રાજુભાઈ દેવકરણભાઈની વાડીએ રહીને મજૂરી કામ કરતા પરિવારની આરતીબેન સુખરામભાઇ રાઠોડ નામની પાંચ વર્ષની બાળકીને વાડી ખાતે કોઈ ઝેરી જનાવર કરડી ગયું હતું.જેથી તેણીને બેભાન હાલતમાં મોરબીની સિવિલ હોસ્પિટલે લાવવામાં આવી હતી અને અહીં તબીબ દ્વારા તેણીને જોઈ તપાસીને મૃત જાહેર કરવામાં આવી હતી.બાદમાં બનાવ અંગે હાલમાં મોરબી સીટી એ ડિવિઝન પોલીસ સ્ટેશન ખાતે જાણ કરવામાં આવતા એ ડિવિઝન પોલીસ મથકના હરેશભાઈ ચાવડા દ્વારા પ્રાથમિક તપાસ કરીને બનાવ ટંકારા વિસ્તારનો હોય ટંકારા પોલીસને આ અંગે જાણ કરવામાં આવી હતી.

વાહન અકસ્માતમાં ઈજા

મોરબીના સામાકાંઠે લાલબાગ પાછળ આવેલ રોટરીનગર વિસ્તારમાં રહેતા રૂષિક મીનાબેન રામાનુજ નામના ૨૭ વર્ષના યુવાનને મોરબીના શનાળા રોડ ઉપર વિશાલ સ્ટોર પાસેથી બાઈક લઈને જતા સમયે ત્યાં બાઈક સ્લીપ થઈ જતા ઇજા પહોંચતા સારવાર માટે આયુષ હોસ્પિટલે ખસેડાયો હતો.આ બનાવની નોંધ કરીને પોલીસે આગળની તપાસ હાથ ધરી છે.જ્યારે મોરબીના રફાળેશ્વર ગામે આવેલ વરૂડી માતા મંદિર પાસે રહેતા રૂપાબેન વરદાભાઈ પરમાર નામની ૪૫ વર્ષીય મહિલાને તેના ઘર પાસે કોઈ કારણોસર થયેલ મારામારીના બનાવમાં ઇજા થતા સારવાર માટે સિવિલે લાવવામાં આવી હતી જેથી તાલુકા પોલીસ મથકના એ.એમ.ઝાપડિયા દ્વારા આ અંગે નોંધ કરીને તપાસ ચલાવવામાં આવી હતી.

યુવાન સારવારમાં

મોરબીના નવલખી રોડ ઉપર રહેતો વિરમ વાલજીભાઈ વરૂ નામનો ૨૨ વર્ષનો યુવાન મોરબીના જેતપર-પીપળી રોડ ઉપર આવેલ ગજાનંદ સોસાયટી નજીકથી પોતાનું એકટીવા લઈને જતો હતો ત્યારે રસ્તામાં તેનું એકટીવા સ્લીપ થઇ જતા ઇજાગ્રસ્ત થયેલા વિરમભાઈ વરૂને ખાનગી હોસ્પિટલે સારવાર માટે લઈ જવામાં આવ્યો હતો.જ્યારે મોરબીના જોધપર ગામે રહેતો અવિનાશ નવઘણભાઈ ઝિંઝુવાડીયા નામનો ૧૫ વર્ષીય સગીર બાઈકના પાછળના ભાગે બેસીને ગામમાંથી જતો હતો ત્યાં રસ્તામાં તેઓનું બાઈક અકસ્માતે સ્લીપ થઇ જતા તેને ઇજાગ્રસ્ત હાલતમાં અત્રે સારવાર માટે લાવવામાં આવ્યો હતો હાલ બંને બનાવો અંગે નોંધ કરીને તાલુકા પોલીસ દ્વારા તપાસ હાથ ધરવામાં આવી હોવાનું જાણવા મળેલ છે.






Latest News