મોરબીમાં નવું ફાયર સ્ટેશન-બાગ બગીચા સહિતના વિકાસ કામોને ઝડપથી પૂરા કરવા સ્ટેન્ડિંગ કમિટીની બેઠકમાં અધિકારીને અપાઈ સૂચના મોરબીમાં ચેક રીર્ટન કેસમાં આરોપીને નિર્દોષ છોડી મુકવાનો કોર્ટનો મહત્વપુર્ણ ચુકાદો મોરબીમાં શ્રાવણ મહિનાના તમામ સોમવાર અને જન્માષ્ટમીએ કતલખાના બંધ રાખવા આદેશ મોરબી મહાપાલિકાના સિવિક સેન્ટરમાં અધિકારીએ કરેલ અપમાનજનક વર્તનથી કંટાળીને 7 કર્મચારીઓનું સામૂહિક રાજીનામુ મોરબીના મકનસર ગામે લોંગ ટર્મ વીઝા ધારક પાકિસ્તાની નાગરિકો માટે કેમ્પ, અધ્યયન મંડળ દ્રારા શનિવારે બૌદ્ધિક વર્ગનું આયોજન મોરબી તાલુકામાંથી સગીરાનું અપહરણ-દુષ્કર્મના ગુનામાં મુખ્ય આરોપીને 20 વર્ષની સજા, 25 હજારનો દંડ: 4 આરોપીઓનો નિર્દોષ છુટકારો મોરબી ગ્રાહક સુરક્ષા મંડળે કેશ કરતાં ફ્રી માં કાર વ્યવસ્થિત કરી આપવા હુકમ લાયન્સ કલબ ઓફ મોરબી સીટી દ્વારા સી.એમ.જાકાસણીયા હાઈસ્કૂલ જેતપર (મચ્છુ) ખાતે સ્વચ્છતા તથા વ્યસન અને નશામુક્તિ અભિયાન પ્રોજેક્ટ
Breaking news
Morbi Today

મોરબી નજીક રેલ્વે ટ્રેક પાસે કુદરતી હાજતે ગયેલ યુવાન ટ્રેનની હડફેટે ચડી જતાં મોત


SHARE







 

મોરબી નજીક રેલ્વે ટ્રેક પાસે કુદરતી હાજતે ગયેલ યુવાન ટ્રેનની હડફેટે ચડી જતાં મોત

મોરબી નજીકના લાલપર ગામ પાસે રેલ્વે ટ્રેકની બાજુમાં આવેલ કોરલ ગ્રેનાઈટો કારખાનામાં રહીને ત્યાં મજૂરી કામ કરતો યુવાન કુદરતી હાજીતે રેલવે ટ્રેક તરફ ગયો હતો ત્યારે ટ્રેનની ઝડપે આવી જતા તેને પગમાં અને થાપાના ભાગે ગંભીર થઈ હતી જેથી કરીને ઇજાગ્રસ્ત યુવાનનું મોત નિમજ્યું હતું અને આ બનાવ અંગેની તેની સાથે કામ કરતાં શ્રમિક દ્વારા મોરબી તાલુકા પોલીસને જાણ કરવામાં આવતા પોલીસે અકસ્માત મૃત્યુના બનાવની નોંધ કરી આગળની રાબેતા મુજબની કાર્યવાહી હાથ ધરી હતી

બનાવની જાણવા મળતી માહિતી મુજબ મૂળ ઓરિસ્સાનો રહેવાસી અને હાલમાં મોરબીના જુના રફાળેશ્વર રોડ ઉપર લાલપરની પાછળના ભાગમાં રેલ્વે ટ્રેકની બાજુમાં આવેલ કોરલ ગ્રેનાઈટો કારખાનાના લેબર ક્વાર્ટરમાં રહેતો અને ત્યાં કામ કરતો સુભાષભાઈ સીબાભાઈ બાધ (૨૩) કુદરતી હાજતે કોરલ કારખાનાની સામેના ભાગમાં આવેલ રેલવે ટ્રેકના પાટા ઉપરથી જતો હતો ત્યારે અકસ્માતે ટ્રેનની ઝડપે ચડી ગયો હતો જેથી તેને પગમાં અને બંને થાપામાં ગંભીર ઈજા થઈ હતી અને સુભાષભાઈ બાધનું મોત નીપજ્યું હતું આ બનાવ અંગેની અશ્રુજીતભાઈ ઉર્ફે અનિલભાઈ બંકોભાઈ ઓરામ (૪૦) રહે. મૂળ ઓરિસ્સા હાલ રહે કોરલ ગ્રેનાઈટો કારખાના વાળાએ મોરબી તાલુકા પોલીસને જાણ કરતા પોલીસે બનાવની નોંધ કરી રાબેતા મુજબની કાર્યવાહી હાથ ધરી છે

મારામારીમાં ઈજા થતા સારવારમાં

મોરબી તાલુકાના બેલા (જેતપર) ગામે આવેલા ખોખરા હનુમાન મંદિર વાળા રસ્તે આવેલ સેલ્ફી સિરામિક નામના કારખાનાના લેબર કવાટરમાં રહીને ત્યાં મજૂરી કામ કરતા મગનભાઈ જગમાલભાઈ દેસાઈ નામના ૨૫ વર્ષના યુવાનને કારખાના નજીક મારામારીના બનાવવામાં ઇજાઓ પહોંચી હતી જેથી તેને સિવિલે સારવાર માટે લઈ જવાયો હતો બનાવ સંદર્ભે તે બીટ વિસ્તારના જમાદાર ફિરોજભાઈ સુમરા દ્વારા નોંધ કરી આગળની તજવીજ ચલાવવામાં આવી રહી છે જ્યારે મારામારીનો બીજો બનાવ મોરબીના નવલખી રોડ ઉપર આવેલા રણછોડનગરમાં બન્યો હતો જેમાં ઘર પાસે થયેલ મારામારીના બનાવવામાં રવિ સવજીભાઈ સાવલિયા નામના ૩૧ વર્ષના યુવાનને પણ ઇજા થતા સારવાર માટે સિવિલે લાવવામાં આવ્યો હતો જેથી સારવાર કરવામાં આવ્યા બાદ પોલીસને જાણ કરાતા બી ડિવિઝન પોલીસ મથકના વી.ડી. મેતા દ્વારા આ મારામારીના બનાવની આગળની તપાસ હાથ ધરવામાં આવી છે.






Latest News