મોરબીમાં બાવા અહેમદશાની મસ્જિદ ખાતે મેડિકલ કેમ્પ યોજાયો મોરબીની પીએમશ્રી માધાપરવાડી કન્યા શાળાને સક્ષમ શાળા તેમજ હરીત વિદ્યાલય એવોર્ડ એનાયત મોરબીમાં જૂની અદાવતનું મનદુખ રાખીને બે શખ્સોએ છરી-ધારિયા વડે યુવાન ઉપર કર્યો હુમલો મોરબીમાં મહાવીર સ્વામીના જન્મ કલ્યાણક નિમિતે ભવ્ય શોભાયાત્રા યોજાઇ માળીયા (મી)ના મોટા દહિસરા ગામે યુવાનની હત્યાનો પ્રયાસ કરનારા આરોપીના ઘરમાંથી એક પિસ્તોલ-નવ જીવતા કાર્ટિઝ ઝડપાયા, વધુ એક ગુનો નોંધાયો મોરબીના ખેવારીયા ગામે વાડીએ ઇલેક્ટ્રીક શોટ લાગતા 16 વર્ષના બાળકનું મોત મોરબી જિલ્લા કોંગ્રેસના વર્તમાન પ્રમુખ અને મોરબી જિલ્લા પંચાયતના માજી પ્રમુખ કિશોરભાઈ ચીખલિયાનું હાર્ટ એટેકનો તીવ્ર હુમલો આવતા નિધન મોરબી: ઘુનડા ગામે સમસ્ત મચ્છુકાંઠા રબારી સમાજ યુવા સંગઠનનું સન્માન કરાયું
Breaking news
Morbi Today

વાંકાનેરના પીપળીયા રાજ ગામે યુવાનની હત્યા: બે અજાણ્યા શખ્સો સામે નોંધાયો ગુનો


SHARE











વાંકાનેરના પીપળીયા રાજ ગામે યુવાનની હત્યા: બે અજાણ્યા શખ્સો સામે નોંધાયો ગુનો

વાંકાનેર તાલુકાના પીપળીયા રાજ ગામે વાડીએ રહીને મજૂરી કામ કરતા યુવાનની હત્યા કરવામાં આવી છે જેથી મૃતક યુવાનના ભાઈ દ્વારા વાંકાનેર તાલુકા પોલીસ સ્ટેશન ખાતે બે અજાણ્યા શખ્સની સામે હત્યાની ફરિયાદ નોંધાવવામાં આવી છે જેના આધારે પોલીસે હત્યાનો ગુનો નોંધીને આરોપીને પકડવા માટે તજવીજ શરૂ કરી છે જો કે, મૃતક યુવાનની હત્યાના ગુનામાં તેની પત્ની શંકાના દાયરામાં છે અને આરોપીને પકડવા માટે પોલીસે ચક્રોગતિમાન કરેલ છે

બનાવની જાણવા મળતી હોય તો પ્રમાણે મૂળ એમપીના અલીરાજપુર જિલ્લાના દંગાડીયા ફળીયાના રહેવાસી અને હાલમાં વાંકાનેર તાલુકાના અરણીટીંબા ગામે શાહિદભાઈની વાડીએ રહીને મજૂરી કામ કરતા સુકુભાઈ ડુંગરસીંહ બામનીયા જાતે આદિવાસી (૩૪) એ વાંકાનેર તાલુકા પોલીસ સ્ટેશન ખાતે સામે તેના ભાઈ રવીત ડુંગરસિંહ બામનીયા (૨૨)ની હત્યા કરવામાં આવી હોવા અંગેની ફરિયાદ નોંધાવેલ છે જેમાં તેને જણાવ્યુ છે કે, વાંકાનેર તાલુકાના પીપળીયા રાજ ગામે મકબુલભાઈની વાડીની વાડીએ રહીને તેનાથી નાનો ભાઈ સુરપસિંહ અને તેની પત્ની ભૂરબાઈ ત્યાં કામ કરતાં હતા અને તેનાથી નાનો ભાઈ રવિત બામણીયા તેની પત્ની કરમબાઈ સાથે ત્યાં આવ્યો હતો અને રાતે રવિત બામણીયા તેની પત્ની કરમબાઈ રૂમમાં સૂતા હતા અને સુરપસિંહ અને તેની પત્ની ભૂરબાઈ  સહિતના બાહર સૂતા હતા ત્યારે રૂમમાં આવીને કોઈ બે અજાણ્યા શખ્સે રવિતની કોઈપણ હથિયાર માથામાં મારીને હત્યા કરી નાખેલ છે તેવું મૃતકની પત્ની કહી રહી છે જો કે, ફરિયાદી યુવાને મૃતકની પત્ની સામે પણ શંકા વ્યક્ત કરેલ છે જેથી વાંકાનેર તાલુકા પોલીસ દ્વારા હાલમાં બે અજાણ્યા શખ્સોની સામે હત્યાનો ગુનો નોંધી આગળની કાર્યવાહી હાથ ધરવામાં આવી છે અને આ ગુનામાં મૃતકની પત્ની કરમબાઈ રવિત બામણીયા હાલમાં શંકાના દાયરામાં છે અને પોલીસે રાબેતા મુજબની તપાસ શરૂ કરેલ છે






Latest News